શંકા અને ભયથી મુક્તિ

જ્યારે લોકો સમાચાર પત્રોમાં નકારાત્મક ઘટનાઓ વિશે વાંચે છે, ત્યારે તેમને એવો ભય લાગે છે કે, જો તેઓ સોનાનાં ઘરેણા પહેરીને નીકળશે, તો તેમને પણ આવીજ દુર્ઘટનાઓનો સામનો કરવો પડશે. પરંતુ ચિંતા ના કરશો ! જો તમારા કર્મનો હિસાબ નહીં  હોય, તો તમે કીંમતી રત્નો પહેરીને ફરતા હશો તો પણ તમને કોઈ અડી નહીં શકે. જો તમારા કર્મનો હિસાબ હશે તો જ તમને અસર કરશે. આ કુદરત એટલી બધી ચોક્કસ છે કે, કોઈએ તમારો એક વાળ પણ ચોરી કર્યો હશે, એ પાછો આવશે. માટે ચિંતા કરશો નહીં, નીડર બનો!

ક્યારેક તમારી અંદર શંકાસ્પદ વિચારો ઊભા થાય અને એ વિચારો જો થોડીવાર જ રહેને તોય એ સામાને પહોંચી જાય અને પછી ઉગે. આવી શંકાઓથી મુક્ત થવા માટે, તુર્ત જ દાદાશ્રીએ સમજાવેલ પ્રતિક્રમણ કરીને પાછા વળી જાઓ.

ભય અને તેની પાછળ રહેલા કારણોને સમજવા, શંકાસ્પદ વિચારોથી મુક્ત થવા અને દાદાશ્રીની સરળ છતાં ગુહ્ય દ્રષ્ટિથી સમજાવેલા નિર્ભય જીવન જીવવા માટે આગળ વાંચીએ...

Top Questions & Answers

  1. Q. સમાચાર પત્રોમાં તમામ પ્રકારના ખરાબ સમાચાર છપાય છે, પરંતુ એવું ડરવાની જરૂર નથી કે, શું મારી સાથે આવું થઇ શકે?

    A. ચોપડાના હિસાબ ! આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ?... Read More

  2. Q. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?

    A. મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં... Read More

  3. Q. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?

    A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા... Read More

  4. Q. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?

    A. પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુધ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે... Read More

  5. Q. જગત ભયથી સુધરે કે પ્રેમથી?

    A. પ્રેમનો પાવર ! સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ.... Read More

  6. Q. ભયનું મૂળ કારણ શું છે?

    A. ભયનું મૂળ કારણ ! પ્રશ્નકર્તા: આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ... Read More

  7. Q. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?

    A. એવો નિશ્ચય છોડાવે લાલચો એટલે 'કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય.... Read More

  8. Q. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?

    A. માન-અપમાનનું ખાતું 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં... Read More

  9. Q. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?

    A. આ તો નરી શંકાનાં જ વાતાવરણમાં જીવી રહ્યું છે આખું જગત, કે 'આમ થઈ જશે કે તેમ થઈ જશે.' કશુંય થવાનું... Read More

  10. Q. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?

    A. બુદ્ધિ બગાડે સંસાર ! પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય? દાદાશ્રી: એને... Read More

  11. Q. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?

    A. શંકા રાખવા જેવું છે જ ક્યાં ?! પ્રશ્નકર્તા: આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા... Read More

  12. Q. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?

    A. શંકા અને ભય ! પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન... Read More

  13. Q. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?

    A. ત્યાં શૂરવીરતા હોવી ઘટે !  નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે... Read More

  14. Q. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?

    A. નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ ! બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો... Read More

  15. Q. મારી શંકા ક્યારે જશે?

    A. ત્યારે સંદેહ જાય ! પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો... Read More

  16. Q. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?

    A. શંકામાંથી નિઃશંકતા ! પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર... Read More

Spiritual Quotes

  1. 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. 
  2. શૂરવીરતા હોય, તે કોઈક દહાડો ફેંકી દે તો બધું ફેંકીને ચાલતો થઈ જાય અને એ ધારે એવું કામ કરી શકે. એટલે શૂરવીરપણું રાખવું જોઈએ કે 'મને કંઈ થાય નહીં.'
  3. એટલે જે કામ કરવું એમાં શંકા નહીં, ને શંકા આવે તે કરવું નહીં. 'મારાથી આ કામ થશે કે નહીં થાય' એવી શંકા પડે ત્યાંથી જ કામ થાય નહીં.
  4. વેદના તો તેને થાય કે જેને ભય હોય !
  5. જો ધાકથી સુધરતું હોયને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે.
  6. કેટલાંક કહે છે કે અમારે ડરના માર્યા કપટ કરવું પડે છે. પણ ડર શેનો? ગુનો હોય તેને ડર ને!
  7. શંકા યથાર્થ પ્રતિક્રમણથી દૂર થાય. શંકા સામે પ્રતિક્રમણ કરવાનાં છે, નિષ્ફિકરા નથી થવાનું. જેણે શંકા કરી, જે અતિક્રમણ કરે છે તેની પાસે પ્રતિક્રમણ કરાવવાનું છે. 
  8. સંસારમાં દુઃખ એટલે શું ? ત્યારે કહે, કુશંકાથી ઊભાં થયેલાં દુઃખ.
  9. ઘરમાં મોટા ભાગની વઢવાડો તે અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. શંકાથી સ્પંદનો ઊઠે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાય તો ભડકા એની મેળે શમી જાય. બેઉ જો શંકાવાળા થાય તો ભડકા શમે શી રીતે ? એકાદને નિઃશંક થયે જ છૂટકો !
  10. જેને વહેમ પડે, તેનું આખું નિકંદન જાય. વહેમ એ 'ટિમિડનેસ' (ભીરુતા) છે. આખું જગત 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. ત્યાં વહેમ શો ? તું આખા બ્રહ્માંડનો માલિક છે, તેનો પુરાવો 'હું' આપવા તૈયાર છું.
  11. શંકાનું સમાધાન ના હોય, સાચી વાતનું સમાધાન હોય. શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં.
  12. ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્યે ભય ન ઉપજે !
  13. વિચાર તો ગમે તેવાં આવે તો ય પણ આપણે 'પુરુષ' છીએ ને ? પુરુષ ના હોય તો માણસ મરી જાય. પુરુષ થયા પછી પુરુષાર્થમાં શંકા હોતી હશે ? પુરુષ થયા પછી ભય શો ? સ્વપુરુષાર્થ ને સ્વપરાક્રમ ઊભાં થયાં છે. પછી ભય શો?
  14. જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ! એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે.

Related Books

×
Share on
Copy