ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું નામ ક્રોધ. એટલે પહેલાં પોતે સળગે અને પછી પાડોશીને સળગાવે.
મોટા મોટા ઘાસના પૂળા કોઈના ખેતરમાં બધા ભેગા કર્યા હોય, પણ એક જ દીવાસળી નાખવાથી શું થાય ?
પ્રશ્નકર્તા : બળી જાય.
દાદાશ્રી : એવું એક ફેરો ક્રોધ કરવાથી આખું છે તે, બે વર્ષમાં કમાયો હોય તે ધૂળધાણી કરી નાખે. ક્રોધ એટલે પ્રગટ અગ્નિ. એને પોતાને ખબર ના પડે કે મેં ધૂળધાણી કરી નાખ્યું. કારણ કે બહારની વસ્તુઓ ઓછી ના થઈ જાય, અંદર બધું ખલાસ થઈ જાય, આવતા ભવની બધી તૈયારી હોય ને, તેમાં થોડું વપરાય જાય. અને પછી બહુ વપરાઈ જાય તો શું થાય ? અહીં મનુષ્ય હતો, ત્યારે રોટલી ખાતો'તો, પાછો ત્યાં રાડાં(ઘાસ) ખાવા (જાનવરમાં) જવું પડે. આ રોટલીમાંથી રાડાં ખાવા જવું પડે, એ સારું કહેવાય ?
વર્લ્ડમાં કોઈ માણસ ક્રોધને જીતી શકે નહીં. ક્રોધના બે ભાગ, એક કઢાપા રૂપે અને બીજો અજંપા રૂપે. જે લોકો ક્રોધને જીતે છે તે કઢાપા રૂપે જીતે છે. આમાં એવું હોય છે કે એકને દબાવે તો બીજો વધે અને કહે કે મેં ક્રોધને જીત્યો એટલે પાછું માન વધે. ખરી રીતે ક્રોધ સંપૂર્ણ રીતે નથી જીતાતો. દ્રશ્ય (દેખાય તેવા) ક્રોધને જીત્યો કહેવાય.
Q. શું ક્રોધ એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય?
A. પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ? દાદાશ્રી... Read More
Q. શા માટે લોકો ગુસ્સે થઈ જાય છે?
A. સામાન્યપણે આપણું ધાર્યું ના થાય, આપણી વાત સામો સમજતો ના હોય, ડીફરન્સ ઓફ વ્યુ પોઈન્ટ થાય, ત્યારે... Read More
A. ક્રોધમાં તાંતો હોય તેને જ ક્રોધ કહેવાય. દા.ત. ધણી-ધણીયાણી રાત્રે ખૂબ ઝઘડ્યા, ક્રોધ જબરજસ્ત ભભૂકી... Read More
Q. આપણાથી ક્રોધ થઈ જાય તો કેવી રીતે સુધારવું?
A. પ્રશ્નકર્તા : આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ? દાદાશ્રી : એવું છે ને... Read More
Q. હું ક્રોધ કરી કરીને થાકી ગયો છું. હું કેવી રીતે ક્રોધમાંથી મુક્ત થઈ શકું?
A. લોકો કહે છે, આ મારા ક્રોધની દવા શું કરવી ? મેં કહ્યું, તમે અત્યારે શું કરો છો ? ત્યારે કહે, ક્રોધને... Read More
Q. તમારા જીવનમાંથી કેવી રીતે ક્રોધને દૂર કરી શકાય?
A. કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે... Read More
Q. પારસ્પરિક સંબંધોમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો?
A. પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કોની ઉપર કરીએ, ઓફિસમાં સેક્રેટરી ઉપર ક્રોધ ના કરીએ અને હોસ્પિટલમાં નર્સ... Read More
Q. હું ક્રોધ પર કેવી રીતે નિયંત્રણ કરી શકું?
A. પ્રશ્નકર્તા : મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધિત થઈ જાઉં. એ કદાચ એની દ્રષ્ટિએ સાચો પણ હોય.... Read More
Q. શું તમે ક્રોધમાંથી મુકત થવા માંગો છો? – આત્મજ્ઞાન પ્રાપ્ત કરો!
A. આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ-માન-માયા-લોભ કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! 'પોતે કોણ છે' એનું... Read More
subscribe your email for our latest news and events