તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે:
અને આવા ઘણા કારણો છે કે, ક્લેશ રહિત જીવન કઈ રીતે જીવી શકાય, તેની શોધમાં આપ અહીં આવ્યા છો.
સામી વ્યક્તિનો દ્રષ્ટિકોણ અથવા માન્યતા ન સ્વીકારી શકવાથી મતભેદ ઉદ્ભવે છે અને આ મતભેદોથી આગળ જતા આપણા સંબંધો ઝઘડામાં પરિણમે છે.
“અથડામણ ટાળો” – પરમ પૂજ્ય દાદા ભગવાને કહેલું આ એક વાક્ય જો તમે જેમ છે તેમ સમજી જશો, તો તો તમારું કામ થઈ ગયું! તેના માટે દૃઢ અને સિન્સિયર રીતે તમારી તૈયારી જોઈશે. તમારી અંદર બધી જાતની અથડામણોના ઉકેલ માટે અનંત શક્તિઓ રહેલી છે, પછી ભલે તે અથડામણો ગમે તેટલી તીવ્ર કેમ ન હોય!
તમારો દૃઢ નિશ્ચય અને આ શબ્દોની શક્તિ બધું કામ કરી શકશે. એવો દૃઢ નિશ્ચય કરો કે, ‘હું તેમની સાથે કોઈ પણ કિંમતે અથડામણમાં આવીશ નહીં, વિરોધી ગમે તેટલો બળવાન કેમ ન હોય.’
જ્યારે લોકો ટ્રાફિકના નિયમો અનુસરે તો રસ્તા પર ટ્રાફિક બાબતે કોઈ સમસ્યા રહેતી નથી, ખરું ને?
તે જ રીતે, તમારા રોજિંદા જીવનમાં જો કુદરતના નિયમો સાચી રીતે અનુસરવામાં આવે તો, તમે અથડામણ થતી રોકી શકશો અને અથડામણ મુક્ત જીવન જીવી શકશો. પરંતુ, જીવના કાયદા માટે તમારી પાસે મર્યાદિત અર્થો હોવાને કારણે સમસ્યા ઊભી થાય છે. તમે તમારા પોતાના કાયદા અને અર્થઘટનનું અનુસરણ કરો છો અને તમે અથડામણ દૂર કરવાની સાચી પદ્ધતિ જાણતા નથી, તેથી અથડામણ ઊભી થાય છે.
ધારો કે, તમે ટ્રૈનમાંથી ઊતરો છો અને તમે તમારો સામાન ઊંચકવા કુલીને શોધો છો. કેટલાક કુલીઓ તમારી સામે આવી રહ્યા છે અને તમે તેમાંથી એકને સામાન ઊંચકવાનો કહો છો. તે તમારો સામાન ઊંચકી બહાર મૂકી જાય છે, પરંતુ પૈસા ચૂકવતી વખતે તમે તેની સાથે ઝઘડો કરો છો કે, “તું આટલા બધા રૂપિયા કેમ કહે છે?” લોકોને દરેક સમયે અથડામણ કરવાની ટેવ પડી ગઈ હોય છે. આવી ક્ષુલ્લક બાબતો પર અથડામણ ન કરવી જોઈએ. જો તે બસો પચાસ રૂપિયા પણ કહે ને, તો પણ શાંતિથી સમજાવીને ઓછા કરવા કહેવું.
“સાંભળ ભાઈ, ખરેખર તો આ સો રૂપિયાનું જ કામ છે, છતાં આ બસો રૂપિયા લઈ લે!” તમારે થોડા ઘણા વધુ-ઓછા રૂપિયા આપીને વાતની પતાવટ કરવી જોઈએ. આ અથડામણ કરવાની જગ્યા નથી. જો સામો વ્યક્તિ નબળો હશે, તો તે જવા દેશે અને દુ:ખી થશે, કારણ કે, તે નબળી વ્યક્તિ છે, પરંતુ તેને તમારી તરફ અભાવ થશે. આ અભાવ વેરનું બીજ વાવશે અને તેનું આવતા જન્મમાં પરિણામ આવશે. દરેક મનુષ્ય, ખરેખર તો પ્રત્યેક જીવમાત્ર વેર વાળવાને સક્ષમ છે.
બીજી તરફ, જ્યારે કોઈ તમારી સામે આવે અને તમને કઠોર અને અપશબ્દો બોલે, ત્યારે તમારે ચેતી જવું અને તે વ્યક્તિ સાથેની અથડામણ ટાળવી. તમને અંદર ક્ષોભની લાગણી ઊભી થશે, જે તમને દુ:ખી કરશે. તેથી, તમારે ખ્યાલમાં રાખવું કે તે વ્યક્તિની અસર તમારા મન પર થશે અને તેથી તમારે તેના માર્ગમાંથી ખસી જવું. આ અથડામણ સ્પંદનના રૂપમાં હોય છે. તેથી, અથડામણ ટાળો.
