Related Questions

બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?

કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે આપણને ઉદાસીનતા અને ડીપ્રેશન જેવી લાગણીઓના ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે. આવા સંજોગોમાં ખરેખર એવું લાગે કે, શું ડીપ્રેશનમાંથી બહાર નીકળવું શક્ય છે! અંતે આ બધી જ પરિસ્થિતિ આપણને આત્મહત્યાના વિચારો સુધી લઈ જાય છે.

આવા મુશ્કેલ સમયમાં નેગેટિવ વિચારો આવવા એ સામાન્ય બાબત છે, પણ સંબંધ તૂટ્યા પછી જો આત્મહત્યાનાં વિચારો આવે તો એને તરત જ દૂર કરવા જોઈએ.

એવું સમજીએ કે:

  • સમય જતાં બધાં ઘા રૂઝાઈ જશે અને ધીમે-ધીમે આવેલી પરિસ્થિતિમાંથી પણ ઉગરી જવાશે.
  • હવે, સંબંધ પૂરો થઈ ગયો છે, એ વાતને સ્વીકારી લેવું જોઈએ.
  • આમાં આપણો કે સામેવાળી વ્યક્તિનો, કોઈનો પણ દોષ નથી. આ તો, આપણા કર્મનું પરિણામ આવ્યું કહેવાય.

બ્રેકઅપનાં કારણે ડીપ્રેશનમાંથી બહાર નીકળવા નીચે દર્શાવેલ ટીપ્સને અજમાવી શકાય:

  • વ્યસ્ત અને કાર્યરત રહેવું. મનને નિષ્ક્રિય ન રાખતાં, એને ચેલેન્જીંગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવું.
  • વર્તમાનમાં રહેવું અને ભવિષ્યની ચિંતા ના કરવી. કારણ કે, ભવિષ્યનો આપણને ખ્યાલ નથી અને તે કુદરતના હાથમાં છે. ભૂતકાળ તો વીતી ચૂક્યો છે.
  • પરિવારનાં સભ્યો અને નજીકનાં મિત્રોનો ઉપકાર માનવો. કારણ કે, હાલની પરિસ્થિતિમાં એમનો સાથ આપણને છે. માટે, તેમની વધુમાં વધુ મદદ લેવી જોઈએ.
  • લોકો સાથે વાતચીત કરીને, આપણે કેવું અનુભવીએ છીએ એ શેર કરવું.  

શું બ્રેકઅપ બાદ, સાચો પ્રેમ મળવો શક્ય છે?

‘‘ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય
અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય."

સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ! જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એમનો એવો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે.

આનાથી વિરુદ્ધ, મનુષ્યનો પ્રેમ એ મોહ અને આસક્તિથી ભરેલો છે, જે તેમના જીવનમાં આવતા વિવિધ સંજોગો અને વ્યક્તિઓ પર આધારિત હોય છે. જ્યારે પ્રિય વ્યક્તિ તરફથી દુઃખ મળશે ત્યારે આપણને આ વાતનો તરત જ ખ્યાલ આવશે.

માટે, આ વિષમ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે જ્ઞાનીની શોધ કરીએ, જે આપણને તમામ દુ:ખોથી મુક્ત કરાવશે.

મનુષ્યજીવનનું મહત્ત્વ

મનુષ્યજીવન એ કુદરતે આપેલી ભેટ છે. માટે સંસારી દુઃખોમાં જીવન વેડફવાને બદલે તેનું યોગ્ય જતન કરવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં મક્કમ રહેવું, કારણ કે અનંત અવતાર ભટક્યા પછી આપણને આ મનુષ્યજીવન મળ્યું છે. ફક્ત મનુષ્યગતિમાંથી જ આ સંસારનાં અસહ્ય દુઃખો, વેદના અને જન્મ-મરણનાં ફેરામાંથી મુક્તિ મળે એમ છે. તેથી, જીવન જીવવાનું છોડવું નહીં. સંબંધ તૂટ્યા બાદ જો આત્મહત્યાનો વિચાર આવે ત્યારે આપણી સાથે જે બન્યું છે તેનો સ્વીકાર કરીને, આવી પડેલા દુઃખમાંથી મુક્ત થવાનાં ઉપાયો શોધવાનો પ્રયત્ન કરવો.

મનુષ્યજીવનનો ધ્યેય પોતાના આત્માને પ્રાપ્ત કરીને મોક્ષલક્ષી હોવો જોઈએ. મોક્ષ એટલે આ સંસારની બધી આધિ-વ્યાધિ અને ઉપાધિ વચ્ચે રહીને પણ પોતાના સાચા સ્વરૂપનો એટલે કે (આત્મા)ના સુખનો અનુભવ કરવો. આવા આત્માના સુખનો અનુભવ પ્રત્યક્ષ જ્ઞાની થકી જ પ્રાપ્ત થઈ શકે એમ છે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on