અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી આપણા મહી રહેલો મતભેદ ઉભો થાય છે. અનિર્વાયપણે આના પરિણામ રૂપે અથડામણો, સંઘર્ષો, અસહમતી, સમજણનો અભાવ વર્તે છે જે લગ્ન જીવનમાં આંતરિક જુદાઈ અને છેવટે ડિવોર્સ તરફ લઇ જાય છે.
તો ચાલો, આપણે પરમ પૂજ્ય દાદાશ્રીની દ્રષ્ટિએ લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના પ્રત્યેક કારણોને સમજીએ:
સમજણનો અભાવ
હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી ઘરમાં ? તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય. કેટલાય માણસોને આવું ! શું થાય તે પણ ? છૂટકો જ નહીં ને ! અણસમજણથી બધું છૂટું થઈ જાય અને પોતાનું ઝાલેલું છોડે નહીં અને અણસમજણની વાત હોય બધી. એમાં પછી હું સમજણ પાડું ત્યારે કહેશે, ના. ત્યારે તો એવું નથી, એવું નથી.
પ્રશ્નકર્તા: આમેય ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય.
દાદાશ્રી: એવું છૂટાછેડા જેવું જ.
પ્રશ્નકર્તા: તમે બધાને ભેગા કરી આલ્યા.
દાદાશ્રી: એક અવતાર નભે કે ના નભે ? ઉકેલ લાવોને જ્યાં ત્યાંથી. એક અવતાર માથે પડ્યા તો માથે પડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ !
અભિપ્રાયરૂપી મતભેદ
અવતરણ ૧:
દાદાશ્રી: 'વાઇફ' જોડે મતભેદ પડે છે ?
પ્રશ્નકર્તા: હા, ઘણી વાર પડે.
દાદાશ્રી: 'વાઇફ' જોડે પણ મતભેદ થાય ? ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે. એટલી એકતા કરવી જોઇએ. એવી એકતા કરી છે તમે ?
પ્રશ્નકર્તા: આવું કોઇ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.
દાદાશ્રી: હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! મતભેદ ગમે છે ?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી: મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તે મતભેદમાં આવું થાય છે તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય, ડાઇવોર્સ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !
અવતરણ ૨:
મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, 'ડિવોર્સ' લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !
પ્રશ્નકર્તા: વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ?
દાદાશ્રી: એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે !
પ્રશ્નકર્તા: મતભેદ ઓછો રહે તો એ સારું ને ?
દાદાશ્રી: માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે 'તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું.
અસહમતી પરિણમે છુટાછેડામાં
આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું' પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર 'પ્રોબ્લેમ' વધે તેમ જુદું થતું જાય. 'પ્રોબ્લેમ' 'સોલ્વ' થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુઃખ છે. અને બધાંને 'પ્રોબ્લેમ' ઊભા થવાના, તમારે એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી, તેને 'પ્રોબ્લેમ' ઊભા થયા વગર રહે નહીં. અને ઘણા બધા પ્રસંગોમાં, ડિવોર્સ થવા પાછળનું આ એક મોટું કારણ હોય છે.
તમારા લગ્નજીવનમાં ઉભી થતી સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ મેળવવા આ ક્લિક કરો:
Q. સુખી લગ્નજીવન કેવી રીતે કરવું ?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને તેમના ધર્મપત્ની હીરાબાનું લગ્નજીવન સંપૂર્ણ શાંતિ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. તેઓના વર્તન અને વ્યવહાર રસાળ હતા. એટલા માટે...Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જયારે તમારા લગ્ન થાય છે ત્યારે તમે તમારા મનમાં આદર્શ લગ્નજીવનનું ચિત્રપટ્ટ દોરો છો, “મારુ લગ્નજીવન આવું હશે ને તેવું હશે.” પણ ધીમે-ધીમે આદર્શ લગ્નજીવનનું...Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી ?
A. આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ/પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા ઘટી ગઈ છે. અને જયારે અથડામણ થાય છે ત્યારે વધુ ગુંચવાળા ઉભા થાય છે. એના...Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી વ્યવહાર કુશળતાનો કેવી રીતે વિકાસ કરવો એ શીખવા માટે વર્કશોપ્સ...Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડે, એવી પરીસ્થિતિ ઉભી થઈ શકે કે, જયારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો કરવો પડે. ભાવનાત્મકરૂપે તેમની સાથે નજીકથી જોડાયેલ હોવાથી,...Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ ખુબ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ હોય છે કે પત્ની કચકચ કરે છે અને પત્નીની એવી ફરિયાદ હોય છે...Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતે કે તમારા પતિ/પત્ની ને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો એ બાબત વિષે તમારે જાગૃત રહેવું જોઈએ. જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે જ ખર્ચ થાય તેવું ધ્યાન...Read More
Q. શું મારે છુટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છુટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એક વાર એવો વિચાર આવતો હશે કે, ‘શું મારે છુટાછેડા લેવા જોઈએ?’ “શું છુટાછેડા” એ...Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી આવું જ થાય એવું પણ અનુભવ્યું હશે ? ત્યારે કેવી લાગણી...Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબ્બર
A. આપણે ઘણી વખત આપણા પતિ/પત્ની સાથેના વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા ના હોય તો પણ આપણા વાણી-વિચાર વ્યવહારથી આપણે તેમને દુઃખ...Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય છે કે, લોકોને મનમાં ઘણાં બધા પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થાય કે પરણી જવું સારું કે તેઓએ ડેટ પર જવું જોઈએ? જો કોઈએ પરમ પૂજ્ય દાદાશ્રી ને...Read More
Q. જીવનસાથી ની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવા આપણે મોટા થઈએ છીએ કે આપણને કલ્પનાઓ શરુ થાય છે કે આપણે કેવા જીવનસાથી સાથે...Read More
subscribe your email for our latest news and events