પ્રશ્નકર્તા : 'થિયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ 'ડેવલપ' થતો થતો મનુષ્યમાં આવે છે અને મનુષ્યમાંથી ફરી પાછો પશુમાં જાય છે. તો આ 'ઇવોલ્યુશન'ની 'થિયરી'માં જરા વિરોધાભાસ લાગે છે એ જરા સ્પષ્ટ કરી આપો.
દાદાશ્રી : ના. એમાં વિરોધાભાસ જેવું નથી. 'ઇવોલ્યુશન'ની 'થિયરી' બધી બરોબર છે. ફક્ત મનુષ્ય સુધી જ 'ઇવોલ્યુશન'ની થિયરી 'કરેક્ટ' (સાચી) છે, પછી એની આગળ એ લોકો જાણતા જ નથી.
પ્રશ્નકર્તા : મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો ? એમ પ્રશ્ન છે.
દાદાશ્રી : એવું છે, પહેલું ડાર્વિનની 'થિયરી'થી આમ ઉત્ક્રાંતિવાદ પ્રમાણે 'ડેવલપ' થતો થતો મનુષ્ય સુધી આવે છે અને મનુષ્યમાં આવ્યો એટલે 'ઇગોઇઝમ' (અહંકાર) સાથે હોવાથી કર્તા થાય છે, કર્મનો કર્તા થાય છે એટલે પછી કર્મ પ્રમાણે એને ભોગવવા જવું પડે છે. 'ડેબિટ' (પાપ) કરે ત્યારે જાનવરમાં જવું પડે અને 'ક્રેડિટ'(પુણ્ય) કરે ત્યારે દેવગતિમાં જવું પડે અગર તો મનુષ્યમાં રાજાપણું મળે. એટલે મનુષ્યમાં આવ્યા પછી 'ક્રેડિટ' અને 'ડેબિટ' ઉપર આધાર રાખે છે.
A. પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ? દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ... Read More
A. પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ? દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ... Read More
Q. શું તમને મૃત્યુનો ભય લાગે છે?
A. આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની... Read More
Q. જીવનનાં છેલ્લાં કલાકોમાં શું થાય છે?
A. મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે... Read More
A. પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ? દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી,... Read More
A. મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા... Read More
Q. આત્મા શરીર છોડી જાય પછી શું થાય છે?
A. પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી... Read More
Q. શું મનુષ્યમાંથી મનુષ્યમાં જ જવાના?
A. પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ? દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે... Read More
Q. શું જ્ઞાન પછીની સનાતન શાંતિ આ જન્મ પૂરતી જ થાય?
A. પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ? દાદાશ્રી : ના.... Read More
subscribe your email for our latest news and events