અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોશંકા રાખવા જેવું છે જ ક્યાં ?!
પ્રશ્નકર્તા: આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા રહી નથી ને અમે 'કન્વીન્સ' થઈ ગયા છીએ.
દાદાશ્રી: હા, અહીં શંકા રહે નહીં ને! અને શંકા રાખવા જેવું જગત જ નથી. જો શંકા રાખવા જેવું જગત હોત ને, તો હું તમને કહેત જ નહીં કે 'હેય, મારી ગેરહાજરીમાં તમે આવી તેવી શંકા ના કરશો.' આ તો મેં તમને ખાજો, પીજો, બધુંય કહ્યું. અને આવી શંકા ને એ બધું ના કરશો, એમેય કહ્યું, કારણ કે નિઃશંક જગત મેં જોયું છે, ત્યારે જ હું તમને કહું ને?! જગત મેં જોયું છે નિઃશંક, તે આ દિશામાં નિઃશંક છે અને બીજી આ દિશામાં શંકાવાળું છે. તો આ નિઃશંકવાળી દિશા બતાડી દઉં, એટલે પછી ભાંજગડ જ નહીં ને!
હવે શંકા જ ના રાખે તો ચાલે એવું છે કે નથી ચાલે એવું?
પ્રશ્નકર્તા: એ તો સારું ચાલે ને! પણ એવું હોવું જોઈએ ને!!
દાદાશ્રી: થઈ જાય એ તો પછી! બાકી આ હિન્દુસ્તાનની પ્રજા વહેમોથી, શંકાથી, બીકથી મારી નાખેલી પ્રજા છે! એટલે આ શંકા શબ્દ તો આખી દુનિયાનો હું કાઢવા માગું છું. એ શંકા શબ્દ કાઢી નાખવા જેવો છે. 'વર્લ્ડ'માં એના જેવું કોઈ ભૂત નથી. અને તેથી જ ઘણાખરા લોકો દુઃખી છે, શંકાથી જ દુઃખી છે.
અને શા સારુ વહેમો રાખવાના તે?! આ વહેમ તો રાખવા જેવો જ નથી, દુનિયામાં! કોઈ જાતનો વહેમ રાખવા જેવો નથી. વહેમ એ 'હેલ્પિંગ પ્રોબ્લેમ' નથી. વહેમ એ નુકસાનકારક 'પ્રોબ્લેમ' છે. જે છે એથી વધારે નુકસાન કરશે. અને જે નુકસાન થવાનું છે એમાં કોઈ વાંધો નથી આવવાનો. માટે વહેમને છોડી દો. હું તો એટલું જ કહેતો આવ્યો છું, ને છોડાવી દીધા ઘણા ખરા ને!
1) કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે સંજોગોનું ભેગું થવું તે. સંજોગોનો ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો, એનું નામ કુદરત અને એ સંજોગો ભેગા થઈ રહ્યા, એનું નામ 'વ્યવસ્થિત'.
2) જેને વહેમ પડે, તેનું આખું નિકંદન જાય. વહેમ એ 'ટિમિડનેસ' (ભીરુતા) છે. આખું જગત 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. ત્યાં વહેમ શો ? તું આખા બ્રહ્માંડનો માલિક છે, તેનો પુરાવો 'હું' આપવા તૈયાર છું.
3) કોઈના ય ચારિત્ર સંબંધી શંકા ના કરાય, બહુ મોટી જોખમદારી છે. મોટા મોટા તીર્થંકરો જે માને પેટે જન્મ્યા, તેમાં સ્ત્રીને કેમ દોષિત ગણાય ? શંકા શાને માટે કરવાની ? જે કરે છે તે તેની જોખમદારી છે.
subscribe your email for our latest news and events