પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ?
દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર સહિત હોય. ગુસ્સો ને અહંકાર બે ભેગું થાય ત્યારે ક્રોધ કહેવાય અને છોકરા જોડે બાપ ગુસ્સે થાય એ ક્રોધ ના કહેવાય. એ ક્રોધમાં અહંકાર ના ભળે. માટે એ ગુસ્સો કહેવાય. ત્યારે ભગવાને કહ્યું કે ભઈ, આ ગુસ્સો કરે તો ય એનું પુણ્ય જમે કરજો. ત્યારે કહે છે, આ ગુસ્સો કરે છે તો ય ? ત્યારે કહે, ના, ક્રોધ કરે તો પાપ છે, ગુસ્સાનું પાપ નથી. ક્રોધમાં અહંકાર ભળેલો હોય અને તમારે ગુસ્સો થાય ને, તો મહીં તમને ખરાબ લાગે છે ને ?
ક્રોધ-માન-માયા-લોભ બે જાતનાં હોય છે.
એક પ્રકારનો ક્રોધતે વાળી શકાય તેવો - નિવાર્ય. કોઈની ઉપર ક્રોધ આવ્યો હોય તો તે અંદરને અંદર ફેરવી શકાય અને તેને શાંત કરી શકાય તે વાળી શકાય તેવો ક્રોધ. આ સ્ટેજે પહોંચે તો વ્યવહાર ઘણો જ સુંદર થઈ જાય !
બીજા પ્રકારનો ક્રોધ તે વાળી ના શકાય તેવો-અનિવાર્ય. ઘણો પ્રયત્ન કરે પણ કોઠી ફૂટ્યા વગર રહે જ નહીં ! તે વાળી ના શકાય તેવો અનિવાર્ય ક્રોધ. આ ક્રોધ પોતાનું અહિત કરે ને સામાનું ય અહિત કરે !
ભગવાને ક્યાં સુધીનો ક્રોધ ચલાવી લીધો છે સાધુઓ માટે, ચારિત્રવાળા માટે કે જ્યાં સુધીનો ક્રોધ સામા માણસને દુઃખદાયી ન થઈ પડે, એટલા ક્રોધને ભગવાને ચલાવી લીધો છે. મારો ક્રોધ મને એકલાને દુઃખ આપે પણ બીજા કોઈને દુઃખ ના આપે એટલો ક્રોધ ચલાવી લીધો છે.
Q. સંબંધોમાં ક્રોધ થવાનું કારણ શું છે?
A. પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ? દાદાશ્રી : દેખાતું... Read More
Q. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવીરીતે વર્તવું?
A. ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ... Read More
Q. પતિ-પત્નીનાં સંબંધોમાં ક્રોધની સામે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના... Read More
Q. કામ-કાજની જગ્યા પર મને શા માટે ક્રોધ આવે છે?
A. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભની ખરેખરી રક્ષક માયા અને માનનો ખરેખર... Read More
Q. ક્રોધી લોકોની સાથે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : ગરમ તો થઈ... Read More
Q. બાળકો શા માટે પપ્પા કરતાં મમ્મીનો પક્ષ વધારે લે છે?
A. પ્રશ્નકર્તા : સાત્વિક ચીડ અગર તો સાત્વિક ક્રોધ સારો કે નહીં ? દાદાશ્રી : એને લોકો શું કહે ? આ... Read More
Q. બાળકોમાં ‘ડીસિપ્લિન’ કેવી રીતે લાવી શકાય?
A. પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે... Read More
A. એક બેન્કનો મેનેજર કહે છે કે દાદાજી, હું તો કોઈ દહાદોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો... Read More
Q. ક્રોધમાંથી કેવીરીતે બહાર નીકળવું?
A. પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો, એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે,... Read More
subscribe your email for our latest news and events