અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ભય
આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે નોર્માલિટીમાં હોય. તેમને તો ભયના સંયોગ ભેગા થાય ત્યારે જ ભય લાગે. જ્યારે મનુષ્યોમાં તો વિપરીત ભય પેસી ગયો છે. વિપરીત ભય એટલે એક જ ભય આવવાનો હોય પણ તેને તે સો જાતના દેખાય અને જે ભય નથી આવવાનો તે દેખાય તેને પણ વિપરીત ભય કહેવાય. એક જણ જમવા આવવાનો હોય અને લાગ્યા કરે કે સો જણ આવવાના છે તે વિપરીત ભય.
ભય ક્યારે પેસે ? દ્વેષપૂર્વકના ત્યાગમાં, તિરસ્કારમાં નિરંતર ભય રહે. પોલીસવાળાનો ભય શાથી લાગે છે ? તે ગમતો નથી તેથી, તેનો તિરસ્કાર છે તેથી. કોર્ટનો ભય શાથી લાગે છે ? શું કોર્ટ કોઈને ખાઈ ગઈ ? ના. એ તો એનો દ્વેષ છે તેથી. ભય એ છૂપો તિરસ્કાર ગણાય છે. સાપની મહીં ભગવાન બિરાજેલા છે, તે દેખાતું નથી માટે જ ભય લાગ્યો ને ? સાપ સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી આવે. જો સહજ રીતે સામો મળે અને ભાઈમાં ભય ઊભો ના થાય તો સાપ બાજુમાં થઈને જતો રહે. હિસાબ ના હોય તો કશું જ ના કરે.
આખો સંસરણ માર્ગ-સંસાર માર્ગ ભ્રાંતિવાળો છે, ભો-ભડકાટ જેવો છે. ભો-ભડકાટ એટલે શું ? રાતે સૂતા પહેલાં ભૂતનો ભો પેઠો હોય કે સાપનો ભો પેઠો હોય, તો આખી રાત તેને ભડકાટ-ભો રહ્યા કરે, ઊંઘેય નહીં અને સવારે એટલે કે પ્રકાશમાં તે ભય નાશ પામે ત્યારે તેનો ભડકાટ જાય. તેમ આ સંસારમાં પણ છે.
ભૂતના ભડકાટમાં ફરક એટલો રહે કે તેનો ફક્ત ભડકાટ રહ્યા કરે કે, મારું શું થશે ? ભય ના લાગે, જ્યારે સંસારમાં ભય અને ભડકાટ બન્ને ય રહે. ભય રહે એટલે અજ્ઞાનતાથી તેની સામે રાગ-દ્વેષ કર્યા કરે અને તેનાથી ભડકાટ રહે. ભયવાળા સંયોગોને મારવાના, પ્રતિકાર કરવાના પ્રયત્નમાં રહે.
આત્માની અજ્ઞાનતાથી ભય રહે છે અને સંગીચેતનાથી ભડકાટ રહે છે. ભડકાટ-ફફડાટ એ સંગીચેતનાનો ગુણ છે. સંગીચેતના એટલે આરોપિત ચેતના. વિધિ કરતો હોય કે ધ્યાનમાં હોય ને કંઈક મોટો અવાજ થાય ને જે શરીર ઓટોમેટિક હાલી ઊઠે, તે સંગીચેતના કહેવાય.
જ્યાં તારી સત્તા નથી, ત્યાં તું હાથ નાખે તો શું થાય ? કલેક્ટરની સત્તામાં કારકૂન સહી કરે તો ? આખો દહાડો તેને ભય રહ્યા કરે. કારણ પરસત્તામાં છે તેથી. જગતના મનુષ્યો પણ નિરંતર પરસત્તામાં જ રહે છે. 'હું ચંદુલાલ' એ જ પરસત્તા. પોતાની સત્તા તો જોઈ નથી, જાણી નથી ને પરસત્તામાં જ મુકામ કર્યો. તેથી નિરંતર ભય, ભય ને ભય જ લાગ્યા કરે છે.
બધું જ સહજમાં મળે તેમ છે પણ ભરોસો હોવો જોઈએ. લોકોને એમ થયા કરે કે, આ નહીં મળે તો ? આમ નહીં થાય તો ? બસ, આ જ વિપરીત ભય છે.
બુધ્ધિ શાને માટે છે ? ત્યારે કહે, બધાને ઠંડક આપવા માટે, નહીં કે ભડકાવવા માટે. જે બુધ્ધિ ભય દેખાડે તે વિપરીત બુધ્ધિ. તેને તો ઊગતાં જ દબાવી દેવી જોઈએ.
અલ્યા, તારે ભય જ જો રાખવો હોય તો મરણનો રાખને ! ક્ષણે ક્ષણે આ જગત મરણના ભયવાળું છે, તેનો તને ભય શાથી નથી લાગતો ? તેનો ભય લાગે, તો મોક્ષનો ઉપાય ખોળવાનું જડે. પણ ત્યાં તો જડ જેવા થઈ ગયા છે.
* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
A. મનુષ્યોનું નિરાશ્રિતપણું આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય. આ મનુષ્યોને તો કોઈનોય આશરો નથી. કોઈનો આશરો લીધો હોય તો...Read More
Q. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
A. અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ? પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી કંઈ પણ અસર...Read More
Q. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
A. પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ? દાદાશ્રી: ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી...Read More
Q. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
A. પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી: દુઃખ શું ? પ્રશ્નકર્તા: શારીરિક વ્યાધિ. દાદાશ્રી: એમાં બીક શું ?...Read More
Q. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
A. પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસકભાવ ભૂલી જાય,' તો એ શું છે ? દાદાશ્રી: હા, વાઘ ભૂલી...Read More
A. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં હોય એવું બિચારો કરે. એમાં આપણે શું લેવા-દેવા ? આપણે ટીકા...Read More
Q. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
A. તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ થઈ જાય.' 'અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં...Read More
Q. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
A. પ્રશ્નકર્તા: તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી: અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે...Read More
Q. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
A. પ્રશ્નકર્તા: તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ? દાદાશ્રી: અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો માણસ ભગવાન થાય ! અત્યારે થોડી ઘણી અહિંસા પાળો છો...Read More
Q. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
A. ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે...Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.'' આમાં આત્માની શંકા આત્મા...Read More
Q. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
A. આધિ-વ્યાધિ-ઉપાધિ જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે !! તે ત્રણ તાપ ક્યા ? આધિ, વ્યાધિ ને ઉપાધિ. પેટમાં...Read More
Q. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
A. દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ? દાદાશ્રી: પણ તમને...Read More
subscribe your email for our latest news and events