Related Questions

સુખી લગ્નજીવન કેવી રીતે કરવું ?

પરમ પૂજ્ય દાદાશ્રી અને તેમના ધર્મપત્ની હીરાબાનું લગ્નજીવન સંપૂર્ણ શાંતિ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. તેઓના વર્તન અને વ્યવહાર રસાળ હતા. એટલા માટે કુટુંબીજનો અને મિત્રો તેઓની અરસપરસની એકતા અને પ્રેમને જોતા. દાખલા તરીકે, હીરાબા રોજ શાક લેવા બજારમાં જતા, ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછે કે ‘શું શાક લાવું ?’ અને દાદાશ્રી કહે, ‘જે ઠીક લાગે તે.’ આવી ગોઠવણીપૂર્વક બંને જવાબદારી પૂરી કરતા. દાદાશ્રીને પૂછવાનો આ ધર્મ, હીરાબાએ છેક સુધી ખૂબ ઈમાનદારીપૂર્વક નીભાવ્યો.

તેઓ દરેક વ્યવહાર સિન્સિયારિટીથી પૂરો કરતા. આ વ્યવહારમાં સંજોગો કે વ્યક્તિઓના કારણે કોઈ વધારો કે ઘટાડો થયો ન હતો. તેઓનો એકબીજા માટેનો પૂજ્યભાવ આખી જિંદગી સમજણપૂર્વકનો રહેલો. તેઓના વચ્ચેની વિનમ્રતા વિચારપૂર્વકની અને સમજણપૂર્વકની હતી.

ઉપરોક્ત જણાવેલ, પરમ પૂજ્ય દાદાશ્રીના આદર્શ જીવનનું ફક્ત એક ઉદાહરણ છે. એમના દ્વારા નીચે દર્શાવેલી ચાવીઓ વાપરીને, તમે પણ તમારું લગ્નજીવન સુખી કેવી રીતે કરવું તે જાણી શકશો.

married life

મિત્ર તરીકે રહો, નહિ કે પતિ-પત્ની

એક સાચી મિત્રતામાં ક્યારેય ભેદ પડતો નથી. જેવી રીતે તમારા અને તમારા મિત્રની વચ્ચે કશું ન આવવા દો, એવી જ રીતે પતિ-પત્ની સાથેના વ્યવહાર પણ એવો આદર્શ હોવો જોઈએ. જો તમે તમારા મિત્રની કાળજી ના રાખો તો તમારી મિત્રતા લાંબી ન ટકે. પતિ-પત્નીને મિત્ર તરીકે ગણવામાં આવે છે. તેથી તેઓ બન્નેએ બે મિત્રોની જેમ તેમના ઘરને ચલાવવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચેનાં વ્યવહારમાં શાંતિ હોવી જોઈએ. જો એ સંબંધમાં કોઈ દુઃખ હોય તો, એ એક આદર્શ પતિ-પત્નીનો સંબંધ ગણી શકાય નહિ. જો મિત્રો એકબીજાને દુઃખ ન થાય એવું ધ્યાન રાખતા હોય તો પતિ-પત્ની એ એવું ધ્યાન ન રાખવું જોઈએ ? પતિ-પત્ની વચ્ચેની મિત્રતા એ સર્વશ્રેષ્ઠ મિત્રતા છે.

પ્રશંસાભર્યા શબ્દ વાપરો

જો તમારી પત્ની તમારાથી નારાજ થઇ જાય તો, થોડી ક્ષણોની રાહ જુઓ અને પછી તેમને કહો, “તમે મને કંઈપણ કહો એનો વાંધો નહિ અને તમે મારાથી ગમે તેટલું નારાજ હોવ એનો પણ વાંધો નહિ, પરંતુ તમારી ગેરહાજરીમાં અમને તમારી ઉણપ વર્તાય છે.” પત્નીને કહેવું કે તમને એનાથી જુદા પડવું ગમતું નથી. બસ આમ આગળ વધવું અને આ “ગુરુમંત્ર” કહેવો. (શબ્દો એવા જે પરિણામ આપે). સુખી લગ્નજીવન જીવવા માટે તમારી પત્ની સાથે પ્રેમ અને પ્રશંસાભર્યો વ્યવહાર કરવો આવશ્યક છે. આવું કરવામાં વાંધો શો છે ? ભલે તમે મોટા ભાગનો પ્રેમ તમારા સુધી સિમીત રાખો, પણ એમાંથી થોડો વ્યક્ત કરતી વખતે એમ કહેવું કે, તમને તેનાથી દૂર જવું નથી ગમતું.   

સુમેળ સાધો લગ્નજીવનમાં

કોઈ પણ જીવમાત્રને કિંચિતમાત્ર પણ દુઃખ ના હો એ અંતિમ દશાનું જ્ઞાન છે. પછી ભલે આપણો કાયમનો વિરોધ પક્ષી હોય પરંતુ તે પણ શાંત થઈ જાય અને કહે કે, “ આપણી વચ્ચે મતભેદ છે પણ, સાથે મને તમારી માટે આદર પણ એટલો જ છે.“ પ્રત્યેકનો મત સરખો નથી હોતો. દરેકની વિચારસરણી એકસરખી હોઈ શકે નહિ. ઘરમાં, તમારો વ્યવહાર સુમેળભર્યો હોવો જોઈએ. તમારી પત્નીને એવું લાગવું જોઈએ કે તમારા જેવા પતિ એમને ક્યારેય નહિ મળે અને તમને એવું લાગવું જોઈએ કે એમના જેવી પત્ની તમને ક્યારેય નહીં મળે, જયારે આવું થશે ત્યારે તમારુ લગ્ન જીવન સાર્થક ગણાશે. 

