શુદ્ધ પ્રેમ
જે વધે ઘટે નહી અને એક સરખો રહે એને કહેવાય ખરો પ્રેમ. કોઈ ખરાબ વર્તન કરે તો પ્રેમ ઘટી ના જાય અને કોઈ ફૂલહાર ચઢાવે તો પ્રેમ વધી ના જાય એને કહેવાય સાચો પ્રેમ.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે આને તે કંઈ પ્રેમ કહેવાય? જો ખરેખર પ્રેમ હોય તો આવું તે હોઈ શકે? સાચો પ્રેમ ક્યાં મળશે? સાચો પ્રેમ કોને કહેવો?
પ્રેમની યથાર્થ વ્યાખ્યા તો પ્રેમમૂર્તિ જ્ઞાની જ આપી શકે. વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. જેમાં ફૂલાં ચઢાવે ત્યાં ઉછાળો નથી, ગાળો દે ત્યાં અભાવ નથી. આ એ પ્રેમ છે કે જે જગતને નિર્દોષ જુએ છે. આ પ્રેમ તમને મનુષ્યમાં જ પરમાત્માનો અનુભવ કરાવે છે.
સાચો પ્રેમ સંસારમાં હોય નહીં. જગત જેને પ્રેમ કહે છે એ તો આસકિત છે. સાચો પ્રેમ તો જેમણે આત્માને તેનાં સંપૂર્ણ ઐશ્વર્ય અને વૈભવ સહિત જાણ્યો હોય તેમનામાં અને તેમની પાસે રહેલો છે. પ્રેમ એ પરમાત્મા છે અને પરમાત્મા એ જ પ્રેમ છે. 'શુદ્ધ પ્રેમ' ની શોધ માટે આગળ વાંચો.....
subscribe your email for our latest news and events