Related Questions

તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.

તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે અને આઘાતથી માંડીને હતાશા સુધીની આપણી જાતને ઘણી ભાવનાઓમાંથી પસાર થતા જોઈ હશે. તમને આશ્ચર્ય થશે કે તમે ક્યારેય આ દુઃખને દૂર કરી શકશો કે નહીં. છેવટે તમે આત્મહત્યા કરવાના વિચારો સુધી પહોંચી શકો છો.

આવા કપરા સમયગાળા દરમિયાન કેટલાક નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ થવો તે એકદમ સામાન્ય બાબત છે, પરંતુ સંબંધ તૂટ્યા પછી આપઘાત અંગેના વિચારો તરત જ દૂર કરવા જોઈએ.

Suicide Prevention

સમજો કે:

  • સમય એ રોગની અંતિમ દવા છે અને આખરે તમે આગળ વધશો.
  • સંબંધ પૂરો થયો છે. આ સત્યને સ્વીકારવું શ્રેષ્ઠ છે.
  • તે તમારો દોષ નથી કે ભૂતપૂર્વ સાથીનો દોષ નથી. તેના બદલે, તેને તમારા કર્મના પરિણામ રૂપે જુઓ. તેમાં કોઈનો દોષ નથી.

તૂટેલા હૃદયને કેવી રીતે જોડવું અને વધારે હતાશાની (ડિપ્રેશન) ભાવના સાથે આત્મહત્યાના વિચારોને દૂર કરવા કેવી રીતે વ્યવહાર કરવો, તે અહીં દર્શાવેલ છે:

  • વ્યસ્ત અને સક્રિય રહો - મગજને નિષ્ક્રિય ન રાખશો, મનને એવી પ્રવૃત્તિઓ સાથે વ્યસ્ત કરો જે તેને પડકારરૂપ બની રહે.
  • વર્તમાનમાં જીવો અને ભવિષ્યમાં શું થશે તે ના જોશો કારણ કે, તે અજ્ઞાત છે અને કુદરતના હાથમાં છે. ભૂતકાળ તો બની ચૂક્યો છે.
  • તમારા પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની કદર કરો, જે હાલમાં તમારા જીવનમાં છે, અને તેમની પાસેથી શક્તિ મેળવો.
  • અન્ય લોકો સાથે વાત કરો. તમે કેવું અનુભવો છો તે સમજાવો. વાતચીત કરવાની કળા, એ એક ખૂબ જ શક્તિશાળી સાધન છે.

આ કેટલીક બાબતો છે જે તમે તમારા જીવનમાં અપનાવી શકો છો અને જે તમને મદદરૂપ થશે. તમે આંતરિકરૂપે થતા સૂક્ષ્મ ફેરફારો જોવાનું અને એને અનુભવવાનું શરૂ કરશો.

માનવજીવનનું મહત્ત્વ

મનુષ્યજીવન એ એક કુદરતી ભેટ છે, તેથી તેનો અમૂલ્ય સંગ્રહ કરો, તેને સંસારિક વેદનાઓમાં વેડફશો નહીં. મજબૂત બનો, કેમ કે તમને અનંત અવતાર ભટક્યા પછી મનુષ્યજીવન મળ્યું છે. ફક્ત મનુષ્યગતિમાં જ જીવન અને મૃત્યુના અસંખ્ય ફેરામાંથી મુક્ત થઈ શકાય એમ છે. સાથે સંસાર તો બધા દુ:ખો અને ભોગવટા સહિત જ હોય છે.

માનવજીવનનો ધ્યેય પોતાના શુદ્ધાત્માને પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ, જેથી મુક્તિ (મોક્ષ) પ્રાપ્તિ થાય. મોક્ષ એટલે સંસારના તમામ દુ:ખો વચ્ચે આંતરિક શાંતિનો અનુભવ કરીને પોતાના ખરા સ્વરૂપ (આત્મા)માં રહીને બધી જ માનસિક, શારીરિક અને બાહ્ય સમસ્યાઓથી મુક્તિનો અનુભવ કરવાનો છે.

