આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર આધાર રાખે છે. જ્યારે આપણને વિચારો, કોઈ પણ અવરોધ વગર સ્વાભાવિક રીતે જ આવતા હોય, ત્યારે આપણે શારીરિક અને માનસિક શાંતિ અનુભવીએ છીએ. પરંતું, જો ચિંતાના વિચારો જ વધારે આવતા હોય, ત્યારે તે આપણી અંતરશાંતિમાં ખલેલ પહોંચાડે છે અને એ ધમસાણના કારણે ચંચળતા વધતી જાય છે, જેનાથી આપણે ઉદ્વેગમાં આવી જઈએ છીએ. આવા સંજોગોમાં, વિચારોનું જોર એટલું બધું પ્રબળ હોય છે કે તેથી કરીને આપણે આત્મહત્યા કરવાના વિચારોમાં ડૂબી જઈએ છીએ.
આપણા વિચારો ટ્રેનના પાટા જેવા હોય છે. જ્યારે કોઈ ટ્રેન (આપણું મન), સામાન્ય રીતે કોઈ એક જ ટ્રેક પર (આપણા વિચારો) દોડી રહી હોય, ત્યારે તે મોશનમાં એટલે કે સહજ રીતે આગળ વધે છે અને તેમાં એને કોઈ અવરોધ નડતો નથી. પરંતું, જો ટ્રેનમાં અંદર કોઈ પણ પ્રકારની યાંત્રિક ખામી આવી જાય, તો તે પાટા પરથી ઊતરી શકે છે અને હજારો મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. એવી જ રીતે, જો આપણા વિચારો પણ સંતુલિત હશે, તો પછી આપણે શાંતિ અને સ્થિરતા અનુભવીશું. અને તેનાથી વિપરીત, જો આપણે આપણા વિચારો પર કાબૂ નથી કરી શકતા, તો આપણે આપણી જાતને દુઃખ અને પીડા જ આપીએ છીએ!
અહીં બીજી એક સમાનતા છે: ઈમોશનલપણું કે તણાવની અસર બરફના ગોળા જેવી હોય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે, તેમ તેમ સતત થતી ખરાબ લાગણીઓની અસરોમાં આપણે ઊંડા ઉતરતા જ જઈએ છીએ, જે આત્મહત્યા કરવા તરફ લઈ જતા આપણા વિચારોને પ્રેરણા આપે છે અને ત્યારે આપણને એવું જ લાગે છે કે, આત્મહત્યા કરવા સિવાય હવે બીજો કોઈ જ વિકલ્પ નથી.
જ્યારે વિચારો એક સામાન્ય હદથી આગળ વધે છે, ત્યારે તમે સામાન્યમાંથી અસામાન્ય એટલે કે વધુ પડતા જ ઈમોશનલ બનતા જાઓ છો. તેના પરિણામે, તમે નકારાત્મક વિચારોમાં જ ઘેરાયેલા રહો છો અને મૂંઝવણ, ભય અને અંદર અશાંતિનો અનુભવ કરો છો. નીચે દર્શાવેલ કેટલીક બાબતો છે, કે જે તમને તમારા વિચારો પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ સાબિત થશે.
મનની ઈમોશનલ સ્થિતિ ખૂબ જ નુકસાનકારક અને જોખમી હોઈ શકે છે, જેની અસરોથી તમે આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ શકો છો. તેથી, તમને શેના વિચારો આવે છે તે પ્રત્યે જાગ્રત રહો અને તેવા વિચારોને બદલવાના તમામ પ્રયત્નો કરો. મનના વિચારો એટલી હદ સુધી ના જવા દો, કે જેના કારણે તમે ઈમોશનલ, અસંતુલિત અથવા હતાશ (ડિપ્રેસ) થઈ જાઓ. જો તમે તમારી જાત પરનું નિયંત્રણ ગુમાવતા હોવ એવું લાગતું હોય, તો તાત્કાલિક મદદ માટે સંપર્ક કરો.
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થા ખાસ કરીને, કિશોરવયના છોકરાંઓ અને છોકરીઓ માટે ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઊભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખૂબ જ નજીક છો અને જે હતાશાના (ડિપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events