ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્ર એ નિષ્પક્ષપાતી મંત્રો છે. એટલે હિન્દુસ્તાનના તમામ લોકો માટે છે આ. એટલે આ ત્રિમંત્ર બોલશો તો ઘણો ફાયદો થશે. કારણ કે, આમાં સારા સારા મનુષ્યો, ઊંચામાં ઊંચી કોટિના જીવો હોય ને, તેમને નમસ્કાર કરવાનું શીખવાડેલું છે. તો ચાલો સમજીએ આ ત્રિમંત્રનો અર્થ.

‘નમો અરિહંતાણં’ કે જેમણે ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે, એ અરિહંત કહેવાય. સીમધંર સ્વામી ભગવાન એ અરિહંત ભગવાન કહેવાય.
‘નમો સિદ્ધાણં’ કે જે અહીંથી સિદ્ધ થઈ ગયા છે, જેને અહીં આગળ દેહેય છૂટી ગયેલો છે ને ફરી દેહ મળવાનો નથી અને સિદ્ધ ગતિમાં નિરંતર સિદ્ધ ભગવાનની સ્થિતિમાં રહે છે. ભગવાન રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ભગવંતો કહેવાય.
‘નમો આયરિયાણં’ કે જે અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે. જેમ કે, શ્રીમદ્જી અને દાદા ભગવાન.
‘નમો ઉવ્વજ્ઝાયાણં’ કે જેમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધા ભણે ને પછી બીજાને ભણાવડાવે છે. જેમાં આત્મજ્ઞાની પૂજ્ય નીરુમા અને પૂજ્યશ્રી દીપકભાઈનો સમાવેશ થાય છે.
‘નમો લોએ સવ્વસાહૂણં’ લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે કે જે સંસારદશામાંથી મુક્ત થઈને આત્મદશા માટે પ્રયત્ન કરે છે અને આત્મદશા સાધે છે.
'ઐસો પંચ નમુક્કારો' એટલે ઉપર જે પાંચ નમસ્કાર કર્યા.
'સવ્વ પાવપ્પણાસણો' જે બધા પાપોને નાશ કરવાવાળો છે. આ બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.
‘મંગલાણં ચ સવ્વેસિં’ કે જે બધા મંગલોમાં.
‘પઢમં હવઈ મંગલમ્’ એટલે આ દુનિયામાં બધા મંગલો જે છે એ બધામાં પહેલામાં પહેલું મંગલ આ છે, મોટામાં મોટું ખરું મંગલ આ છે એવું કહેવા માગે છે.
‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ એટલે વાસુદેવ ભગવાન! વાસુદેવ ભગવાન જે નરમાંથી નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. આ કાળના વાસુદેવ એટલે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. એટલે આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે. એમના જે શાસનદેવો હોય ને, તેમને પહોંચી જાય!
‘ૐ નમઃ શિવાય’ એટલે આ દુનિયામાં જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય અને જે જીવતા હોય, જેનો અહંકાર જતો રહેલો હોય, એ બધા શિવ કહેવાય. શિવ તો પોતે કલ્યાણ સ્વરૂપ જ છે. એટલે જે પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે અને બીજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, એમને નમસ્કાર કરું છું. એમાં બધા આત્મજ્ઞાનીઓને નમસ્કાર પહોંચે છે.
પ્રશ્નકર્તા: આ ત્રિમંત્રમાં નવકાર મંત્ર, વાસુદેવ અને શિવ, આ ત્રણેય મંત્રોને જોડે મૂકવાનું શું પ્રયોજન છે?
દાદાશ્રી: આખું ફળ ખાય અને ટુકડો ખાય એમાં ફેર નહીં? એ ત્રિમંત્રો બધા આખા ફળરૂપે છે, આખું ફળ!
ઋષભદેવ ભગવાને એક જ વાત કહી હતી કે, ‘દેરાં છે તે વૈષ્ણવવાળા વૈષ્ણવના, શિવધર્મવાળા શિવના, જૈનધર્મવાળાં જૈનના, બધા પોતપોતાના દેરાં વહેંચી લેજો. અને આ છે તે મંત્રો વહેંચી ના નાખશો. મંત્રો વહેંચશો તો એનું સત્વ ઊડી જશે. એટલા માટે આ આમાં ભગવાનના કહ્યા પ્રમાણે છે.
આ ત્રણે મંત્રો એવા છે કે અણસમજણવાળો બોલે તોય ફાયદો થાય અને સમજણવાળો બોલે તોય ફાયદો થાય. પણ સમજણવાળાને વધુ ફાયદો થાય અને અણસમજણવાળાને મોઢે બોલ્યો તે બદલનો જ ફાયદો થાય.