તે વ્યક્તિના શબ્દો ખૂબ જ કઠોર કેમ ન હોય, તો પણ તમારે તમારી અંદર અથડામણ ઊભી થવા દેવી નહીં. આ સિદ્ધાંતનું પાલન કરવું એ જ તમારો ધર્મ છે. શબ્દો એવી શર્ત લઈને નથી આવતા કે તેનાથી અથડામણ થાય જ. તમને ચીડવતા હોય તેવા શબ્દોને બાજુમાં મૂકતા શીખવું જોઈએ અને તેના વિશે ભૂલી જવું જોઈએ. જે આવું કરી શકે છે, તે જ માણસ કહેવાને લાયક છે.
અને તમે તમારા શબ્દો દ્વારા તમારો અહમ્ પોષવા માટે કોઈને ચીડવો છો, તે તો બહુ ભયંકર ગુનો છે. આવું ક્યારેય ન કરો.
જેમ જેમ તમારી સમજણ વિકાસ પામતી જશે, તેમ તેમ તમે અથડામણો ટાળી શકશો.
એક વખત તમે આ અથડામણોના ઊંડાણમાં ઊતરશો, પછી તમે તે શા માટે ઉદ્ભવે છે તે સમજશો. પછી, તમે ફરીથી આ જ પ્રકારની પરિસ્થિતિમાં આવશો, તો પણ તમારે અથડામણ ટાળવા માટે શું ન કરવું જોઈએ તે ખરેખર સમજી શકશો. ધીમે ધીમે, આ બધુ ત્યારે જ રહેશે, જ્યારે તમારો દૃઢ નિશ્ચય હશે કે તમારે કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવવું નથી અને પછી જ તમે આ કરી શકશો, એટલે કે સફળ થશો. આ તરત જ થશે નહીં પરંતુ, ભવિષ્યમાં તમે આનું પરિણામ ચોક્કસ મેળવશો.
ધારો કે, તમે કોઈ વ્યક્તિ સાથે સતત અથડામણમાં આવો છો. તો તમારે કોઈ પણ કિંમતે તે વ્યક્તિ માટે નિંદા કરવાનું છોડી દેવું જોઈએ. જો તમે તે વ્યક્તિ માટે નકારાત્મક બોલો છો, તો તે વ્યક્તિની ગેરહાજરી હોવા છતાં તે નેગેટિવ સ્પંદનો તેઓ સુધી પહોંચી જાય છે અને તેનાથી પરિસ્થિતિ વધુ બગડે છે.
જો સામી વ્યક્તિ તમારી સાથે બોલતી નથી અને તમે ખૂબ હતાશ થઈ જાવ છો, જો તમે જતું કરતા નથી, તો આવી પરિસ્થિતિ ફરી ફરી ઊભી થયા કરે છે અને તમે સતત ચિંતામાં રહો છો. તે માટેની ચાવી છે કે તમારે તે વ્યક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. તમે પ્રાર્થના કરો કે, ‘તેમને સાચી સમજણ અને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને તેથી તેઓ નેગેટિવિટીમાંથી બહાર આવે.’ આવું કરવાથી પોઝિટિવ સ્પંદનો તેમના સુધી પહોંચે છે, પરિસ્થિતિનો સ્થિરતાથી ઉકેલ આવશે. તમારી વિપરિત બુદ્ધિનો અંત આવશે અને તમારા તે વ્યક્તિ તરફના ભાવો બગડતા નથી. તેનાથી અંતે તમને જ ફાયદો થશે.
જો તમે જાતે એવી પરિસ્થિતિમાં મૂકાઈ જાવ છો કે જેમાં તમારે અથડામણમાં આવવું પડે છે, તો તમે પ્રતિક્રમણ કરીને માફી માગો. ભવિષ્યમાં અથડામણોને ટાળવા માટેની આ એકમાત્ર ચાવી છે. તમારે કઈ રીતે પ્રતિક્રમણ કરવું અને તે અથડામણ ટાળવામાં કઈ રીતે મદદરૂપ થશે, તેની વિગતવાર સમજણ અહીં મળશે.
સંસ્કારી વ્યક્તિઓ ઝઘડતા નથી. તેઓ હંમેશા કોઈ અડચણ વગર શાંતિથી સૂઈ જાય છે. જે અસભ્ય છે, તે જ દલીલો કરે છે અને એકબીજા સાથે સતત ઝઘડાઓ કરે છે.
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે? એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિઓ વિશે વિચારીએ: “ધારો કે, તમે રસ્તા પર ચાલી... Read More
A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઈ રીતે મેળવવો? જો આપણે અથડામણ... Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઈએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં... Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે.... Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થાય છે અને આપણે તેવી પરિસ્થિતિમાં કઈ રીતે વ્યવહાર કરવો... Read More
Q. કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?
A. જ્યારે કોઈ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઈએ? એક બાજુ એક... Read More
Q. જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?
A. જો કોઈ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછી શકો કે શા માટે તે આવું કરે છે અને... Read More
Q. પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?
A. તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઈએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે... Read More
A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઈ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે. જો કે, અથડામણ નિવારવા... Read More
subscribe your email for our latest news and events