પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના વ્યવહાર અને વર્તન એટલા આદર્શ હતા કે એમની અભેદતા અને પ્રેમથી એમના મિત્રો તથા સગાંસંબંધી પણ પરિચિત હતા. જેમ કે, હીરાબા રોજ શાક લેવા જતા ત્યારે તેઓ પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછતા કે, “શું શાક લાવું?” આમ, દાદાશ્રીને પૂછીને તેઓ પોતાની ફરજ બજાવતા. અને દાદાશ્રી પણ એમને જવાબમાં કહેતા કે, “તમને જે ઠીક લાગે તે લાવજો.” આ રીતે દાદાશ્રી એમની ફરજ નિભાવતા. પરમ પૂજ્ય દાદાશ્રીને કાયમ પૂછીને જ જવાનો આ રિવાજ, હીરાબાએ આખી જિંદગી સિન્સિયરલી નિભાવ્યો હતો.
એમનો દરેક વ્યવહાર સિન્સિયર હતો. કોઈ પણ સંજોગ કે વ્યક્તિના કારણે એમનો વ્યવહાર અને વર્તન વધતા કે ઘટતા નહોતા. એમની વચ્ચેનો આ વિનયપૂર્ણ વ્યવહાર ફક્ત દેખાડા માટે નહીં, પણ સમજણપૂર્વક હતો.
ઉપર દર્શાવેલ પ્રસંગ એ પરમ પૂજ્ય દાદાશ્રીના આદર્શ જીવનનું એક ઉદાહરણ માત્ર છે. એમના દ્વારા દર્શાવેલ નીચે મુજબની સરળ ટીપ્સથી તમે પણ સુખી લગ્નજીવન કઈ રીતે જીવવું એ શીખી શકશો.
મતભેદ ના પડે એનું નામ સાચા કમ્પેનિયન. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા, તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય. મિત્રાચારી એટલે મિત્રાચારી. પતિ-પત્ની બે મિત્રો જ કહેવાય. એટલે, એમણે મિત્રાચારીથી ઘર ચલાવવાનું હોય. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. સાચી ફ્રેન્ડશીપમાં એવું નથી થતું, તો પતિ-પત્ની એવું કઈ રીતે કરી શકે? પતિ-પત્નીની ફ્રેન્ડશીપ મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય!
જો તમારી પત્ની તમારાથી નારાજ થઈ જાય તો થોડીવાર પછી, “તું ગમે તે વઢે, તોય તારા વગર મને ગમતું નથી.” એમ કહી દેવું. આટલો ગુરુમંત્ર કહી દેવો. લગ્નજીવનને સુખી બનાવવા માટે આવું બોલવું! બોલવામાં વાંધો શું? તારા વગર ગમતું નથી એવું કહી દેવું! મનમાં પ્રેમ રાખવો, પણ થોડું ખુલ્લું કરવું.
કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી ‘લાઈટ’ કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોય ને એ એમ તો કહે કે, ‘ભાઈ આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે’ એવું કહે છેવટે! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચારશ્રેણી પર માણસ આવી શકે નહીં. ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. પત્નીના મનમાં એમ થાય કે આવો પતિ નહીં મળે કોઈ દહાડો અને પતિના મનમાં એમ થાય કે આવી પત્ની પણ ક્યારેય ના મળે! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા અને ત્યારે જ લગ્નજીવન સાર્થક ગણાય!
જેમ નોકરી કે ધંધામાં તમારી જવાબદારીઓ નક્કી હોય છે, એમ જ લગ્નજીવનમાં પણ જવાબદારીઓ નક્કી થયેલી હોવી જોઈએ. કયું કામ કયા ડિપાર્ટમેન્ટનું છે, એ એકવાર નક્કી થઈ જાય કે પછી તમારે બીજાના ડિપાર્ટમેન્ટમાં ડખલ કરવી જોઈએ નહીં. પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો અને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાના ‘ડિપાર્ટમેન્ટ’માં જ રહેવું. તેમ છતાં, જો તમને એવું લાગે કે તમારા જીવનસાથી તેમની જવાબદારીને પહોંચી નથી વળતા, તો ચોક્કસપણે, તમારે એમની મદદ કરવી જોઈએ. તો જ તમારું લગ્નજીવન સુખી બનશે.
પરિણીતોમાં પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ, કોઈ બીજાનો વિચાર પણ ન આવવો જોઈએ. પરસ્ત્રી અને પરપુરુષ એ મોટામાં મોટું જોખમ છે. તમારા પોતાના જીવનસાથી સાથે કંઈ જ જોખમ નથી. તો જ તમે તમારા જીવનસાથી સાથે સિન્સિયર રહ્યા કહેવાય.
એકવાર એક પતિએ પરમ પૂજ્ય દાદાશ્રીને ફરિયાદ કરી કે એમની પત્ની એમના માતા-પિતાની સાથે રહેવા કે એમને બોલાવવા પણ માંગતી નથી. પરમ પૂજ્ય દાદાશ્રીએ પછી પેલા પતિને સમજાવીને અને કળાપૂર્વક કામ લેવાનું કહ્યું. પત્નીના મા-બાપને ઘરે બોલાવીને ખૂબ સેવા કરવા કહ્યું. પત્ની સાથે સંબંધ એવો સરસ કરી દેવો કે પત્ની જ કહે કે તમારા મા-બાપનું ધ્યાન રાખો.
મતભેદ ટાળવા માટે જ્ઞાની પુરુષ ચાવી આપે છે કે,‘આપણે બધા એક છીએ અને આપણામાં જુદાઈ નથી.’ આટલું દરરોજ પાંચ વખત સવારમાં બોલવું. તો એક દહાડો કોઈની જોડે મતભેદ નહીં રહે એવો સમય આવશે.
નીચે દર્શાવેલ સંવાદ પરમ પૂજ્ય દાદાશ્રી સાથે થયેલા પ્રશ્નોત્તરી સત્સંગમાંથી લેવામાં આવ્યો છે.
1) દાદાશ્રી: મત જ નહીં રાખવો જોઈએ. વળી બંનેએ શાદી કરી પછી મત જુદો કેવો? બંનેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે?
પ્રશ્નકર્તા: રખાય નહીં પણ રહે.
દાદાશ્રી: તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે? નહીં તો શાદી નહોતી કરવી, શાદી કરી તો એક થઈ જાવ.
2) પ્રશ્નકર્તા: આવા મતભેદ બંધ કરવાનો આપ શું રસ્તો બતાડો છો?
દાદાશ્રી: આ તો હું રસ્તો બતાવું છું કે ‘એડજસ્ટ એવરીવ્હેર’. એ કહે કે, ‘ખીચડી બનાવવી છે.’ તો આપણે ‘એડજસ્ટ’ થઈ જવું. અને તમે કહો કે ‘ના, અત્યારે આપણે બહાર જવું છે. સત્સંગમાં જવું છે.’ તો એમણે ‘એડજસ્ટ’ થઈ જવું જોઈએ. જે પહેલું બોલે, તેને આપણે એડજસ્ટ થઈ જવું.
૧) ઘરમાં તો વ્યવહાર સારો જ રાખવો જોઈએ ને! પોતાના ખેતરનો છોડવો ના વટાય એ આપણે ખ્યાલ રાખીએ છીએ ને?!
૨) ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.
કલેશ રહિત શાંતિપૂર્ણ જીવન જીવવાની વધુ ચાવીઓ મેળવો - “કલેશ રહિત જીવન” આ પુસ્તક દ્વારા.
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events