અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે અને પેલી જીવડાંની અહિંસા છે. ભાવિંહસાનો અર્થ શો ? તારી જાતની જે અહિંસા થાય છે, આ ક્રોધ-માન-માયા-લોભ એ તારી જાતને બંધન કરાવડાવે છે, તે જાતની દયા ખા. પહેલી પોતાની ભાવઅહિંસા અને પછી બીજાની ભાવઅહિંસા કહી છે.
આ નાની જીવાતોને મારવી એ દ્રવ્યહિંસા કહેવાય અને કોઈને માનસિક દુઃખ આપવું, કોઈના પર ક્રોધ કરવો, ગુસ્સે થવું, એ બધું હિંસકભાવ કહેવાય, ભાવિંહસા કહેવાય. લોક ગમે એટલી અહિંસા પાળે, પણ અહિંસા કંઈ એવી સહેલી નથી કે જલદી પળાય. અને ખરી દરઅસલ અહિંસા જ આ ક્રોધ-માન-માયા-લોભ છે. આ તો જીવડા માર્યા, પાડા માર્યા, ભેંસો મારી, એ તો જાણે કે દ્રવ્યહિંસા છે. એ તો કુદરતના લખેલા પ્રમાણે જ ચાલ્યા કરે છે. આમાં કોઈનું ચાલે એવું નથી.
એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી અહિંસા છે. એ આત્મિંહસા કહેવાય છે, ભાવિંહસા કહેવાય છે. દ્રવ્યહિંસા થઈ જાય તો ભલે થાય, પણ ભાવિંહસા ના થવા દઈશ. તો આ લોકો દ્રવ્યહિંસા અટકાવે છે પણ ભાવિંહસા ચાલુ રહે છે.
માટે કોઈએ નક્કી કર્યું હોય કે 'મારે નથી જ મારવા', તો એને ભાગે કોઈ મરવા નહીં આવે. હવે આમ પાછું એણે સ્થૂળહિંસા બંધ કરી કે આપણે કોઈ જીવને મારવો નહીં. પણ બુદ્ધિથી મારવા એવું નક્કી કર્યું હોય તો તો પાછું એનું બજાર ખુલ્લું હોય. તે ત્યાં આવીને 'ફુદાં' અથડાયા કરે અને એય અહિંસા જ છે ને !
માટે કોઈ જીવને ત્રાસ ના થાય, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય, કોઈ જીવની સહેજ પણ અહિંસા થાય, એ ન હોવું જોઈએ. અને કોઈ મનુષ્યને માટે એક સહેજ પણ ખરાબ અભિપ્રાય ના હોવો જોઈએ. દુશ્મનને માટેય અભિપ્રાય બદલાયો તો એ મોટામાં મોટી અહિંસા છે. એક બકરુ મારો તેના કરતાં આ મોટી અહિંસા છે. ઘરનાં માણસ જોડે ચિઢાવું, એ બકરુ મારો તેના કરતાં આ વધારે અહિંસા છે. કારણ કે ચિઢાવું એ આત્મઘાત છે. ને બકરાનું મરવું એ જુદી વસ્તુ છે.
અને માણસોની નિંદા કરવીને એય માર્યા બરોબર છે. માટે નિંદામાં તો પડવું જ નહીં. બિલકુલેય માણસની નિંદા કોઈ દા'ડો કરવી નહીં. એ અહિંસા જ છે.
પછી જ્યાં પક્ષપાત છે ત્યાં અહિંસા છે. પક્ષપાત એટલે કે અમે જુદા ને તમે જુદા, ત્યાં અહિંસા છે. આમ અહિંસાનો બિલ્લો ધરાવે છે કે અમે અહિંસક પ્રજા છીએ. અમે અહિંસામાં જ માનવાવાળા છીએ. પણ ભઈ, આ પહેલી અહિંસા તે પક્ષપાત. જો આટલો શબ્દ સમજે તોય બહુ થઈ ગયું. એટલે વીતરાગોની વાત સમજવાની જરૂર છે.
Q. ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી?
A. પ્રયાણ, 'અહિંસા પરમોધર્મ' પ્રતિ પ્રશ્નકર્તા : 'અહિંસાના માર્ગે ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ' એ વિષય પર સમજૂતી આપશો. દાદાશ્રી : અહિંસા એ જ ધર્મ છે અને...Read More
Q. અહિંસાનું પાલન કેવી રીતે કરવું?
A. પ્રશ્નકર્તા : એ અહિંસા પાળવાનો ઉપાય બતાવો. દાદાશ્રી : એક તો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું, તેને ત્રાસ નહીં આપવો. અને ઘઉં છે, બાજરી છે,...Read More
Q. જીવોને અભયદાનનું આટલું બધું મહત્વ કેમ આપ્યું છે?
A. પ્રશ્નકર્તા : તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી : અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે...Read More
A. આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. 'મારે કોઈની અહિંસા કરવી નથી' એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના પહોરમાં બોલવું જોઈએ કે, 'મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર...Read More
A. પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં નિર્જીવવાળા. તો એ ખવાય કે નહીં ? દાદાશ્રી : ફોરેનમાં એ...Read More
Q. દૂધ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન?
A. પ્રશ્નકર્તા : જેવી રીતે વેજીટેરિયન ઈંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય. દાદાશ્રી : ઈંડુ ખવાય નહીં. પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય. ગાયના દૂધનું...Read More
Q. શું માંસાહાર આધ્યાત્મિક જાગૃતિ ને અસર કરે છે?
A. પ્રશ્નકર્તા : એટલે અન્નની અસર મન પર પડે છે, એ પણ નિશ્ચિત છે ? દાદાશ્રી : બધું આ ખોરાકની જ અસર છે. આ ખોરાક ખાય છે, તે પેટની મહીં એની બ્રાન્ડી થઈ જાય છે અને...Read More
Q. ભાવ હિંસા કેવી રીતે અટકાવવી? ભાવ મરણ નો અર્થ શું છે?
A. આખા જગતનાં લોકોને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન તો એની મેળે થયા જ કરે. એના માટે કશું કરવાનું જ નહીં. એટલે આ જગતમાં મોટામાં મોટી અહિંસા કઈ ? આર્તધ્યાન ને...Read More
Q. શું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ અહિંસક બની શકે?
A. હવે આ રોડ ઉપર ચંદ્રમાનું અજવાળું હોય તો પેલી આગળની લાઈટ ના હોય, તો ગાડી ચલાવે કે ના ચલાવે લોકો ? પ્રશ્નકર્તા : ચલાવે. દાદાશ્રી : તો એને કશી શંકા ના પડે....Read More
subscribe your email for our latest news and events