Related Questions

વીતરાગોની તત્વ દ્રષ્ટિ.

અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેનેય અમે નિર્દોષ જ જોઈએ ! અમે 'સત્ વસ્તુ'ને જ જોઈએ. એ તાત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતા નથી. વેરાઇટીઝ ઓફ પેકિંગ છે, તેમાં અમે તત્વદ્રષ્ટિથી જોઈએ. 'અમે' સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ 'જ્ઞાની પુરુષ' તમારી 'ભૂલ'ને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં.  

×
Share on