ટાળો ડખોડખલ

જેમ નોકરીમાં તમારી જવાબદારીઓની ભેદરેખા નક્કી થયેલી હોય છે, તેમ લગ્નજીવનની જવાબદારીઓની ભેદરેખા પણ તમારી પાસે હોવી જોઈએ. એકવાર એ સ્પષ્ટ થઇ જાય કે કોના ડિપાર્ટમેન્ટમાં શું આવે છે, પછી તમારે બીજાના ડિપાર્ટમેન્ટમાં ડખલ ન કરવી જોઈએ. પુરુષે, સ્ત્રીના કામમાં અને સ્ત્રીએ, પુરુષના કામમાં ડખલ ન કરવી જોઈએ. બંન્નેએ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં જ રહેવું જોઈએ. તેમ છતાં, જો તમને લાગે કે તમારા પતિ/પત્ની તેની જવાબદારીઓને પહોંચી નથી વળતા, તો પછી ચોક્કસ તમારે એમને મદદરૂપ થવું જ જોઈએ. તો જ તમારું લગ્નજીવન સુખી થઈ શકશે. 

વફાદારી લગ્નજીવનમાં

તમારી પત્ની સિવાય બીજા કોઈની સાથે શારીરિક સંપર્ક કે સંબંધ ન હોવો જોઈએ. સૌથી વધારે જોખમ જો કંઈ હોય તો એ, એ છે કે બીજાના પતિ કે પત્ની પાસેથી સુખ લેવું. તમારી પોતાની પત્નીનો વાંધો નથી. ત્યારપછી જ કહી શકાશે કે તમે તમારી પત્નીને સિન્સિયર છો.  

જીવનસાથી સાથે સંબંધ સુધારો 

એકવાર એક પતિએ પરમ પૂજ્ય દાદાશ્રીને ફરિયાદ કરી કે, તેમની પત્ની, તેમના માતા-પિતા સાથે રહેવા પણ નથી ઈચ્છતી અને તેમને બોલાવવા પણ નથી ઈચ્છતી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમનું અને તેમની પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું અને સંબંધો જળવાઈ રહે એવું માર્ગદર્શન આપ્યું. તેમણે એવી સલાહ આપી કે તેઓ, તેમની પત્નીના માતા પિતાને બોલાવી તેની કાળજીપૂર્વક સંભાળ રાખે. તમારી પત્ની સાથેના સંબંધમાં એવી રીતે સુમેળ સાધો કે તે સ્વ રીતે જ તમારા માતા-પિતાની સંભાળ રાખવાનું કહે.

એકમત થાઓ

જ્ઞાની પુરુષ, આપણને સહુને મતભેદના કારણે સંબંધો ન તૂટે એ માટેની ચાવી આપતા કહે છે કે, “આપણે સહુ એક સમાન છીએ, આપણા વચ્ચે કોઈ ભેદ નથી.” આ વાક્યને દરરોજ સવારે પાંચ વાર બોલવું, જેથી એક દિવસ એવો સમય આવશે, જયારે તમને કોઈ વ્યક્તિ સાથે કિંચિતમાત્ર પણ મતભેદ નહિ રહે.     

નીચેના અવતરણો, પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા થયેલા સત્સંગોમાંથી છે.  

1) દાદાશ્રી: મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ?

પ્રશ્નકર્તા: રખાય નહીં, પણ રહે.

દાદાશ્રી: તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી, શાદી કરી તો એક થઈ જાવ.

2) પ્રશ્નકર્તા: આવા મતભેદ બંધ કરવાનો શું રસ્તો બતાડો છો ?

દાદાશ્રી: આ તો હું રસ્તો એ બતાવું કે 'એડજસ્ટ એવરીવ્હેર' ! એ કહે કે, 'ખીચડી બનાવી છે.' તો આપણે 'એડજસ્ટ' થઈ જવું. અને તમે કહો કે 'ના, અત્યારે આપણે બહાર જવું છે.સત્સંગમાં જવું છે.' તો એમણે 'એડજસ્ટ' થઈ જવું જોઈએ. જે પહેલું બોલે, તેને આપણે એડજસ્ટ થઈ જવું.

જીવનને સુધારવાની તક:

  • કામકાજના દિવસ દરમ્યાન

ઘરેથી નીકળતા સમયે કલેશ ન થાય એની તકેદારી રાખવી અને તમારા કામકાજ સંબંધિત જે કલેશ તમને ઉપરી સાથે હોય, તેનું સમાધાન ઘરે પહોંચતા સુધી મનમાં જ લાવી નાખવું. તમારા કામકાજની સમસ્યાઓને કામકાજના સ્થળે જ રાખવા. ઘરમાં શાંત મને પ્રવેશ કરવો. ઘરમાં કોઈના નિમિત્તે કલેશ ના કરવા. જો તમે તમારા ઉપરી સાથે ઝઘડો કરો, તો એમાં બિચારા તમારા પતિ/પત્નીનો શો વાંક ?

  • રજાના દિવસો દરમ્યાન 

જયારે તમને રજા હોય, તે દિવસે તમારા પરિવાર સાથે બહાર જવું. ઘરે સ્વાદિષ્ટ ભોજન બનાવી, એમની સાથે જમવાની હળવી પળોને માણી પછી તેમને બહાર ફરવા લઈ જવું. આ રીતે તમારા ખર્ચને સીમિત પણ રાખી શકો છો. ક્યારેક જો વધારે ખર્ચો કરવો પડે, તો તમેં બજેટ કરી શકો. આ બધાંનો નિર્ણય તમારે તમારા પતિ/પત્નીની સંમતિથી લો તો ઉત્તમ પરિણામ આવે.

×
Share on