એડજસ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરૂરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા મુજબ, બીજાને અનુકૂળ થતા આવડે એને કોઈ દુઃખ જ ન હોય. પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે, 'એડજસ્ટ એવરીવ્હેર' આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલા રિએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે 'એડજસ્ટ એવરીવ્હેર'!
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ.” જ્યારે જુદા જુદા પ્રકારના વ્યક્તિત્વ, લક્ષણો અને વલણો ધરાવતી વ્યક્તિઓ હોય છે અને જો આપણે બધાને આપણી ઈચ્છા પ્રમાણે ચલાવવા જઈએ તો ત્યારે આપણે શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકીએ? ત્યારે ખરેખર તો એડજસ્ટ થવું ડહાપણ ભર્યું છે અને આવું કરવાથી આપણે આપણા મનની શાંતિ જાળવી શકીશું.
ઉપરની બધી જ ઘટનાઓમાં જે પરિસ્થિતિ છે, તેમાં આપણે જાણીને એડજસ્ટ થઈએ છીએ, કારણ કે, આપણને સંપૂર્ણ રીતે ખબર છે કે જો આપણે નહીં થઈએ તો શું થશે. એવી જ રીતે, જીવનમાં આપણે જાણીને જો આપણી આજુબાજુના વ્યક્તિઓ અને સંયોગોને એડજસ્ટ થઈએ, તો અનાવશ્યક મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. આ આપણને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે સમર્થ બનાવે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનના શબ્દોમાં, “સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતા આવડે, એને કોઈ દુઃખ જ ન હોય.”
જ્યારે તમે એડજસ્ટ થવામાં નિષ્ફળ જાવ છો, ત્યારે બંને તરફનું નુકસાન જાય છે. તમને અને સામી વ્યક્તિ બંનેને દુઃખ થાય છે. તો નુકસાનને ટાળો અને શીખો જીવનમાં કેવી રીતે એડજસ્ટ થવું.
Q. એડજસ્ટમેન્ટ લેવાના જુદા જુદા રસ્તાઓ કયા છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સૂત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ... Read More
Q. સફળ લગ્નજીવન માટે કેવી રીતે પતિ-પત્નીએ એડજસ્ટ થવું?
A. માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ એવરીવ્હેર!’ ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેરમાં કલેશ ના હોવો જોઈએ.... Read More
Q. મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’
A. શું તમે ક્યારેય એવું નોટિસ કર્યું છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેના પોતાના આજુબાજુના... Read More
Q. ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?
A. વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે, ‘બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો... Read More
Q. જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા એ સંબંધોને સાચવવાનો સૌથી સરળ ઉપાય શા માટે છે?
A. ઘણી વખત એવો સમય આવે છે કે તમને ખબર હોય કે તમે સાચા છો, છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે... Read More
Q. પરમ પૂજ્ય દાદા ભગવાનના વાસ્તવિક જીવનમાં જુદા જુદા પ્રકારે લીધેલા એડજસ્ટમેન્ટના પ્રસંગો
A. જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતા જોઈએ કે સાંભળીએ, તો તે આપણને આપણા જીવનમાં કેવી... Read More
subscribe your email for our latest news and events