મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા છે ? ત્યારે કહે, 'કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ; કારણો અને કાર્ય, કાર્ય અને કારણો'. એમાં જો કારણોનો નાશ કરવામાં આવે તો આ બધી 'ઇફેક્ટ' બંધ થઈ જાય, પછી નવો જન્મ ન લેવો પડે !
અહીં આગળ આખી જિંદગી 'કૉઝીઝ' ઊભાં કરેલાં હોય, એ તમારા 'કૉઝીઝ' કોને ત્યાં જાય ? અને 'કૉઝીઝ' કરેલાં હોય એટલે એ તમને કાર્યફળ આપ્યા વગર રહે નહીં. 'કૉઝીઝ' ઊભાં કરેલાં, એવું તમને પોતાને સમજાય ?
દરેક કાર્યમાં 'કૉઝીઝ' ઊભાં થાય છે. તમને કોઈએ 'નાલાયક' કહ્યું તો તમને મહીં 'કૉઝીઝ' ઊભાં થાય છે. 'તારો બાપ નાલાયક છે' એ તમારું 'કૉઝીઝ' કહેવાય. તમને 'નાલાયક' કહે છે એ તો કાયદેસર કહી ગયો અને તમે એને ગેરકાયદેસર કર્યું. એ ના સમજાયું આપને ? કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : એટલે 'કૉઝીઝ' આ ભવમાં થાય છે. એની 'ઇફેક્ટ' આવતે ભવ ભોગવવી પડે છે !
આ તો 'ઇફેક્ટિવ' (પરિણામ) મોહને 'કૉઝીઝ' (કારણ) મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે 'હું ક્રોધ કરું છું' પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહીં, એ તો 'ઇફેક્ટ' છે. અને 'કૉઝીઝ' બંધ થઈ જાય એટલે 'ઇફેક્ટ' એકલી જ રહે છે અને તે 'કૉઝીઝ' બંધ કર્યાં એટલે 'હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઇફેક્ટ' (પરિણામનો પોતે જવાબદાર નથી) અને 'ઇફેક્ટ' એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી.
A. પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ? દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ... Read More
A. પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ? દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ... Read More
Q. શું તમને મૃત્યુનો ભય લાગે છે?
A. આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની... Read More
Q. જીવનનાં છેલ્લાં કલાકોમાં શું થાય છે?
A. મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે... Read More
A. પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ? દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી,... Read More
Q. આત્મા શરીર છોડી જાય પછી શું થાય છે?
A. પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી... Read More
Q. શું મનુષ્યમાંથી મનુષ્યમાં જ જવાના?
A. પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ? દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે... Read More
Q. શું મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો?
A. પ્રશ્નકર્તા : 'થિયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ... Read More
Q. શું જ્ઞાન પછીની સનાતન શાંતિ આ જન્મ પૂરતી જ થાય?
A. પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ? દાદાશ્રી : ના.... Read More
subscribe your email for our latest news and events