આ તો નરી શંકાનાં જ વાતાવરણમાં જીવી રહ્યું છે આખું જગત, કે 'આમ થઈ જશે કે તેમ થઈ જશે.' કશુંય થવાનું નથી. અમથો ભડકાટ શું કરવા કરે છે ? સૂઈ રહે ને, પાંસરો. વગર કામનો આમ ફરાફર કરે છે. તેં તારી જાત ઉપર શ્રદ્ધા રાખી છે એ ખોટી છે બધી, 'હંડ્રેડ પરસેન્ટ'! એટલે કશુંય થવાનું નથી. પણ જો ફફડાટ, ફફડાટ, તરફડાટ, તરફડાટ ! જાણે જોડે લઈ જવાનો હોય ને, થોડુંક ?!
આ તો આખો દહાડો'શું થશે, શું થશે'એમ ફફડ્યા કરે. અલ્યા, શું થવાનું છે? આ દુનિયા કોઈ દહાડો ય પડી ગઈ નથી. આ દુનિયા જ્યારે નીચે પડી જાય ને, ત્યારે અલ્લા હઉ નીચે પડી જાય (!) એટલે દુનિયા ક્યારે કોઈ દહાડો પડે જ નહીં.
અમે પેલી નેપાળની જાત્રાએ બસ લઈને ગયા હતા ત્યારે રસ્તામાં યુ.પી.માં રાત્રે બાર વાગે એક શહેર આવ્યું હતું. કયું હતું એ ગામ?!
પ્રશ્નકર્તા: બરેલી હતું એ.
દાદાશ્રી: હા. તે બરેલીવાળા ફોજદાર બધા અને કહે કે, 'બસ ઊભી રાખો.'મેં પૂછયું કે, 'શું છે?'ત્યારે એમણે કહ્યું કે, 'અત્યારે આગળ નહીં જવાનું. રાત્રે અહીં રહો,આગળ રસ્તે લૂંટે છે. પચાસ માઈલના એરિયામાં આ બાજુથી,પેલી બાજુથી બધાંને રોકે છે.'ત્યારે મેં કહ્યું કે, 'ભલે લૂંટાય,અમારે તો જવું છે.'ત્યારે છેવટે એ લોકોએ કહ્યું કે, 'તો જોડે બે પોલીસવાળા લેતા જાઓ.'ત્યારે મેં કહ્યું કે, 'પોલીસવાળા ભલે બેસાડો.'એટલે પછી બે પોલીસવાળા બંદૂક લઈને બેઠા,પણ કશું થયું નહીં. એ યોગ જામવો એ તો મહા મહા મુશ્કેલી છે ! અને એ યોગ જામવાનો હશે તો હજારો પ્રયત્નો કરશો તો ય તમારા પ્રયત્નો ધૂળધાણી થઈ જશે !! એટલે ડરવું નહીં,શંકા કરવી નહીં. જ્યાં સુધી શંકા ન જાય ત્યાં સુધી કોઈ દહાડો ય કામ થાય નહીં. નિઃશંકતા આવે નહીં ત્યાં સુધી માણસ નિર્ભય થઈ શકે નહીં. શંકા ત્યાં ભય હોય જ.
1. સંસારમાં દુઃખ એટલે શું? ત્યારે કહે, કુશંકાથી ઊભાં થયેલાં દુઃખ.
2. શંકા તો માણસ મરી જાય ત્યાં સુધી એને છોડે નહીં. શંકા પડે એટલે માણસનું વજન વધે કે? માણસ મડદાંની જેમ જીવતા હોય તેના જેવું થાય.
3. શંકાનું સમાધાન ના હોય, સાચી વાતનું સમાધાન હોય. શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં.
4. શંકા એટલે શું? પોતાના આત્માને બગાડવાનું સાધન.
5. ચોપડો જોતાં ના આવડે તો વહેમ પડે ને વહેમ પડે તો દુઃખ પડે!
A. ચોપડાના હિસાબ ! આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ?... Read More
Q. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
A. મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં... Read More
Q. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા... Read More
Q. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુધ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે... Read More
A. પ્રેમનો પાવર ! સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ.... Read More
A. ભયનું મૂળ કારણ ! પ્રશ્નકર્તા: આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ... Read More
Q. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
A. એવો નિશ્ચય છોડાવે લાલચો એટલે 'કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય.... Read More
Q. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
A. માન-અપમાનનું ખાતું 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં... Read More
Q. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
A. બુદ્ધિ બગાડે સંસાર ! પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય? દાદાશ્રી: એને... Read More
Q. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
A. શંકા રાખવા જેવું છે જ ક્યાં ?! પ્રશ્નકર્તા: આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા... Read More
Q. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
A. શંકા અને ભય ! પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન... Read More
Q. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
A. ત્યાં શૂરવીરતા હોવી ઘટે ! નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે... Read More
Q. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
A. નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ ! બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો... Read More
A. ત્યારે સંદેહ જાય ! પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો... Read More
Q. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
A. શંકામાંથી નિઃશંકતા ! પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર... Read More
subscribe your email for our latest news and events