આપણને આ શરીર મળ્યું છે, તેનું કારણ જ કર્મ છે. અન્ય ગતિમાં જીવો કર્મોમાંથી છૂટે છે પણ તેમને કર્મ બંધાતા નથી, પરંતુ ફક્ત મનુષ્યગતિમાં જ એવું છે કે, જેમાં કર્મો બંધાય છે અને તેમાંથી મુક્ત પણ થઈ શકાય એમ છે. જ્યારે તમે કોઈ પણ પ્રકારના શુભ કે અશુભ કર્મોને ચાર્જ કરવામાંથી મુક્ત થઈ જાવ છો, ત્યારે અંતિમ મુક્તિ (મોક્ષ)ની પ્રાપ્તિ શક્ય બને છે.

મોક્ષની પ્રાપ્તિ ફક્ત પૂર્ણ પ્રકાશક જ્ઞાની પુરુષ દ્વારા જ થઈ શકે છે, કેમ કે તેમને પહેલેથી જ શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઈ છે અને અન્ય લોકોને પણ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. જ્ઞાની પુરુષ એ અધ્યાત્મમાં ઉચ્ચસ્તરીય દશા છે, તેમનો જીવનનો મુખ્ય ધ્યેય (હેતુ) પ્રત્યેક જીવમાત્રને સંસારિક દુઃખોમાંથી મુક્ત કરવાનો છે, કારણ કે, તેઓ નિરંતર પોતાના સ્વ-સુખ (શુદ્ધાત્મા)ના આનંદમાં હોય છે. તેથી, જીવન જીવવાનું છોડો નહીં અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યા કરવાનો વિચાર કરો નહીં, તમારી સાથે જે બન્યું છે તે સ્વીકારવું અને શોક (દુઃખ)ની લાગણીઓને દૂર કરવા માટે ઉકેલો શોધવા.

તમારા હૃદયને દુઃખી ના કરે એવા બિનશરતી અને પરિપૂર્ણ પ્રેમની શોધ કરવી.

જે એક ક્ષણ વધે અને પછી ઘટી જાય એ પ્રેમ નથી:
જે હૃદયમાં કાયમને માટે રહે છે તે જ સાચો પ્રેમ છે.’

આ પ્રકારનો પ્રેમ ફક્ત જ્ઞાની પાસેથી જ મળી શકે છે, જે ક્યારેય વધતો નથી અથવા ઘટતો નથી. તમારા સારા અથવા ખરાબ વર્તણૂકની સામે પણ તેઓ સદા સ્થિર રહે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ્ઞાનીને જ પ્રત્યેક જીવ માત્ર માટે આ પ્રકારનો પ્રેમ હોય છે - આ પ્રેમ સંપૂર્ણ આત્મા (શુદ્ધાત્મા સ્વરૂપ) છે.

તેનાથી વિપરિત, મનુષ્યમાં જે પ્રેમ છે તે મોહ અને આકર્ષણોથી ભરેલો છે, જે તેમના જીવનમાં આવતા વિવિધ સંજોગો અને વ્યક્તિઓ પર આધાર રાખે છે. જ્યારે તમારા પ્રિય વ્યક્તિ તમને કંઈક દુઃખદાયક કહેશે, ત્યારે તમને આ વાતનો તરત જ ખ્યાલ આવશે.

ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રિયજનને ખૂબ લાંબા સમય સુધી જોયા જ નથી અને તેઓ ઘરે આવ્યા છે, તેમના આગમન પર, તમે બધો સમય એમની સાથે વિતાવશો, તમે સાથે જમશો અને એકબીજા સાથે સારો સમય પસાર કરશો. જ્યારે બેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાના જીવનસાથી પર ચીસો પાડે (ક્લેશ) કરે છે, એવા સંજોગોમાં સામી વ્યક્તિને કે જેમની સાથે ક્લેશ થયો છે, તે પોતે પણ વિચારે કે આ કેવા પ્રકારનો વ્યક્તિ છે? પરિણામે, એકબીજા પ્રત્યેના તેમના પ્રેમનો અંત આવે છે.

તેથી, તમે તમારી હાલની વિષમ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે જ્ઞાનીની શોધ કરો, જે તમને આત્માના અનુભવરૂપી અપ્રતિમ ભેટ આપશે અને તમને તમારા દુ:ખોથી મુક્ત કરાવશે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઈક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતના પરિણામો કયા છે?
×
Share on