દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?
પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ?
દાદાશ્રી: પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઈ જાતનો કોઈ ? જો આ, સોંપેલું એવું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે. ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ખાવ ને ટેબલ ઉપર નિરાંતે બેસીને જમો ને ! કોઈ બાપો ય વઢનાર નથી. ઉપરી છે જ નહીં કોઈ. ઉપરી હતી તમારી ભૂલો અને તમારા 'બ્લન્ડર્સ'. 'બ્લન્ડર્સ' દાદાએ તોડી આપ્યાં. અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દશ, કોઈ દા'ડો ભૂલો દેખાય છે ?
1) ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્યે ભય ન ઉપજે !
2) ગર્વ નથી, ગારવતા નથી, અંતરંગ સ્પૃહા નથી, ઉન્મત્ત્તા નથી, પોતાપણું નથી, એવી ગજબની જ્ઞાનદશામાં વર્તતા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને આશ્રયે જવાથી અનંત અવતારની ખોટ એક અવતારમાં ભાંગી જાય ને મોક્ષપ્રાપ્તિની ગેરંટી મળી જાય.
3) જ્ઞાન'ની માતા કોણ ? 'સમજ'. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય ? 'જ્ઞાની' પાસે સમજો.
4) હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઇગોઇઝમ જાય. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.
5) કૃષ્ણ ભગવાને પણ કહ્યું, 'વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.' કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે!
મંત્રો એ છે વૈજ્ઞાનિક વસ્તુ !
પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કરવાથી કદાચ નવાં પાપ બંધાય નહીં, પણ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ?
દાદાશ્રી: પ્રતિક્રમણથી નવા પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે એ જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો તોય ભોગવટાનું ફળ હલકું કરી આપે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દ્રષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુઃખ ભૂલી જાય, વજન છે છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રોનું છેને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં. એટલે આ મંત્રો એ હેલ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતાં ? એક જ દહાડો ત્રિમંત્ર બોલ્યાં હતાં ? તે જરા વધારે બોલેને એટલે બધું હલકું થઈ જાય, અને તમને ભય લાગતો હોય તે ય બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો માણસ કોઈ પાપ કરે કે ભૂલ કરે, તો એની એને સજા મળવી જોઈએ, તો મંત્રથી એ પાપનો નાશ કેવી રીતે થાય ?
દાદાશ્રી: મંત્રો શું છે કે આ પુરુષોની આપણે ભક્તિ કરીએ છીએ. ક્યા પુરુષોની ? વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ પુરુષોની ભક્તિ કરીએ છીએ, તે ઘડીએ મહીં કેટલી શક્તિ ઉત્પન્ન થાય !
પ્રશ્નકર્તા: તમે એમની બહુ ભક્તિ કરી, એમનાં વખાણ કર્યા, એમનાં વાઈબ્રેશન લીધાં, પણ પાપ તો બાજુએ જ રહ્યા ને ? પાપ તો જૂદું રહ્યું જ ને ?
દાદાશ્રી: આ એમની ભક્તિ કરવાથી, એમની કીર્તન-ભક્તિ કરવાથી સર્વ પાપો ભસ્મીભૂત થાય. તમારે પાપો નાશ કરવાં છે ? હું એક કલાકમાં કરી આપીશ. તમારાં બધા પાપો 'વીધીન વન અવર.'
પાપ ચપ્પાથી કાપવાનું ના હોય. એની સ્લાઈસ પાડવાની ના હોય, એ તો ભસ્મીભૂત થાય.
A. મનુષ્યોનું નિરાશ્રિતપણું આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય.... Read More
Q. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
A. અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ? પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં... Read More
Q. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
A. પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ? દાદાશ્રી:... Read More
Q. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
A. પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી: દુઃખ શું... Read More
Q. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
A. પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો... Read More
A. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં... Read More
Q. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
A. તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ... Read More
Q. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
A. પ્રશ્નકર્તા: તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી: અભયદાનને તો બધા લોકોએ... Read More
Q. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
A. પ્રશ્નકર્તા: તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ? દાદાશ્રી: અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો... Read More
Q. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
A. ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું... Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે... Read More
Q. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
A. આધિ-વ્યાધિ-ઉપાધિ જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે... Read More
Q. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
A. ભય આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે... Read More
subscribe your email for our latest news and events