તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે અને આઘાતથી માંડીને હતાશા સુધીની આપણી જાતને ઘણી ભાવનાઓમાંથી પસાર થતા જોઈ હશે. તમને આશ્ચર્ય થશે કે તમે ક્યારેય આ દુઃખને દૂર કરી શકશો કે નહીં. છેવટે તમે આત્મહત્યા કરવાના વિચારો સુધી પહોંચી શકો છો.
આવા કપરા સમયગાળા દરમિયાન કેટલાક નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ થવો તે એકદમ સામાન્ય બાબત છે, પરંતુ સંબંધ તૂટ્યા પછી આપઘાત અંગેના વિચારો તરત જ દૂર કરવા જોઈએ.
સમજો કે:
આ કેટલીક બાબતો છે જે તમે તમારા જીવનમાં અપનાવી શકો છો અને જે તમને મદદરૂપ થશે. તમે આંતરિકરૂપે થતા સૂક્ષ્મ ફેરફારો જોવાનું અને એને અનુભવવાનું શરૂ કરશો.
મનુષ્યજીવન એ એક કુદરતી ભેટ છે, તેથી તેનો અમૂલ્ય સંગ્રહ કરો, તેને સંસારિક વેદનાઓમાં વેડફશો નહીં. મજબૂત બનો, કેમ કે તમને અનંત અવતાર ભટક્યા પછી મનુષ્યજીવન મળ્યું છે. ફક્ત મનુષ્યગતિમાં જ જીવન અને મૃત્યુના અસંખ્ય ફેરામાંથી મુક્ત થઈ શકાય એમ છે. સાથે સંસાર તો બધા દુ:ખો અને ભોગવટા સહિત જ હોય છે.
માનવજીવનનો ધ્યેય પોતાના શુદ્ધાત્માને પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ, જેથી મુક્તિ (મોક્ષ) પ્રાપ્તિ થાય. મોક્ષ એટલે સંસારના તમામ દુ:ખો વચ્ચે આંતરિક શાંતિનો અનુભવ કરીને પોતાના ખરા સ્વરૂપ (આત્મા)માં રહીને બધી જ માનસિક, શારીરિક અને બાહ્ય સમસ્યાઓથી મુક્તિનો અનુભવ કરવાનો છે.
આપણને આ શરીર મળ્યું છે, તેનું કારણ જ કર્મ છે. અન્ય ગતિમાં જીવો કર્મોમાંથી છૂટે છે પણ તેમને કર્મ બંધાતા નથી, પરંતુ ફક્ત મનુષ્યગતિમાં જ એવું છે કે, જેમાં કર્મો બંધાય છે અને તેમાંથી મુક્ત પણ થઈ શકાય એમ છે. જ્યારે તમે કોઈ પણ પ્રકારના શુભ કે અશુભ કર્મોને ચાર્જ કરવામાંથી મુક્ત થઈ જાવ છો, ત્યારે અંતિમ મુક્તિ (મોક્ષ)ની પ્રાપ્તિ શક્ય બને છે.
મોક્ષની પ્રાપ્તિ ફક્ત પૂર્ણ પ્રકાશક જ્ઞાની પુરુષ દ્વારા જ થઈ શકે છે, કેમ કે તેમને પહેલેથી જ શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઈ છે અને અન્ય લોકોને પણ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. જ્ઞાની પુરુષ એ અધ્યાત્મમાં ઉચ્ચસ્તરીય દશા છે, તેમનો જીવનનો મુખ્ય ધ્યેય (હેતુ) પ્રત્યેક જીવમાત્રને સંસારિક દુઃખોમાંથી મુક્ત કરવાનો છે, કારણ કે, તેઓ નિરંતર પોતાના સ્વ-સુખ (શુદ્ધાત્મા)ના આનંદમાં હોય છે. તેથી, જીવન જીવવાનું છોડો નહીં અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યા કરવાનો વિચાર કરો નહીં, તમારી સાથે જે બન્યું છે તે સ્વીકારવું અને શોક (દુઃખ)ની લાગણીઓને દૂર કરવા માટે ઉકેલો શોધવા.
‘જે એક ક્ષણ વધે અને પછી ઘટી જાય એ પ્રેમ નથી:
જે હૃદયમાં કાયમને માટે રહે છે તે જ સાચો પ્રેમ છે.’
આ પ્રકારનો પ્રેમ ફક્ત જ્ઞાની પાસેથી જ મળી શકે છે, જે ક્યારેય વધતો નથી અથવા ઘટતો નથી. તમારા સારા અથવા ખરાબ વર્તણૂકની સામે પણ તેઓ સદા સ્થિર રહે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ્ઞાનીને જ પ્રત્યેક જીવ માત્ર માટે આ પ્રકારનો પ્રેમ હોય છે - આ પ્રેમ સંપૂર્ણ આત્મા (શુદ્ધાત્મા સ્વરૂપ) છે.
તેનાથી વિપરિત, મનુષ્યમાં જે પ્રેમ છે તે મોહ અને આકર્ષણોથી ભરેલો છે, જે તેમના જીવનમાં આવતા વિવિધ સંજોગો અને વ્યક્તિઓ પર આધાર રાખે છે. જ્યારે તમારા પ્રિય વ્યક્તિ તમને કંઈક દુઃખદાયક કહેશે, ત્યારે તમને આ વાતનો તરત જ ખ્યાલ આવશે.
ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રિયજનને ખૂબ લાંબા સમય સુધી જોયા જ નથી અને તેઓ ઘરે આવ્યા છે, તેમના આગમન પર, તમે બધો સમય એમની સાથે વિતાવશો, તમે સાથે જમશો અને એકબીજા સાથે સારો સમય પસાર કરશો. જ્યારે બેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાના જીવનસાથી પર ચીસો પાડે (ક્લેશ) કરે છે, એવા સંજોગોમાં સામી વ્યક્તિને કે જેમની સાથે ક્લેશ થયો છે, તે પોતે પણ વિચારે કે આ કેવા પ્રકારનો વ્યક્તિ છે? પરિણામે, એકબીજા પ્રત્યેના તેમના પ્રેમનો અંત આવે છે.
તેથી, તમે તમારી હાલની વિષમ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે જ્ઞાનીની શોધ કરો, જે તમને આત્માના અનુભવરૂપી અપ્રતિમ ભેટ આપશે અને તમને તમારા દુ:ખોથી મુક્ત કરાવશે.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
A. આપણી આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યવશ, આત્મહત્યાના વિચારો વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થા ખાસ કરીને, કિશોરવયના છોકરાંઓ અને છોકરીઓ માટે ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઊભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખૂબ જ નજીક છો અને જે હતાશાના (ડિપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events