Related Questions

ભયનું મૂળ કારણ શું છે?

ભયનું મૂળ કારણ !

પ્રશ્નકર્તા: આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ બધું કેવી રીતે એનો ચાર્જ ને ડિસ્ચાર્જ થાય છે?

દાદાશ્રી: ભય તો જેટલો પોતાની જાતને ટેમ્પરરી (વિનાશી) સમજે એટલો વધારે ભય લાગે.

પ્રશ્નકર્તા: એ સમજાયું નહીં. પોતાની જાતને ટેમ્પરરી સમજે એટલે શું?

દાદાશ્રી: ‘હું ચંદુભાઈ જ છું’, એ ટેમ્પરરી અને તેવું પોતાની જાતને માને, એટલે ભય લાગ્યા કરે. હું શુદ્ધાત્મા છું. મને કંઈ જ ના થાય, હું તો સનાતન છું, તો ભય શેનો લાગે?

પ્રશ્નકર્તા: પછી ના લાગે.

દાદાશ્રી: ફોરેનના લોકોને છે તે ટેમ્પરરી વધારે લાગે, આપણા લોકોને ટેમ્પરરી ઓછું લાગે. કારણ કે કર્તાભાવ થયો. હું કરું છું ને આ કર્મ મારાં કરેલાં થાય છે. એટલે અહીં જરા ફોરેનનાં કરતાં ઓછાં ભયવાળું. ફોરેનવાળા તો ચકલાંની પેઠે ઊડી જાય.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. સમાચાર પત્રોમાં તમામ પ્રકારના ખરાબ સમાચાર છપાય છે, પરંતુ એવું ડરવાની જરૂર નથી કે, શું મારી સાથે આવું થઇ શકે?
  2. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
  3. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  4. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  5. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  6. ભયનું મૂળ કારણ શું છે?
  7. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
  8. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
  9. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
  10. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  11. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
  12. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  13. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  14. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  15. મારી શંકા ક્યારે જશે?
  16. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
×
Share on