મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે પછી દેહ બંધાઈ જાય. તે બે પગમાંથી ચાર પગ થઈ જાય. અહીં રોટલી ખાતાં ખાતાં ત્યાં રાડાં ખાવાનું. આ કળિયુગનું મહાતમ છે એવું. તે આ મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ છે એવો આ કળિયુગનો કાળ... !
પ્રશ્નકર્તા : અંતિમ સમયે કોને ખબર છે કે કાન બંધ થઈ જાય ?
દાદાશ્રી : અંતિમ સમયે તો આ જે જે ચોપડામાં જમે છેને, તે આવે. મરણ સમયનો કલાક, જે ગુંઠાણું આવે છેને તે સરવૈયું છે અને તે સરવૈયું તે આખી જિંદગીનું નહીં પાછું, આગળ જન્મ પડ્યો અને પછી તે વચલા ભાગનું સરવૈયું. તે મરતી ઘડીએ આપણાં લોક ઘણાય કાન આગળ બોલાવે કે 'બોલો રામ, બોલો રામ', અલ્યા મૂઆ, રામ કેમના બોલાવે છે તે ? રામ તો ગયા ક્યારનાય !
પણ લોકોએ શીખવાડેલું આવું કે આવું કંઈ કરવું. પણ એ તો મહીં પુણ્યૈ જાગી હોયને તે એડજસ્ટ થાય અને પેલો તો છોડીને પૈણાવાની ચિંતામાં જ પડ્યો હોય. આ ત્રણ છોડી પૈણાવી ને આ ચોથી રહી ગઈ. આ ત્રણ પૈણાવી ને નાની એકલી રહી ગઈ. રકમ કરી કે તે આગળ આવીને ઊભી રહેશે. અને તે નાનપણમાં સારું કરેલું નહીં આવે, ઘૈડપણમાં સારું કરેલું આવશે.
A. પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ? દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ... Read More
A. પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ? દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ... Read More
Q. શું તમને મૃત્યુનો ભય લાગે છે?
A. આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની... Read More
A. પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ? દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી,... Read More
A. મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા... Read More
Q. આત્મા શરીર છોડી જાય પછી શું થાય છે?
A. પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી... Read More
Q. શું મનુષ્યમાંથી મનુષ્યમાં જ જવાના?
A. પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ? દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે... Read More
Q. શું મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો?
A. પ્રશ્નકર્તા : 'થિયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ... Read More
Q. શું જ્ઞાન પછીની સનાતન શાંતિ આ જન્મ પૂરતી જ થાય?
A. પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ? દાદાશ્રી : ના.... Read More
subscribe your email for our latest news and events