Related Questions

કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?

તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે: 

  • જ્યારે તમારો બોસ તમને હુકમો કરે.
  • જ્યારે તમારા મિત્રો અને સહાધ્યાયીઓ તમને સાથ ન આપે.
  • જ્યારે તમારા કર્મચારીઓ તમારું અનુસરણ ન કરે.
  • જ્યારે તમારા માતા-પિતા સમયની સાથે બદલાવ ન લાવે.
  • જ્યારે તમારા બાળકો તમારું કહ્યું ન માને.
  • જ્યારે તમારા જીવનસાથી તમારી સાથે દલીલો કરે.

અને આવા ઘણા કારણો છે કે, ક્લેશ રહિત જીવન કઈ રીતે જીવી શકાય, તેની શોધમાં આપ અહીં આવ્યા છો.

જો તમે રોજબરોજના થતા ક્લેશથી થાકી ગયા છો, તો ક્લેશ રહિત જીવન જીવવા શું કરવું જોઈએ?

સામી વ્યક્તિનો દ્રષ્ટિકોણ અથવા માન્યતા ન સ્વીકારી શકવાથી મતભેદ ઉદ્ભવે છે અને આ મતભેદોથી આગળ જતા આપણા સંબંધો ઝઘડામાં પરિણમે છે.

avoid clashes

અથડામણ ટાળો” – પરમ પૂજ્ય દાદા ભગવાને કહેલું આ એક વાક્ય જો તમે જેમ છે તેમ સમજી જશો, તો તો તમારું કામ થઈ ગયું‍! તેના માટે દૃઢ અને સિન્સિયર રીતે તમારી તૈયારી જોઈશે. તમારી અંદર બધી જાતની અથડામણોના ઉકેલ માટે અનંત શક્તિઓ રહેલી છે, પછી ભલે તે અથડામણો ગમે તેટલી તીવ્ર કેમ ન હોય!

તમારો દૃઢ નિશ્ચય અને આ શબ્દોની શક્તિ બધું કામ કરી શકશે. એવો દૃઢ નિશ્ચય કરો કે, ‘હું તેમની સાથે કોઈ પણ કિંમતે અથડામણમાં આવીશ નહીં, વિરોધી ગમે તેટલો બળવાન કેમ ન હોય.’

જ્યારે તમે કહો છો “અથડામણ ટાળો” તેનો શું મતલબ છે?

જ્યારે લોકો ટ્રાફિકના નિયમો અનુસરે તો રસ્તા પર ટ્રાફિક બાબતે કોઈ સમસ્યા રહેતી નથી, ખરું ને?

તે જ રીતે, તમારા રોજિંદા જીવનમાં જો કુદરતના નિયમો સાચી રીતે અનુસરવામાં આવે તો, તમે અથડામણ થતી રોકી શકશો અને અથડામણ મુક્ત જીવન જીવી શકશો. પરંતુ, જીવના કાયદા માટે તમારી પાસે મર્યાદિત અર્થો હોવાને કારણે સમસ્યા ઊભી થાય છે. તમે તમારા પોતાના કાયદા અને અર્થઘટનનું અનુસરણ કરો છો અને તમે અથડામણ દૂર કરવાની સાચી પદ્ધતિ જાણતા નથી, તેથી અથડામણ ઊભી થાય છે.

ધારો કે, તમે ટ્રૈનમાંથી ઊતરો છો અને તમે તમારો સામાન ઊંચકવા કુલીને શોધો છો. કેટલાક કુલીઓ તમારી સામે આવી રહ્યા છે અને તમે તેમાંથી એકને સામાન ઊંચકવાનો કહો છો. તે તમારો સામાન ઊંચકી બહાર મૂકી જાય છે, પરંતુ પૈસા ચૂકવતી વખતે તમે તેની સાથે ઝઘડો કરો છો કે, “તું આટલા બધા રૂપિયા કેમ કહે છે?” લોકોને દરેક સમયે અથડામણ કરવાની ટેવ પડી ગઈ હોય છે. આવી ક્ષુલ્લક બાબતો પર અથડામણ ન કરવી જોઈએ. જો તે બસો પચાસ રૂપિયા પણ કહે ને, તો પણ શાંતિથી સમજાવીને ઓછા કરવા કહેવું. 

“સાંભળ ભાઈ, ખરેખર તો આ સો રૂપિયાનું જ કામ છે, છતાં આ બસો રૂપિયા લઈ લે!” તમારે થોડા ઘણા વધુ-ઓછા રૂપિયા આપીને વાતની પતાવટ કરવી જોઈએ. આ અથડામણ કરવાની જગ્યા નથી. જો સામો વ્યક્તિ નબળો હશે, તો તે જવા દેશે અને દુ:ખી થશે, કારણ કે, તે નબળી વ્યક્તિ છે, પરંતુ તેને તમારી તરફ અભાવ થશે. આ અભાવ વેરનું બીજ વાવશે અને તેનું આવતા જન્મમાં પરિણામ આવશે. દરેક મનુષ્ય, ખરેખર તો પ્રત્યેક જીવમાત્ર વેર વાળવાને સક્ષમ છે.

બીજી તરફ, જ્યારે કોઈ તમારી સામે આવે અને તમને કઠોર અને અપશબ્દો બોલે, ત્યારે તમારે ચેતી જવું અને તે વ્યક્તિ સાથેની અથડામણ ટાળવી. તમને અંદર ક્ષોભની લાગણી ઊભી થશે, જે તમને દુ:ખી કરશે. તેથી, તમારે ખ્યાલમાં રાખવું કે તે વ્યક્તિની અસર તમારા મન પર થશે અને તેથી તમારે તેના માર્ગમાંથી ખસી જવું. આ અથડામણ સ્પંદનના રૂપમાં હોય છે. તેથી, અથડામણ ટાળો.

