Related Questions

વાસુદેવ ભગવાન કેવા હોય?

vasudev

એ વાસુદેવ તો કેવા હોય ? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય, વાસુદેવની. વાસુદેવ બીજ પડે ક્યારે ? એની આમ આંખ દેખીને જ ભડકીને મરી જાય. તે વાસુદેવ થવાના હોય તે કેટલાંય અવતાર પહેલેથી આવું હોય. એ વાસુદેવ તો ચાલતો હોય તો ધરતી ખખડે ! હા, ધરતી નીચે અવાજ કરે. કેટલાંય અવતાર પહેલાં ! એટલે એ બીજ જ જુદી જાતનું હોય. એની હાજરીથી જ લોક આઘું પાછું થઈ જાય, એ વાત જ જુદી છે ! વાસુદેવ તો મૂળ જન્મથી જ ઓળખાય કે વાસુદેવ થવાનો છે. કેટલાંય અવતાર પછી વાસુદેવ થવાનાં હોય તે આજથી જ ઓળખાય. તીર્થંકર ના ઓળખાય પણ વાસુદેવ ઓળખાય, એનાં લક્ષણ જ જુદી જાતનાં હોય ! એ પ્રતિવાસુદેવેય એવાં જ હોય. 

×
Share on