
ઘણીવાર વ્યવહારમાં આપણી વાણીથી કે વર્તનથી આપણા જીવનસાથીને દુઃખ અપાઈ જતું હોય છે. ક્યારેક એમના માટે નેગેટિવ વિચારો કરવાથી પણ જાણતા-અજાણતા એમને દુઃખ પહોંચતું હોય છે. પછી ધીમે ધીમે એમનું આપણા તરફનું વર્તન પણ બદલાવા લાગે છે જેની આપણા લગ્નજીવન પર નેગેટિવ અસર પડે છે. આનું કારણ એ છે કે એમને કોઈ રીતે આપણાથી દુઃખ થઈ ગયું છે. આવા સંજોગોમાં આપણે કઈ રીતે લગ્નજીવનને સાચવી શકીએ? એવી કોઈ રીત છે કે જેનાથી આપણે જીવનસાથીને અપાયેલું દુઃખ ભૂંસી શકીએ? હા! હૃદયપૂર્વક માફી માંગવાથી!
પતિ-પત્ની વચ્ચે થતી નાની અથડામણ કે ઝઘડાને આપણે સામાન્ય માનીને ગણકારતા નથી. ઝઘડા થયા પછી પણ એ જ વ્યક્તિ સાથે, એ જ ઘરમાં રહેવાનું હોય ત્યારે અથડામણ કે ઝઘડો કરવાનો કોઈ અર્થ જ નથી. આવું થાય ત્યારે પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને માફી માંગવાની અનોખી સમજણ આપતા કહે છે:
અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી ‘વાઈફ’ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો ‘વાઈફ’ જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું? એ વિચાર કરવો પડે ને? સહુથી પહેલા ધણીએ માફી માગવી. ધણી મોટા મનનો હોય.
લગ્નજીવનમાં અહમ્ને લીધે કકળાટ કે અથડામણ થઈ જતાં હોય છે. અહમ્ ખોટો છે એ આપણને ખબર હોવા છતાં આપણે તેમાંથી બહાર નથી નીકળી શકતા. આવો જ પ્રશ્ન લઈને આવેલા એક ભાઈને પરમ પૂજ્ય દાદાશ્રી ખૂબ જ પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે:
પ્રશ્નકર્તા: આ અહમ્ ખોટો છે, એવું આપણે કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છે ને સંત પુરુષો કહે છે, છતાં એ અહમ્ જતો કેમ નથી?
દાદાશ્રી: અહમ્ જાય ક્યારે, એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએ ત્યારે જાય. વાઈફની જોડે કકળાટ થતો હોય, તો આપણે સમજી જવું કે આ આપણો અહમ્ ખોટો છે. એટલે આપણે રોજ એ અહમ્થી જ પછી એની માફી માંગ માંગ કરવી અંદર, એટલે એ અહમ્ જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએ ને?
અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે ‘એડજસ્ટ’ થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી વાઈફને હૉટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.
પરમ પૂજ્ય દાદાશ્રી લગ્નજીવનમાં એડજસ્ટ કરવાની સુંદર ચાવી આપે છે:
જેમ તેમ કરીને ‘એડજસ્ટ’ થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, ના છૂટકેય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તોય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તોય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવેને! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાંય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમનેય પાછા આપણે ના ગમતા હોઈએ!
આપણને પતિ કે પત્ની સાથે રહેવું બિલકુલ ગમતું જ ન હોય, છતાં ફરજિયાત રહેવું જ પડતું હોય ત્યારે શું કરવું જોઈએ? એમની સાથે બહાર વ્યવહાર રાખવા છતાં અંદર ને અંદર માફી માંગવાથી કેવો ફેરફાર થઈ જાય છે તે વિશે પરમ પૂજ્ય દાદાશ્રી અદ્ભુત ચાવી આપે છે:
”અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે. નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા હોય, તેની ‘હે ભગવાન હું ક્ષમા માગું છું.’ આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તેની અંદર તમે માફી માંગ માંગ કરો ભગવાન પાસેથી તો બધું ધોવાઈ જશે.”
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વર્તવું?
A. કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ... Read More
Q. લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?
A. જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે... Read More
Q. છૂટાછેડા થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે... Read More
Q. શું મારે છૂટાછેડા લેવા જોઈએ?
A. આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે, “શું મારે છૂટાછેડા... Read More
Q. શું પતિ-પત્નીના સંબંધમાં એકબીજાની ભૂલો જોવી યોગ્ય છે?
A. એવું કેટલી વાર બન્યું હશે કે તમે પાર્ટનરને એમની ભૂલો બતાડવાનું મન થયું હોય અથવા તમારી સાથે એવું... Read More
Q. શું લગ્ન પહેલાં ડેટિંગ કરવું જોઈએ કે નહીં?
A. લગ્નની ઉંમર થાય ત્યારે લોકોને મનમાં ઘણા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, “લગ્ન કરી લેવા જોઈએ કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. જીવનસાથીની પસંદગી, એ આપણા માટે સૌથી અઘરો નિર્ણય બની રહે છે. લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે કેવા... Read More
subscribe your email for our latest news and events