તે વ્યક્તિના શબ્દો ખૂબ જ કઠોર કેમ ન હોય, તો પણ તમારે તમારી અંદર અથડામણ ઊભી થવા દેવી નહીં. આ સિદ્ધાંતનું પાલન કરવું એ જ તમારો ધર્મ છે. શબ્દો એવી શર્ત લઈને નથી આવતા કે તેનાથી અથડામણ થાય જ. તમને ચીડવતા હોય તેવા શબ્દોને બાજુમાં મૂકતા શીખવું જોઈએ અને તેના વિશે ભૂલી જવું જોઈએ. જે આવું કરી શકે છે, તે જ માણસ કહેવાને લાયક છે.

અને તમે તમારા શબ્દો દ્વારા તમારો અહમ્ પોષવા માટે કોઈને ચીડવો છો, તે તો બહુ ભયંકર ગુનો છે. આવું ક્યારેય ન કરો.

જેમ જેમ તમારી સમજણ વિકાસ પામતી જશે, તેમ તેમ તમે અથડામણો ટાળી શકશો.

અથડામણ ટાળવા માટે નીચે દર્શાવેલ પદ્ધતિ આપ અપનાવી શકો છો:

  • અંદરનો એવો દૃઢ નિશ્ચય કરો કે, ‘હું ભીંત સાથે અથડાવા ઈચ્છતો નથી, હું અભિપ્રાયોમાં ભિન્નતાને કારણે ભેદ પાડવા ઈચ્છતો નથી.’
  • જો તમારે બહાર અથડામણ થતી હોય તો પણ તમારો ઈરાદો એવો જ હોવો જોઈએ કે, ‘હું કોઈની પણ સાથે અથડાવા ઈચ્છતો નથી.’
  • સામી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો. તમને એવો ખ્યાલ આવશે કે હું આવી જ પરિસ્થિતિમાં હોવ અને કોઈ તમારી સાથે અથડામણમાં આવવાને બદલે એડજસ્ટ થઈ જાય, તો પછી તમને ખરેખર શાંતિ મળશે. તેથી, જ્યારે કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાંથી પસાર થતી હોય, ત્યારે તમે આવું જ વર્તન સામા સાથે કરો, જેનાથી તમે અથડામણ તો ટાળી શકશો, પરંતુ સારા સંબંધો પણ નિભાવી શકશો.
  • જો કોઈ તમને એવું કહે કે તમારો દોષ છે, ત્યારે તેને સ્વીકારી લો અને કહો, “તમે સાચા છો. આ દોષ બતાવવા બદલ તમારો આભાર.”
  • વધુ અથડામણો ટાળવા માટે દરેકની સાથે એડજસ્ટમેન્ટ લેતા શીખો.
  • સામી વ્યક્તિની પ્રકૃતિને ઓળખો. આવું કરવાથી, તમને ખ્યાલ આવશે કે જુદી જુદી પરિસ્થિતિમાં તે આવું વર્તન શા માટે કરે છે. આનાથી જ્યારે આવી પરિસ્થિતિઓ ઉદ્ભવશે, ત્યારે તમે સ્થિર રહી શકશો.
  • સામી વ્યક્તિની વાત સાથે સંમત થાઓ, તે વ્યક્તિથી છૂટકારો મેળવવા માટે નહીં, પરંતુ એટલા માટે કે તમે એ વ્યક્તિ સાથે અથડામણમાં આવવા ઈચ્છતા નથી અને તમે અથડામણથી મુક્ત થવા માંગો છો. આ વાતમાં કોઈ શંકા નથી કે, તે વ્યક્તિ તેને દ્રષ્ટિકોણથી સાચો છે.
  • જ્યારે કોઈ તમારા પર બૂમબરાડા કરે, દલીલો કરે અથવા તમને ચીડવે, તો તમારે તે વસ્તુ તેમને પાછી આપવાની ટાળવી. તેના બદલે તમારે તે વ્યક્તિની અંદર બિરાજેલા ભગવાનને આવી દુ:ખદાયક વાણી ટાળવા અને શક્તિ આપવા માટે પ્રાર્થના કરવી કે, “હે ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો.”
  • તમે આમ કહીને પણ અથડામણ ટાળી શકો છો કે, “તમે જે કહો છો તે મને ગમે છે, પરંતુ મને થોડો વિચારવાનો સમય આપો.”
  • જો કોઈ ઝઘડો કરવા આવે તો તમારે એના ઉપર સહાનુભૂતિ રાખવી કે, ‘અરેરે! તે કેટલો તણાવમાં હશે કે તે ઝઘડો કરવા આવે છે.’ જે વાતવાતમાં ચિડાઈ જાય/તણાવમાં હોય એ નબળા કહેવાય.
  • તમે ઘણી કાળજી લેશો અને નિશ્ચય કરશો તો પણ સામી વ્યક્તિ તમારી સાથે અથડાશે અને તમને દુ:ખ પહોંચાડશે. જો તમે બીજાને જરા પણ દુ:ખ ન આપો અને તમને સામી વ્યક્તિએ આપેલું દુ:ખ હસતા હસતા સ્વીકારી લેશો, તો તમારા ગતભવના હિસાબ ચૂકતે થશે અને તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો.
×
Share on