Related Questions

શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?

આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર આધાર રાખે છે. જ્યારે આપણને વિચારો, કોઈ પણ અવરોધ વગર સ્વાભાવિક રીતે જ આવતા હોય, ત્યારે આપણે શારીરિક અને માનસિક શાંતિ અનુભવીએ છીએ. પરંતું, જો ચિંતાના વિચારો જ વધારે આવતા હોય, ત્યારે તે આપણી અંતરશાંતિમાં ખલેલ પહોંચાડે છે અને એ ધમસાણના કારણે ચંચળતા વધતી જાય છે, જેનાથી આપણે ઉદ્વેગમાં આવી જઈએ છીએ. આવા સંજોગોમાં, વિચારોનું જોર એટલું બધું પ્રબળ હોય છે કે તેથી કરીને આપણે આત્મહત્યા કરવાના વિચારોમાં ડૂબી જઈએ છીએ.

આપણા વિચારો ટ્રેનના પાટા જેવા હોય છે. જ્યારે કોઈ ટ્રેન (આપણું મન), સામાન્ય રીતે કોઈ એક જ ટ્રેક પર (આપણા વિચારો) દોડી રહી હોય, ત્યારે તે મોશનમાં એટલે કે સહજ રીતે આગળ વધે છે અને તેમાં એને કોઈ અવરોધ નડતો નથી. પરંતું, જો ટ્રેનમાં અંદર કોઈ પણ પ્રકારની યાંત્રિક ખામી આવી જાય, તો તે પાટા પરથી ઊતરી શકે છે અને હજારો મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. એવી જ રીતે, જો આપણા વિચારો પણ સંતુલિત હશે, તો પછી આપણે શાંતિ અને સ્થિરતા અનુભવીશું. અને તેનાથી વિપરીત, જો આપણે આપણા વિચારો પર કાબૂ નથી કરી શકતા, તો આપણે આપણી જાતને દુઃખ અને પીડા જ આપીએ છીએ!

અહીં બીજી એક સમાનતા છે: ઈમોશનલપણું કે તણાવની અસર બરફના ગોળા જેવી હોય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે, તેમ તેમ સતત થતી ખરાબ લાગણીઓની અસરોમાં આપણે ઊંડા ઉતરતા જ જઈએ છીએ, જે આત્મહત્યા કરવા તરફ લઈ જતા આપણા વિચારોને પ્રેરણા આપે છે અને ત્યારે આપણને એવું જ લાગે છે કે, આત્મહત્યા કરવા સિવાય હવે બીજો કોઈ જ વિકલ્પ નથી.

ઈમોશનલપણું અથવા તણાવની શરૂઆત થાય ત્યારે તમારે શું કરવું જોઈએ?

જ્યારે વિચારો એક સામાન્ય હદથી આગળ વધે છે, ત્યારે તમે સામાન્યમાંથી અસામાન્ય એટલે કે વધુ પડતા જ ઈમોશનલ બનતા જાઓ છો. તેના પરિણામે, તમે નકારાત્મક વિચારોમાં જ ઘેરાયેલા રહો છો અને મૂંઝવણ, ભય અને અંદર અશાંતિનો અનુભવ કરો છો. નીચે દર્શાવેલ કેટલીક બાબતો છે, કે જે તમને તમારા વિચારો પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ સાબિત થશે.

  • જ્યારે ઉદ્વેગ થવાની શરૂઆત થાય છે, ત્યારે સાથે સાથે અતિ લાગણીશીલ વિચારો પણ આવે છે, આવા સંજોગોમાં તમારે કોઈ પણ નિર્ણય લેવાનું મુલતવી રાખવું જોઈએ. આ પરિસ્થિતમાં લેવાયેલા કોઈ પણ નિર્ણયો તમારા માટે નુકસાનકારક થઈ શકે છે. જ્યારે તમારા વિચારો સ્થિર હોય, ત્યારે જ તમારે કોઈ પણ નિર્ણયો લેવા જોઈએ, કારણ કે, તે સમયે તમારું મન સંતુલિત હોય છે.
  • તમારા વિચારોને બદલો. જો તમારી હાલની માનસિક સ્થિતિ તમને ઈમોશનલ બનાવી રહી હોય, તો પછી તમારા મનને એવી વસ્તુઓ તરફ વાળો કે જે તમને શાંત કરી શકે અને તમારામાં સ્થિરતા લાવી શકે.
  • તમારી જાત સાથે વાત કરો. તમારી જાતને પૂછો કે, આ ઈમોશનલ થવાથી તમે ખુશ છો કે દુઃખી? આવી લાગણીઓની તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? એકવાર તમે ઈમોશનલ (ઉદ્વેગ) થવાની આડઅસરોને ઓળખી લેશો, તો તમે તમારી સામે આવતા કોઈ પણ સંજોગોનો સામનો વધુ સારી રીતે કરી શકશો.
  • સેલ્ફ નેગેટિવિટીથી દૂર રહો. જ્યારે પણ તમારું મન નેગેટિવ વિચારોના વમળોમાં ફસાઈ જાય, ત્યારે તેને પોઝિટિવ વિચારોમાં બદલવાનો પ્રયત્ન કરો.
  • ઈર્ષ્યા, અદેખાઈ અને સ્પર્ધા જેવા ભાવો આપણું મન અશાંત બનાવી શકે છે. આવા સમયે આ ભાવનાઓથી થતો તણાવ સમજો અને તેના પ્રભાવથી બચવાનો પ્રયત્ન કરો.
  • જ્યારે તમને લાગે કે તમે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા છો, ત્યારે તમારા મનને તમારા સૌથી મોટા જીવનના લક્ષ ઉપર કેન્દ્રિત કરો અથવા મંત્રોનો જાપ કરો. તમને અંદરથી જ શાંતિ અને સ્થિરતા અનુભવશો.

મનની ઈમોશનલ સ્થિતિ ખૂબ જ નુકસાનકારક અને જોખમી હોઈ શકે છે, જેની અસરોથી તમે આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ શકો છો. તેથી, તમને શેના વિચારો આવે છે તે પ્રત્યે જાગ્રત રહો અને તેવા વિચારોને બદલવાના તમામ પ્રયત્નો કરો. મનના વિચારો એટલી હદ સુધી ના જવા દો, કે જેના કારણે તમે ઈમોશનલ, અસંતુલિત અથવા હતાશ (ડિપ્રેસ) થઈ જાઓ. જો તમે તમારી જાત પરનું નિયંત્રણ ગુમાવતા હોવ એવું લાગતું હોય, તો તાત્કાલિક મદદ માટે સંપર્ક કરો.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઈક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતના પરિણામો કયા છે?
×
Share on