Related Questions

મોક્ષ અને નિર્વાણ: બન્ને વચ્ચે શું ફરક છે?

મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ અને નિર્વાણ વચ્ચેનો ખરેખરો તફાવત છે.

મોક્ષ બે પ્રકારના છે:

  • પહેલા પ્રકારના મોક્ષમાં, આપણે આ ભવના તમામ દુ:ખોથી મુક્તિ અનુભવીએ છીએ. તમને અહી જ અનુભવાશે કે, “હું મુક્ત થયો છું.” આ મુક્તતાની જાગૃત્તિ સતત રહેવી જ જોઇએ. પરતું અક્રમ વિજ્ઞાન દ્વારા, આપણને અનુભવમાં આવે છે કે, “હું શુદ્ધાત્મા છું અને આ સંસારી વસ્તુઓને આત્મા સાથે કંઈ લેવા દેવા નથી.”
  • અંતે, જ્યારે આપણે તમામ કર્મોથી મુક્ત થઈએ છીએ, પછી બીજા પ્રકારના મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેને ‘નિર્વાણ’ અથવા અંતિમ મોક્ષ કહેવાય છે. ત્યારબાદ ફરી જન્મ લેવો પડતો નથી.

નિર્વાણ સાથે, અંનત ભવોના જન્મ-મરણના ફેરાનો અંત આવે છે.

જ્યારે જીવ નિર્વાણ પામે છે, ત્યારે તે આત્માને સિધ્ધ ભગવાન તરીકે સંબોધવામાં આવે છે. સિધ્ધ ભગવંતો આ બ્રહ્માંડની બહાર આવેલા સિધ્ધક્ષેત્રમાં બિરાજે છે. તેઓ કાયમ ત્યાં પોતાના શાશ્વત સુખમાં જ રહે છે!

તો, શું આનો અર્થ એમ થાય કે મોક્ષ એ કોઈ સ્થળ છે જ્યાં આપણે જઈ શકીયે? તો ચાલો નીચે દર્શાવેલ સંવાદો દ્વારા આ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરીએ:

પ્રશ્નકર્તા : પરંતુ હું એ જાણવા માગુ છું કે મોક્ષ એવી કોઇ જગ્યા છે કે જ્યાં આપણે જવું જોઇએ, અથવા કોઇ વસ્તુ છે કે જે મેળવવી જોઇએ અથવા એવી કોઇ જાતની સ્થિતિ છે?

દાદાશ્રી : મોક્ષ એ તમારો સ્વભાવ છે. તમારો પોતાનો સ્વભાવ મોક્ષ સ્વરૂપ જ છે. પરંતુ તમારા સ્વભાવને ઓળખવા માટે, શું તમારે કાંઇ કરવું ન જોઇએ? તમારો સ્વભાવ મોક્ષ છે, પરંતુ તમને આ સ્થિતિની જાણકારી ન હોવાને કારણે, તમને અંદરથી આનંદની અનુભૂતિ થતી નથી. તમારે મોક્ષ માટે કોઇ જગ્યાએ જવાની જરૂર નથી. તમામ દુ:ખ-દર્દથી મુક્તિ એ પહેલા પ્રકારનો મોક્ષ છે, અને સંસારના જીવન મરણના ચક્ક્રમાંથી મુક્તિ એ બીજા પ્રકારનો મોક્ષ છે! એક વખત તમે પહેલા પ્રકારનો મોક્ષ પ્રાપ્ત કરશો, બીજા પ્રકારનો મોક્ષ આવશે, તે તમારી પાસે એની જાતે જ આવશે. પહેલો મોક્ષ ‘કારણ’ સ્વરૂપ છે, અને બીજો ‘પરિણામ’ સ્વરૂપ છે. ‘કારણ’માંથી મુક્ત થયા પછી, તમે તમારી સાંસારિક ફરજો જેવી કે બાળકોને પરણાવવા વગેરે પૂર્ણ કરશો. આવું કરવામાં પણ તમારો નિશ્ચય તો મોક્ષનો જ હશે. અને અત્યારે, ‘પરિણામ’ સ્વરૂપ મોક્ષ શક્ય નથી. હું મારી જાતને ‘કારણ’ સ્વરૂપ મોક્ષમાં જ રાખુ છું અને બીજું બધું કામ એની જાતે ચાલ્યા કરે છે. જે દેહથી જીવ મોક્ષની જાગૃત્તિ પ્રાપ્ત કરે છે, પછી માત્ર એક કે બે ભવ જ બાકી રહે છે.

