Related Questions

જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?

જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે, જીવન એ ફક્ત દુઃખ ભોગવવા માટે જ છે. જ્યારે કંઈક સારું બને છે, ત્યારે આપણે આનંદ-ઉલ્લાસમાં અને સંતુષ્ટ હોઈએ છીએ. આનાથી વિપરિત, જ્યારે આપણી સાથે કંઈક અણબનાવ બને છે ત્યારે દુ:ખી, ડિપ્રેસ અને હતાશ થઈ જઈએ છીએ. આ જ ડીપ્રેશન છેવટે એટલી હદ સુધી આવે છે કે દુઃખમાંથી કાયમી મુક્ત થવા આપણે આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈએ છીએ.

આપણી ઇચ્છા એવી હોય છે કે, ‘ખરાબ’ સમય ઝડપથી પસાર થઈ જાય પણ જ્યારે સમય સારો હોય છે ત્યારે આપણે એ સમયનું મહત્ત્વ નથી સમજતા. માટે, મુશ્કેલીના સમયમાં એ યાદ રાખવું ખૂબ જ મહત્ત્વનું છે કે, આ માત્ર એક સંજોગ છે અને કુદરતના નિયમ પ્રમાણે આ મુશ્કેલ સંજોગ પણ એનો સમય થતાં પસાર થઈ જશે અને પછી સારો સમય આવશે. 

શું જીવનનો અંત લાવવાથી ઉકેલ આવે છે?

શું જીવનનો અંત લાવવાથી ખરાબ સમય જતો રહેશે? ચોક્કસપણે નહીં. કારણ કે, આવતા જન્મમાં આપણને આનાં ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેથી, હિત એમાં જ છે કે, વર્તમાનમાં આવી પડેલી દુઃખદ પરિસ્થિતિનો સામનો કરો અને આ મુશ્કેલ સમયમાંથી પાર ઉતરો. જ્યારે આપણે, આ બધું જ સમતાથી પાર કરી દઈશું ત્યારે આ સંજોગો જ આપણને મજબૂત બનાવી દેશે.

મુશ્કેલ સમયમાં વાપરવા જેવી ઉપયોગી ચાવીઓ

  • મૌન રહી ભોગવટામાં ન રહો – તરત જ મદદ માંગો!
  • શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખો.
  • રોજનાં આહારમાં યોગ્ય ડાયેટ જાળવો. કારણ કે, આપણે જેવો આહાર લઈએ છીએ એવી જ અસર આપણા વિચારો પર પણ પડે છે.
  • પોઝિટિવ રહેવાથી શક્તિ વધે છે.
  • પોઝિટિવ વ્યક્તિઓનાં સંગમાં રહો.
  • વર્તમાન પરિસ્થિતિને બદલવા માટે તમે શું કરી શકો એના પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • પરિસ્થિતિઓ ગમે તેટલી ખરાબ હોય, પરંતુ સુખી કે દુ:ખી રહેવું એ નિર્ણય આપણા હાથમાં છે.
  • પોતાનામાં આત્મવિશ્વાસ રાખી, એમાંથી શક્તિ મેળવો.
  • આપણને આનંદ થાય એવા કાર્ય કરીએ.
  • રોજની દિનચર્યામાં ફેરફાર લાવીને વોક કરો અથવા પોતાના સગા-સંબંધી કે મિત્રોને જઈ મળો.
  • યાદ રાખવું કે, કંઈપણ ક્યારેય કાયમના માટે રહેતું નથી.
  • જેમની સ્થિતિ આપણા કરતાં પણ કપરી હોય એવા લોકોને જુઓ. આમ કરવાથી, દુઃખનો સામનો કરવાની શક્તિ મળશે.
  • જરૂરિયાતમંદોને મદદ કરો. એનાથી તમને ઘણી શાંતિ મળશે.

પોઝિટિવિટી અને નેગેટિવિટીની અસરો

Suicide Prevention

આ જગતમાંફક્ત ‘પોઝિટિવ’ તમને સુખ આપશે; ‘નેગેટિવ’ તમને દુ:ખ સિવાય કંઈ જ નહીં આપે. પોઝિટિવ રહીને દુઃખનો સામનો કર્યા સિવાય આપણે બીજું કંઈ કરી શકતા નથી. આ કપરો સમય પણ પછી જતો રહેશે. જીવનમાં આવતા દરેક સંજોગો પરિવર્તનશીલ હોય છે; કાયમનાં નથી હોતાં.

તેથી, આપણે ધીરજ રાખીને વર્તમાન સંજોગોનો સામનો કરવા માટે શક્તિ મળી રહે એવી પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ ક્યારેય હાર માનવી નહીં. કારણ કે, આ મુશ્કેલીનો સમય પણ એક દિવસ જતો રહેશે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on