બુદ્ધિ બગાડે સંસાર !
પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય?
દાદાશ્રી: એને બુદ્ધિથી બધા પર્યાય દેખાય. એવું દેખાય કે આવું હશે, આમ હાથ મૂકી ગયો હશે. કોઈક માણસ પોતાની 'વાઈફ' ઉપર હાથ મૂકી ગયો, એટલે પછી બધા પર્યાય ઊભા થઈ જાય, કે શું હશે?! તે બધું આખું કેટલું લંગર ચાલે! અને પેલા અબુધને કશી ભાંજગડ નહીં. અને એ ય ખરેખર અબુધ નથી હોતા, પોતાનો સંસાર ચાલે એટલી બુદ્ધિ હોય. એને બીજી કશી ભાંજગડ નહીં. થોડુંક થઈને પછી બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: એટલે આપ એવું કહેવા માગો છો કે જે સાંસારિક અબુધ છે, જે હજુ બુદ્ધિમાં ડેવલપ નથી થયાં?
દાદાશ્રી: ના, એવાં તો માણસો બહુ ઓછાં હોય, મજૂરો ને એ બધા!
પ્રશ્નકર્તા: પણ એ લોકો બુદ્ધિશાળી થઈને પછી અબુધ દશાને પ્રાપ્ત થશે ને?
દાદાશ્રી: એ તો વાત જ જુદીને! એ તો પરમાત્મપદ કહેવાય. બુદ્ધિશાળી થયા પછી અબુધ થાય ને, એ તો પરમાત્મપદ છે!
પણ એ બુદ્ધિશાળી લોકોને આ સંસાર બહુ હેરાન કરે. અરે, પાંચ છોડીઓ હોય અને એ બુદ્ધિશાળી માણસ હોય તો, આ છોડીઓ મોટી ઉંમરની થઈ, હવે એ બધી બહાર જાય, તે બધા પર્યાય એને યાદ આવે. બુદ્ધિથી બધું જ સમજણ પડે. એટલે બધું એને દેખાય અને પછી તે ગૂંચાયા કરે. અને પાછું છોકરીઓને 'કોલેજ' તો મોકલવી જ પડે અને આમ થાય તે ય જોવું પડે. અને ખરેખર કશું બન્યું કે ના બન્યું એ વાત ભગવાન જાણે પણ પેલો તો શંકાથી માર્યો જાય!
અને બને છે ત્યાં એને ખબર જ નથી, એટલે ત્યાં શંકા નથી એને. અને નથી બનતું ત્યાં શંકા પાર વગરની છે. એટલે નર્યું શંકામાં જ બફાયા કરે છે પછી, અને એને ભય જ લાગે. એટલે શંકા ઊભી થઈ કે માણસ માર્યો જાય.
A. ચોપડાના હિસાબ ! આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ?... Read More
Q. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
A. મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં... Read More
Q. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા... Read More
Q. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુધ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે... Read More
A. પ્રેમનો પાવર ! સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ.... Read More
A. ભયનું મૂળ કારણ ! પ્રશ્નકર્તા: આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ... Read More
Q. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
A. એવો નિશ્ચય છોડાવે લાલચો એટલે 'કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય.... Read More
Q. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
A. માન-અપમાનનું ખાતું 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં... Read More
Q. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
A. આ તો નરી શંકાનાં જ વાતાવરણમાં જીવી રહ્યું છે આખું જગત, કે 'આમ થઈ જશે કે તેમ થઈ જશે.' કશુંય થવાનું... Read More
Q. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
A. શંકા રાખવા જેવું છે જ ક્યાં ?! પ્રશ્નકર્તા: આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા... Read More
Q. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
A. શંકા અને ભય ! પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન... Read More
Q. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
A. ત્યાં શૂરવીરતા હોવી ઘટે ! નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે... Read More
Q. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
A. નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ ! બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો... Read More
A. ત્યારે સંદેહ જાય ! પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો... Read More
Q. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
A. શંકામાંથી નિઃશંકતા ! પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર... Read More
subscribe your email for our latest news and events