અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
આધિ-વ્યાધિ-ઉપાધિ
જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે !! તે ત્રણ તાપ ક્યા ? આધિ, વ્યાધિ ને ઉપાધિ.
પેટમાં દુઃખતું હોય તેનું નામ વ્યાધિ. ભૂખ લાગે તેનું નામ વ્યાધિ. આંખો દુઃખતી હોય તે વ્યાધિ. શારીરિક દુઃખને વ્યાધિ કહેવાય.
માનસિક દુઃખને આધિ કહેવાય. આખો દા'ડો ચિંતા કર્યા કરે એ આધિ. અને બહારથી આવી પડે તે ઉપાધિ કહેવાય. અત્યારે અહીં બેઠા છીએ અને કોઈ પથરો મારે તે ઉપાધિ. કોઈ આપણને બોલાવવા આવ્યું તે ઉપાધિ. ઉપાધિ બહારથી આવે તે, અંદરથી ન હોય.
આખું જગત પછી ભલે તે સાધુ હોય કે સંન્યાસી હોય, તોય ત્રિવિધ તાપથી સળગે છે. અમે જ્ઞાન આપેલું હોય, તેમને તો નિરંતર સમાધિ રહે. જેને શુધ્ધાત્માનું પદ છે, જે નિરંતર સ્વરૂપમાં જ રહે છે તેને તો દરેક અવસ્થામાં સમાધિ રહે. કારણ કે તે તો પ્રત્યેક અવસ્થાને જુએ અને જાણે.
આ કોના જેવું છે ? જો તમે કોઈના ઘરમાં પેઠા હો તો મહીં ફફડાટ રહે કે ના રહે ? રહે જ. હમણાં કોઈ કાઢી મૂકશે, ધમકાવશે એમ નિરંતર રહ્યા જ કરે. પણ જો પોતાના ઘરમાં બેઠા હો તો છે કશી ચિંતા ? શાંતિ જ હોયને પોતાના ઘરમાં તો ! તેવું છે. ચંદુલાલ તે તમારું ઘર ન હોય. તમે પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ છો અને ભ્રાંતિથી પરાયા ક્ષેત્રમાં ક્ષેત્રાકાર થઈ ગયા છો. પરના સ્વામી થઈ બેઠા છો ને પાછા પરના ભોક્તા થઈ ગયા છો. તો નિરંતર ચિંતા, ઉપાધિ, આકુળતા અને વ્યાકુળતા રહ્યા કરે છે. પાણીમાંથી બહાર કાઢી નાખેલાં માછલાંની જેમ નિરંતર તરફડાટ તરફડાટ રહે છે. આ શેઠિયાઓ ડનલોપના ગાદલામાં સૂએ છે, મચ્છરદાની બાંધે છે ને એકેએક માંકણ વીણાવીને સૂઈ જાય છે. તોય મૂઆ આખી રાત પાસાં ફેરવ ફેરવ કરે છે. અઢી મણનું ધોકડું આમ ફેરવે ને તેમ ફેરવે. આખી રાત મહીં ચૂન ચૂન થયા કરે છે, તે શું કરે બિચારો ?! કંઈ ઓછું ખાટલેથી ઉપર અધ્ધર ચઢી જવાય છે ?
* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
A. મનુષ્યોનું નિરાશ્રિતપણું આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય. આ મનુષ્યોને તો કોઈનોય આશરો નથી. કોઈનો આશરો લીધો હોય તો...Read More
Q. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
A. અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ? પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી કંઈ પણ અસર...Read More
Q. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
A. પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ? દાદાશ્રી: ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી...Read More
Q. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
A. પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી: દુઃખ શું ? પ્રશ્નકર્તા: શારીરિક વ્યાધિ. દાદાશ્રી: એમાં બીક શું ?...Read More
Q. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
A. પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસકભાવ ભૂલી જાય,' તો એ શું છે ? દાદાશ્રી: હા, વાઘ ભૂલી...Read More
A. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં હોય એવું બિચારો કરે. એમાં આપણે શું લેવા-દેવા ? આપણે ટીકા...Read More
Q. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
A. તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ થઈ જાય.' 'અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં...Read More
Q. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
A. પ્રશ્નકર્તા: તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી: અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે...Read More
Q. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
A. પ્રશ્નકર્તા: તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ? દાદાશ્રી: અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો માણસ ભગવાન થાય ! અત્યારે થોડી ઘણી અહિંસા પાળો છો...Read More
Q. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
A. ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે...Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.'' આમાં આત્માની શંકા આત્મા...Read More
Q. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
A. દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ? દાદાશ્રી: પણ તમને...Read More
Q. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
A. ભય આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે નોર્માલિટીમાં હોય. તેમને તો ભયના સંયોગ ભેગા થાય ત્યારે જ ભય લાગે....Read More
subscribe your email for our latest news and events