'નમો અરિહંતાણં'ના જાપ વખતે કોઈ રંગનું ચિંતન કરવાની કંઈ જરૂર નથી. અને જો ચિંતન કરવું હોય તો આંખો મીંચીને ન....મો....અ....રિ....હં....તા....ણં એમ દેખાવું જોઈએ. એનાથી બહુ ફળ મળે. એકાંતમાં જઈને, મોટેથી પહાડી અવાજથી બોલો. મોટેથી બોલવાથી ફાયદો ઘણો જ છે. કારણ કે, મોટેથી જ્યાં સુધી ના બોલે ત્યાં સુધી માણસની અંદર બધી મશીનરી બંધ થતી નથી. ત્યાં સુધી એકત્વને પામે નહીં. ત્યાં સુધી પેલું ફળ આપે નહીં. એટલે મોટેથી બોલજો. કારણ કે, મોટેથી બોલે એટલે પછી મન બંધ થઈ ગયું, બુદ્ધિ ખલાસ થઈ ગઈ.
દાદા ભગવાન કહેતા કે આ અમારો આપેલો ત્રિમંત્ર સવારમાં જો પાંચ વખત અમારું મોઢું યાદ કરીને બોલશો તો ક્યારેય ડૂબશો નહીં અને ધીરે ધીરે મોક્ષેય મળશે અને એની જોખમદારી અમે લઈએ છીએ.
સંસાર વ્યવહારમાં દરેક પ્રકારના વ્યવહાર હોય છે. એટલે આ ત્રણ મંત્રો બોલવાથી આવતી ઉપાધિ ઓછી થાય. છતાં ઉપાધિ એનો નિમિત્તરૂપે ભાગ ભજવી જાય, પણ આવડો મોટો પથરો વાગવાનો હોય ને, તે આવી કાંકરી જેવી વાગે.
જો તમારે દેવોનો સહારો જોઈતો હોય તો બધા મંત્રો ભેગા બોલો. એના શાસનદેવો હોય, એટલે એ તમને હેલ્પ કરે. તે આ ત્રિમંત્રો છે ને, તેમાં આ જૈનનો મંત્ર છે એ જૈનના શાસનદેવો છે, એમને ખુશ કરવાનું સાધન છે. વૈષ્ણવનો મંત્ર છે તે એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે અને શિવનો જે મંત્ર છે એ એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે. હંમેશાં દરેકની પાછળ શાસન સાચવનારા દેવો હોય પાછા. એ દેવો આ મંત્રો બોલીએ એટલે ખુશ થાય એટલે આપણી અડચણો નીકળી જાય.
દાદા ભગવાન કહેતા કે આ અમારા આપેલા ત્રિમંત્રમાં તો ગજબની શક્તિ છે! સર્વ દેવો રાજી રહે અને વિઘ્ન ના આવે. સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે.
અને બહુ અડચણ હોય ત્યારે કલાક-કલાક બોલજો. તો મુશ્કેલીઓ શૂળીનો ઘા સોયે સરી જશે.
આત્મજ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને નિષ્પક્ષપાતી ત્રિમંત્રો આપ્યા. જે સવાર-સાંજ પાંચ-પાંચ વખત ઉપયોગપૂર્વક બોલજો કહ્યું.
દુકાન પર જરા વિઘ્ન આવવાનું હોય ને તો અડધો-અડધો કલાક, કલાક-કલાક સુધી બોલવું. આખું ગુંઠાણું પૂરું કરી નાખવું.
A. નમો અરિહંતાણં હું એવા અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે,... Read More
A. ઓળખાણ, અરિહંત ભગવાનની અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ... Read More
Q. અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?
A. પ્રશ્નકર્તા: અરિહંત ભગવાન એટલે કે ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું? દાદાશ્રી: ના,... Read More
Q. આચાર્ય ભગવંતોમાં કયા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો આયરિયાણં.' દાદાશ્રી: અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે... Read More
Q. ઉપાધ્યાય ભગવંતોમાં કયા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો ઉવજ્ઝાયાણં.' દાદાશ્રી: ઉપાધ્યાય ભગવાન! એનો શું અર્થ થાય? જેને આત્મા પ્રાપ્ત થઈ... Read More
A. પ્રશ્નકર્તા: 'નમો લોએ સવ્વસાહૂણં.' દાદાશ્રી: લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા... Read More
A. પ્રશ્નકર્તા: ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ સમજાવો. દાદાશ્રી: વાસુદેવ ભગવાન! એટલે જે વાસુદેવ ભગવાન નરના... Read More
Q. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?
A. પ્રશ્નકર્તા: લોએ એટલે શું? દાદાશ્રી: નમો લોએ સવ્વસાહૂણં. લોએ એટલે લોક. આ લોક સિવાય બીજું અલોક... Read More
A. પ્રશ્નકર્તા: ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે? દાદાશ્રી: હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન... Read More
Q. જય સચ્ચિદાનંદનો અર્થ શું છે?
A. આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા... Read More
subscribe your email for our latest news and events
