આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો અને સૌથી મહત્ત્વની બાબત કે આ સંસારના બોજામાંથી કાયમી મુક્તિ પ્રાપ્ત થશે. તમને આત્મજ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ છે. આ ક્રિયાને “જ્ઞાનવિધિ” તરીકે ઓળખાય છે.
સંસારના બધા જ સંબંધોથી આત્મા મુક્ત જ છે. આત્મા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે જે સ્વાભાવિક રીતે અનંત સુખની અવસ્થા છે. શુદ્ધાત્માથી જે સુખ પ્રાપ્ત થાય છે, એ સુખનો અનુભવ તમે પહેલા ક્યારેય કર્યો નહીં હોય. કોઈ પણ વ્યક્તિ માટે આ અનુભવ શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે એમ નથી. તમને પોતાને આ બાબતનો અનુભવ થશે. આ સુખ કાયમી અને અવિનાશી છે કેમ કે, તે કોઈ વ્યક્તિ અથવા સંજોગોના આધારે નથી. આ સુખ પછી ફરી ક્યારેય દુઃખ કે શોક નહીં આવે.
જેમ જેમ તમારી આત્મા પ્રત્યેની સમજણ વધશે, તેમ તેમ તમે વધુ મજબૂત થતા જશો. ‘ડિપ્રેશનને કોણ ભોગવે છે?’, ‘તે આત્મહત્યાના રસ્તા તરફ કેમ જાય છે?’, ‘આત્મહત્યાના વિચારોને કેવી રીતે બંધ કરવા’ અને ‘તેના દુ:ખનું મૂળ કારણ શું છે?’ આ બધી જ સમજણ તમને પ્રાપ્ત થશે. પણ તમે શુદ્ધાત્મા તરીકે, શરીર અને અહંકારને જે થાય છે તેનાથી જુદા અને અસર રહિત રહી શકશો. આ દેહ અને અહંકાર શું કરે છે, શું જુએ છે, વિચારે છે અને શું અનુભવે છે, તેના તમે જ્ઞાતા-દ્રષ્ટા રહી શકશો.
આ વિજ્ઞાન સાચી સમજણ (સમકિત) પર પ્રકાશ પાડનારું છે, જે સમય જતા સમ્યક્ ચારિત્ર્ય (આચાર)માં પરિણમે છે. આ વિજ્ઞાન ચોક્કસ રીતે, સમજવામાં ખૂબ જ સરળ અને વર્તમાન કાળમાં લોકો માટે અત્યંત લાભદાયી છે.
‘શાંતિ મનનો સ્વભાવ છે! અને આનંદ આત્માનો પોતાનો સ્વભાવ છે!’ - દાદા ભગવાન
સંસારિક સુખો ઘણા કારણો પર આધાર રાખે છે, જેમ કે સંબંધો, માનસિક સ્થિરતા, શારીરિક સ્વસ્થતા અને બાહ્ય સંજોગો. આ જ બધા કારણોને લીધે તમને ભોગવટા આવે છે.
ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો, તો તમને એમની પાસેથી અપેક્ષાઓ હોય છે, જેમ કે તેમણે પણ તમને એટલા જ પ્રમાણમાં પ્રેમ કરવો જોઈએ. પરંતુ, જ્યારે તમારી અપેક્ષાઓ પૂરી નહીં થાય, ત્યારે શું તમને દુઃખ નહીં થાય? આના કારણે તમને ભોગવટો નહીં આવે? તેથી, સંસારિક જીવન ઉતાર-ચડાવથી ભરેલું છે. જ્યારે પરિસ્થિતિઓ ખરાબ થશે ત્યારે તમે કંઈ જ કરી શકશો નહીં.
અક્રમ વિજ્ઞાનથી તમને ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષથી મુક્તિ પ્રાપ્ત થશે. આખી દુનિયાના બોજામાંથી મુક્ત કરશે. તે ઉપરાંત, અમુક મુશ્કેલ અને જટિલ સંબંધોમાંથી પણ મુક્ત થઈ શકશો. હકીકતમાં, આ વિજ્ઞાન થકી તમને કાયમની મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત થઈ શકે એમ છે.
આ વિજ્ઞાનના ઉપયોગથી, આત્મહત્યા સંબંધી વિચારોનો સામનો કરવો વધુ સહેલો થઈ જાય છે. તમને એમ લાગશે કે, આ સાંભળવામાં ખૂબ સારું લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં આ ક્રિયાકારી વિજ્ઞાન છે! આના થકી, ઘણા લોકોએ સંસારમાં કપરા સંજોગો હોવા છતાં પણ મુક્તિનો અનુભવ કર્યો છે. આપ પણ આ પ્રકારનો અનુભવ પ્રાપ્ત કરી શકો છો!
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events