જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે, જીવન એ ફક્ત દુઃખ ભોગવવા માટે જ છે. જ્યારે કંઈક સારું બને છે, ત્યારે આપણે આનંદ-ઉલ્લાસમાં અને સંતુષ્ટ હોઈએ છીએ. આનાથી વિપરિત, જ્યારે આપણી સાથે કંઈક અણબનાવ બને છે ત્યારે દુ:ખી, ડિપ્રેસ અને હતાશ થઈ જઈએ છીએ. આ જ ડીપ્રેશન છેવટે એટલી હદ સુધી આવે છે કે દુઃખમાંથી કાયમી મુક્ત થવા આપણે આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈએ છીએ.
આપણી ઇચ્છા એવી હોય છે કે, ‘ખરાબ’ સમય ઝડપથી પસાર થઈ જાય પણ જ્યારે સમય સારો હોય છે ત્યારે આપણે એ સમયનું મહત્ત્વ નથી સમજતા. માટે, મુશ્કેલીના સમયમાં એ યાદ રાખવું ખૂબ જ મહત્ત્વનું છે કે, આ માત્ર એક સંજોગ છે અને કુદરતના નિયમ પ્રમાણે આ મુશ્કેલ સંજોગ પણ એનો સમય થતાં પસાર થઈ જશે અને પછી સારો સમય આવશે.
શું જીવનનો અંત લાવવાથી ખરાબ સમય જતો રહેશે? ચોક્કસપણે નહીં. કારણ કે, આવતા જન્મમાં આપણને આનાં ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેથી, હિત એમાં જ છે કે, વર્તમાનમાં આવી પડેલી દુઃખદ પરિસ્થિતિનો સામનો કરો અને આ મુશ્કેલ સમયમાંથી પાર ઉતરો. જ્યારે આપણે, આ બધું જ સમતાથી પાર કરી દઈશું ત્યારે આ સંજોગો જ આપણને મજબૂત બનાવી દેશે.

આ જગતમાં, ફક્ત ‘પોઝિટિવ’ તમને સુખ આપશે; ‘નેગેટિવ’ તમને દુ:ખ સિવાય કંઈ જ નહીં આપે. પોઝિટિવ રહીને દુઃખનો સામનો કર્યા સિવાય આપણે બીજું કંઈ કરી શકતા નથી. આ કપરો સમય પણ પછી જતો રહેશે. જીવનમાં આવતા દરેક સંજોગો પરિવર્તનશીલ હોય છે; કાયમનાં નથી હોતાં.
તેથી, આપણે ધીરજ રાખીને વર્તમાન સંજોગોનો સામનો કરવા માટે શક્તિ મળી રહે એવી પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ ક્યારેય હાર માનવી નહીં. કારણ કે, આ મુશ્કેલીનો સમય પણ એક દિવસ જતો રહેશે.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
A. કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events
