Related Questions

લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?

Suicide Prevention

દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણને કારણે, કેટલાક લોકો તેમની વ્યક્તિગત પરિસ્થિતિ કે સંજોગોને લઈને સંપૂર્ણપણે હતાશ થઈ ગયા છે. તેમને લાગે છે કે તેમની પાસે પરિસ્થિતિઓને વધુ સારી રીતે સુધારવાની કોઈ શક્તિ જ નથી. તેથી જ, તેઓ એવા અંધકાર અને નિરાશામાં ડૂબી જાય છે કે તેમની પાસે આમાંથી મુક્ત થવા માટેની કોઈ આશા દેખાતી જ નથી.

તો, આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે?

આવા ડિપ્રેશન અને આત્મહત્યા કરવાના વિચારો માટે નીચે દર્શાવેલ કારણો જવાબદાર છે:

  • ભૌતિક સંપત્તિ અને સફળતા મેળવવા માટે સમાજ અને સગાંવહાલાંઓ દ્વારા થતું દબાણ. આ જીવનના તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે - સ્કૂલ, ઓફિસ અને ઘર.
  • આર્થિક મુશ્કેલી
  • આપણા સંબંધોમાં મતભેદ અને ક્લેશ
  • એકલતા
  • મોબાઈલ એડીકશન
  • માનસિક સ્વાસ્થ્ય સંબંધી સ્થિતિ
  • લાંબી માંદગી
  • ઓફિસ અથવા આપણા આસપાસના વાતાવરણમાં અચાનક થયેલા ફેરફાર
  • ‘હું નિરાશાજનક છું’ એવી સતત રહેતી લાગણીઓ
  • કાર્યક્ષેત્રમાં (ઓફિસના કામમાં) ઉત્સાહની ઊણપ
  • પોતાની પ્રિય વ્યક્તિ કે સ્વજનને ગુમાવવાનો આઘાતજનક અનુભવ
  • કોઈ નજીવી બાબત પર આપણા સહાધ્યાયી દ્વારા સતત ચીડવવામાં આવવું
  • શાળા, ઓફિસ અથવા ઘરેથી આવતી ધમકી કે દબાવ
  • બેરોજગારી
  • માનસિક અથવા શારીરિક શોષણ
  • ડ્રગ્સ (નશીલા પદાર્થોનું સેવન) અથવા દવાઓનો દુરૂપયોગ
  • સંબંધ તૂટવો કે લગ્નજીવનમાં છૂટાછેડા

ઉપર દર્શાવેલ કારણો, વ્યક્તિના મનની શાંતિ, સ્થિરતા અને સુખને ખલેલ પહોંચાડે છે. આ જ કારણો છે કે જેથી લોકોને આત્મહત્યા કરવાના વિચારો આવ્યા કરે છે.

આત્મહત્યાના વિચારોમાં બુદ્ધિની ભૂમિકા

બુદ્ધિની ભૂમિકા એ છે કે, તે દરેક પરિસ્થિતિમાં સારા અને ખરાબ વચ્ચેનો તફાવત દર્શાવે છે. તે તમને અંદરથી સતત ડિસ્ટર્બ જ રાખે છે, જેમ કે, 'જો, એણે કેવું કહ્યું', 'તેને મારા કરતા વધારે પગાર આપવામાં આવે છે', બધા હંમેશાં તેનો જ પક્ષ લે છે', 'મારા વ્યૂ પોઈન્ટને કોઈ ધ્યાનમાં લેતું જ નથી', બધા મને હંમેશાં અવગણે છે.' આવા બધા વિચારો જ તમારા દુ:ખનું મૂળ કારણ છે.

તેથી જ, જેમ જેમ તમારી બુદ્ધિ વધે છે, તેમ તેમ તમારા દુઃખો પણ વધે છે. ઉદાહરણ તરીકે, જો બે વર્ષના બાળકની માતા મરણપથારી પર હોય, તો બાળક પર તેની કોઈ અસર થતી નથી, તે આવા સંજોગોમાં પણ હસતું-રમતું રહેશે. આ જ પરિસ્થિતિમાં, જો પચીસ વર્ષની પુત્રીની માતા મરણપથારીએ હોય, તો તે અતિશય માનસિક દુઃખમાં જ હોય છે. કારણ એ છે કે, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તેમ સાથે સાથે આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને તેથી જ આપણને દુઃખનો અનુભવ વધારે થાય છે. તેથી જ, આપણા દુ:ખનો અનુભવ, આપણી બુદ્ધિ પર સીધો આધાર રાખે છે. જેટલી બુદ્ધિ વધારે, તેટલું દુ:ખ પણ વધુ હોય છે.

સમજીએ આત્મહત્યા - આધ્યાત્મિક દૃષ્ટિએ

અક્રમ વિજ્ઞાનમાં સમજાવ્યું છે કે, જ્યારે નોર્મલ વિચારો આવતા બંધ થઈ જાય છે, ત્યારે શું થાય છે. જ્યારે આ વિચારો નેગેટિવ અને નિરાશાવાદી વિચારોમાં પરિણમે છે, ત્યારે અંદર એક અંધકારમાં ધકેલી દીધા હોય એવું લાગે છે. ત્યારે તમે કંઈ પણ સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી અને તમને તમારી આ સમસ્યાઓનો કોઈ ઉપાય પણ દેખાતો નથી. એવું જ લાગે કે, જાણે એક અંધારી ગુફામાં છીએ. થોડો પ્રકાશ છે એવું લાગે પરંતુ, જેમ જેમ તેમાં ઊંડા ઊતરતા જઈએ, તેમ તેમ વધુ ઘોર અંધકાર ભાસે છે.

પરંતુ, લોકો આત્મહત્યા કેમ કરે છે?

અક્રમ વિજ્ઞાન સમજાવે છે કે, લોકો આત્મહત્યા કરવાનું વિચારે છે, એનું મુખ્ય કારણ એ છે કે તેમણે તેમના પાછલા ભાવોમાંથી કોઈ એક ભવમાં આત્મહત્યા કરી હતી. એના કર્મોની અસરો તેના આગળના સાત ભવ સુધી રહે છે. જો કે, તેના પછીના દરેક ભવમાં આ આત્મહત્યાના વિચારોની તીવ્રતા ઓછી થતી જાય છે.જેવી રીતે, ઊંચાઈ પરથી બોલ ફેંકવામાં આવે છે, ત્યારે તેના પ્રત્યેક ઉછાળા પછી તેનું જોર ઓછું થતું જાય છે. અને જેમ જેમ એ બોલ સ્થિર થતો જાય છે, તેમ તેમઆત્મહત્યાના વિચારોનો પણ અંત આવે છે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  11. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  19. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on