Related Questions

જીવનનાં છેલ્લાં કલાકોમાં શું થાય છે?

મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે પછી દેહ બંધાઈ જાય. તે બે પગમાંથી ચાર પગ થઈ જાય. અહીં રોટલી ખાતાં ખાતાં ત્યાં રાડાં ખાવાનું. આ કળિયુગનું મહાતમ છે એવું. તે આ મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ છે એવો આ કળિયુગનો કાળ... !

પ્રશ્નકર્તા : અંતિમ સમયે કોને ખબર છે કે કાન બંધ થઈ જાય ?

દાદાશ્રી : અંતિમ સમયે તો આ જે જે ચોપડામાં જમે છેને, તે આવે. મરણ સમયનો કલાક, જે ગુંઠાણું આવે છેને તે સરવૈયું છે અને તે સરવૈયું તે આખી જિંદગીનું નહીં પાછું, આગળ જન્મ પડ્યો અને પછી તે વચલા ભાગનું સરવૈયું. તે મરતી ઘડીએ આપણાં લોક ઘણાય કાન આગળ બોલાવે કે 'બોલો રામ, બોલો રામ', અલ્યા મૂઆ, રામ કેમના બોલાવે છે તે ? રામ તો ગયા ક્યારનાય !

પણ લોકોએ શીખવાડેલું આવું કે આવું કંઈ કરવું. પણ એ તો મહીં પુણ્યૈ જાગી હોયને તે એડજસ્ટ થાય અને પેલો તો છોડીને પૈણાવાની ચિંતામાં જ પડ્યો હોય. આ ત્રણ છોડી પૈણાવી ને આ ચોથી રહી ગઈ. આ ત્રણ પૈણાવી ને નાની એકલી રહી ગઈ. રકમ કરી કે તે આગળ આવીને ઊભી રહેશે. અને તે નાનપણમાં સારું કરેલું નહીં આવે, ઘૈડપણમાં સારું કરેલું આવશે. 

×
Share on
Copy