Related Questions

જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?

દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?

પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ?

દાદાશ્રી: પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઈ જાતનો કોઈ ? જો આ, સોંપેલું એવું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે. ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ખાવ ને ટેબલ ઉપર નિરાંતે બેસીને જમો ને ! કોઈ બાપો ય વઢનાર નથી. ઉપરી છે જ નહીં કોઈ. ઉપરી હતી તમારી ભૂલો અને તમારા 'બ્લન્ડર્સ'. 'બ્લન્ડર્સ' દાદાએ તોડી આપ્યાં. અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દશ, કોઈ દા'ડો ભૂલો દેખાય છે ?

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on