દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય.એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તો એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું, હે ભગવાન ! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ !
પ્રશ્નકર્તા : ધોવાઈ જાય ખરું એ ?
દાદાશ્રી : હા, હા, ચોક્કસ વળી !! પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને ?! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી અડીએ તો ખરી પડે.
પ્રશ્નકર્તા : એ પસ્તાવો કેવી રીતે કરું ? બધાંને દેખતાં કરું કે મનમાં કરું ?
દાદાશ્રી : મનમાં. મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું - એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભૂલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય.
આ એકલો જ માર્ગ એવો માર્ગ છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતાં કરતાં દોષ ખલાસ થતાં જાય.
A. દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું? એ તમે જાણો છો? પ્રશ્નકર્તા : ના દાદાશ્રી : તમે જેવું જાણતા હો... Read More
Q. પ્રતિક્રમણ કેવી રીતે કરવું?
A. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે. દાદાશ્રી : એટલે તમારી... Read More
Q. મૃત વ્યકિત પાસેથી માફી કેવી રીતે માંગવી?
A. પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું... Read More
Q. જો આપણે કોઈને અજાણતા દુઃખ આપી દઈએ તો શું એ પાપ ગણાય?
A. પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : અજાણથી હિંસા થાય પણ ખબર પડે... Read More
Q. જૂઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું? તેનો પશ્ચાતાપ કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ? દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ... Read More
Q. વ્યસનમાંથી કેવી રીતે છૂટવું?
A. પ્રશ્નકર્તા : મને સીગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે. દાદાશ્રી : તે એને 'તું' એવું રાખજે, કે આ ખોટી... Read More
Q. નેગેટીવ વિચારોને કેવી રીતે બંધ કરવા?
A. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ? દાદાશ્રી : સૂક્ષ્મનાં... Read More
Q. સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય ! (આત્મ જ્ઞાન પછી સાચું પ્રતિક્ર્મણ થાય.)
A. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ? દાદાશ્રી : સમકિત... Read More
A. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ... Read More
subscribe your email for our latest news and events