જ્યારે જીવ તમામ ભૂલોમાંથી મુક્ત થાય છે, જીવ અંતિમ મોક્ષ પ્રાપ્ત કરે છે!

જયારે જીવ નિર્વાણ પ્રાપ્ત કરે છે તે તમામ ભૂલોમાંથી મુક્ત થાય છે અને તેથી તે સંસારના જન્મ મરણના ચક્કરમાંથી કાયમ માટે છૂટે છે.

જ્યારે આત્મા નિર્વાણ પ્રાપ્ત કરે છે, ત્યારે તેનો પૂર્ણ પ્રકાશ આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે!

જ્યારે કેવળી તથા તીર્થંકર ભગવંતનો આત્મા નિર્વાણની દશાએ પહોંચે છે, ત્યારે તે આત્મા મુક્ત થઈને સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. તે સમયે આત્મા સંપૂર્ણપણે નિરાવરણ થઇ તેમનો દેહ વિલિન થાય છે અને તે આત્માનો પ્રકાશ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. આ આત્માનો મૂળ સ્વભાવ છે. આ જ મોક્ષ અને નિર્વાણ વચ્ચેનો મુખ્ય તફાવત છે.

આજે દરેકનો આત્મા એવો જ છે, પરંતુ હાલમાં, તે કર્મોના આવરણોથી ઢંકાયેલ છે. જ્યાં સુધી મનુષ્ય અજ્ઞાનતામાં વર્તે છે, ત્યાં સુધી આત્માનો પ્રકાશ બહાર આવતો નથી. જ્યારે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે આત્માનો પ્રકાશ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. જ્યારે આત્મા ઉપરના બધા આવરણો દૂર થાય છે, ત્યારે આત્મા આખા બ્રહ્માંડમાં ઝળહળીને પ્રકાશિત થાય છે.

દાખલા તરીકે, જ્યારે તમે માટલામાં બલ્બ મૂકો છો અને તેને સંપૂર્ણ રીતે ઢાંકી દો છો, ત્યારે તેમાંથી કોઇ પ્રકાશ બહાર આવી શકશે નહિ; પ્રકાશ માત્ર માટલાની અંદર જ રહેશે. જો કે, જો તમે માટલાને તોડી નાખશો, પ્રકાશ ક્યાં સુધી જશે? પ્રકાશ જે પાત્રમાં બલ્બ હશે તેમાં બધે ફેલાશે, અને જે ઓરડામાં તેને મૂક્યો છે તેમાં પણ ફેલાશે. તે જ રીતે, જો આત્મા આવરણોથી મુક્ત થશે, તે બ્રહ્માંડના દરેક ખૂણામાં ફેલાશે. વધારામાં, જ્યારે તમે બલ્બને માટલામાં મૂકો છો, તેનો પ્રકાશ તીવ્ર જ હોય છે. જ્યારે માટલાને તોડવામાં આવે છે, ત્યારે પ્રકાશ રૂમમાં ફેલાય છે પરંતુ તેની તેવ્રતા ઘટે છે. પ્રકાશ જેમ જેમ વધારે ફેલાય છે, તેમ તેની તીવ્રતા ઘટતી જાય છે. આવું એટલા માટે કે તે ભૌતિક પ્રકાશ છે. તેની સામે, આત્માનો પ્રકાશ ગમે તેટલો ફેલાય તો પણ તેની તીવ્રતા ઘટતી નથી; નિર્વાણ સમયે તે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે, તો પણ પ્રકાશ હંમેશા સરખો જ રહે છે.

દરેક આત્મા પાસે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરવાની ક્ષમતા છે. આત્મજ્ઞાન પછી, જેમ જેમ બાકી રહેલ કર્મો પૂરા થતા જાય છે, અને આત્મા તમામ પ્રકારના કર્મોથી મુક્ત થાય છે, તે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે છે. તે છેલ્લો ભવ હોય છે જ્યારે આત્મા બધા આવરણોથી મુક્ત હોય છે અને ચરમ શરીર પ્રાપ્ત થયેલ હોય છે. ત્યારે નિર્વાણ થાય છે અને આત્માનો પ્રકાશ સિધ્ધક્ષેત્રમાં જતા પહેલા આખા બ્રહ્માંડમાં ફેલાય છે. આ મોક્ષ અને નિર્વાણ વચ્ચેનો મુખ્ય તફાવત છે.

×
Share on