
આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર આધાર રાખે છે. જ્યારે આપણને વિચારો, કોઈ પણ અવરોધ વગર સ્વાભાવિક રીતે જ આવતા હોય, ત્યારે આપણે શારીરિક અને માનસિક શાંતિ અનુભવીએ છીએ. પરંતું, જો ચિંતાના વિચારો જ વધારે આવતા હોય, ત્યારે તે આપણી અંતરશાંતિમાં ખલેલ પહોંચાડે છે અને એ ધમસાણના કારણે ચંચળતા વધતી જાય છે, જેનાથી આપણે ઉદ્વેગમાં આવી જઈએ છીએ. આવા સંજોગોમાં, વિચારોનું જોર એટલું બધું પ્રબળ હોય છે કે તેથી કરીને આપણે આત્મહત્યા કરવાના વિચારોમાં ડૂબી જઈએ છીએ.
આપણા વિચારો ટ્રેનના પાટા જેવા હોય છે. જ્યારે કોઈ ટ્રેન (આપણું મન), સામાન્ય રીતે કોઈ એક જ ટ્રેક પર (આપણા વિચારો) દોડી રહી હોય, ત્યારે તે મોશનમાં એટલે કે સહજ રીતે આગળ વધે છે અને તેમાં એને કોઈ અવરોધ નડતો નથી. પરંતું, જો ટ્રેનમાં અંદર કોઈ પણ પ્રકારની યાંત્રિક ખામી આવી જાય, તો તે પાટા પરથી ઊતરી શકે છે અને હજારો મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. એવી જ રીતે, જો આપણા વિચારો પણ સંતુલિત હશે, તો પછી આપણે શાંતિ અને સ્થિરતા અનુભવીશું. અને તેનાથી વિપરીત, જો આપણે આપણા વિચારો પર કાબૂ નથી કરી શકતા, તો આપણે આપણી જાતને દુઃખ અને પીડા જ આપીએ છીએ!
અહીં બીજી એક સમાનતા છે: ઈમોશનલપણું કે તણાવની અસર બરફના ગોળા જેવી હોય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે, તેમ તેમ સતત થતી ખરાબ લાગણીઓની અસરોમાં આપણે ઊંડા ઉતરતા જ જઈએ છીએ, જે આત્મહત્યા કરવા તરફ લઈ જતા આપણા વિચારોને પ્રેરણા આપે છે અને ત્યારે આપણને એવું જ લાગે છે કે, આત્મહત્યા કરવા સિવાય હવે બીજો કોઈ જ વિકલ્પ નથી.
જ્યારે વિચારો એક સામાન્ય હદથી આગળ વધે છે, ત્યારે તમે સામાન્યમાંથી અસામાન્ય એટલે કે વધુ પડતા જ ઈમોશનલ બનતા જાઓ છો. તેના પરિણામે, તમે નકારાત્મક વિચારોમાં જ ઘેરાયેલા રહો છો અને મૂંઝવણ, ભય અને અંદર અશાંતિનો અનુભવ કરો છો. નીચે દર્શાવેલ કેટલીક બાબતો છે, કે જે તમને તમારા વિચારો પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ સાબિત થશે.
મનની ઈમોશનલ સ્થિતિ ખૂબ જ નુકસાનકારક અને જોખમી હોઈ શકે છે, જેની અસરોથી તમે આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ શકો છો. તેથી, તમને શેના વિચારો આવે છે તે પ્રત્યે જાગ્રત રહો અને તેવા વિચારોને બદલવાના તમામ પ્રયત્નો કરો. મનના વિચારો એટલી હદ સુધી ના જવા દો, કે જેના કારણે તમે ઈમોશનલ, અસંતુલિત અથવા હતાશ (ડિપ્રેસ) થઈ જાઓ. જો તમે તમારી જાત પરનું નિયંત્રણ ગુમાવતા હોવ એવું લાગતું હોય, તો તાત્કાલિક મદદ માટે સંપર્ક કરો.
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
A. કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
Q. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events
