Related Questions

મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?

લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી શકતું નથી’ આવી ગેરસમજ થાય ત્યારે અથવા કોઈના તરફથી સહાય ન મળે ત્યારે ‘કોઈને મારી ચિંતા નથી’ જેવી આત્મશંકા એ આપણને એકલતા, નિરાશા અને ડિપ્રેશન તરફ લઈ જઈ શકે છે. જ્યારે આપણે એટલા દુઃખી હોઈએ છીએ કે આપણે આ નકારાત્મક ભાવોને ઓળંગી શકતા નથી, ત્યારે વેર વાળવાની ભાવના સુધી પહોંચી જઈએ છીએ. જ્યારે આપણી અપેક્ષા પ્રમાણે માન/પ્રશંસા ઓછું મળે છે ત્યારે અનિવાર્યપણે, છેલ્લા ઉપાય તરીકે, 'હું મારું જીવન પૂરું કરવા માંગું છું' આ પ્રકારના વિચારો તરફ જઈએ છીએ.

હકીકતમાં, આ વિચારો ફક્ત તમને જ નુકસાન કરશે, બીજા કોઈને નહીં. વધુ ન કહેતા સ્વાભાવિકપણે આનું પરિણામ આત્મહત્યામાં પરિણમે છે.

તેના બદલે, તમારે દુઃખના મૂળ કારણોને જોવું જોઈએ.

  • ખાસ કરીને તમારી સાથે જ્યારે કંઈક સારું થયું હોય ત્યારે તમને એવી શંકા ઉદ્ભવે કે, લોકો હવે તમને શું કહેશે.
  • તમે જીવનમાં ખૂબ જ વ્યસ્ત અને વિચલિત છો કે તમને કરેલી સકારાત્મક (પોઝિટિવ) પ્રશંસાને સ્વીકારવામાં તમે નિષ્ફળ જાઓ છો.
  • ઊંડાણથી તમે એવું અનુભવશો કે અન્ય લોકોના પ્રેમ માટે તમે અયોગ્ય છો.
  • લોકો ભલે ગમે તેટલી વાર તમને કહે કે, ‘ખૂબ સરસ!’, ‘ઉત્કૃષ્ટ કામ’ કર્યું છે. પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે તમારું મન આ બધા જ શબ્દોને નકારાત્મક (નેગેટિવ) તરીકે જ ગ્રહણ કરશે.
  • આત્મશંકા, અસલામતી, આત્મવિશ્વાસનો અભાવ અથવા સ્પર્ધા આ સર્વ કારણો તમને અપ્રશંસનીયતાનો અનુભવ કરાવે છે.

તેથી, તેને બદલવા માટે તમે શું કરી શકો?

  • તમે જે કરો છો તે બધું કરવું, પણ અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. અપેક્ષા માત્ર ભોગવટો અને દુ:ખમાં પરિણમે છે.
  • તમારી ઉત્કૃષ્ટ ક્ષમતા પ્રમાણે કાર્યો પૂરા કરવા જોઈએ.
  • જો તમને મદદની જરૂર હોય, તો તે માટે વિનંતી કરો. કેટલીકવાર આપણે ધારીએ છીએ કે લોકોને એ ખ્યાલ જ છે કે, આપણને મદદની જરૂર છે, પરંતુ હંમેશાં એવું હોતું નથી. કેટલીકવાર જે આપણને સ્પષ્ટ લાગે છે તે અન્ય લોકો માટે સ્પષ્ટ ન પણ હોઈ શકે.
  • અહંકાર કર્યા વિના (લઘુત્તમ ભાવે), અન્ય લોકોને તમે શું કર્યુ છે તે જણાવો અને તેઓ એના વિશે શું વિચારે છે તે પૂછો. દરેક વ્યક્તિ પોતાનામાં વ્યસ્ત છે. સૌ કોઈ પોતાની તકલીફોમાં વ્યસ્ત હોય છે. તેમની સાથે ખુલ્લા મનથી વાતચીત કરવાથી, તમને ખાતરીપૂર્વક યોગ્ય પ્રતિસાદ જરૂર મળશે.
  • આપણા માટે જે યોગ્ય વસ્તુ હોઈ શકે છે તે વસ્તુ અન્ય લોકો માટે યોગ્ય ના પણ હોઈ શકે. તેથી, કોઈ પણ કામ માટે શું જરૂરી છે તે હંમેશાં તપાસો.
  • શરમાશો નહીં. અન્યની વિશેષજ્ઞતા પર ચાલો.
  • વાતચીત એ બધા સંબંધોને જોડનારું છે, પછી ભલે તે શાળા, વ્યવસાય અથવા કુટુંબ હોય.
  • જે તમને દુઃખી કરે છે એવા કારણોની તપાસ કરો – જેમ કે સ્પર્ધા, ઈર્ષ્યા, અપેક્ષાઓ, પ્રશંસાની જરૂરિયાત અથવા આત્મવિશ્વાસનો અભાવ.
  • જો તમે પોતાની પ્રશંસા કરાવવા માંગો છો, તો પછી અન્ય લોકો શું કરે છે તેની પણ પ્રશંસા કરો.
  • અન્ય લોકોમાં પણ શ્રેષ્ઠતા જુઓ - તેમના દોષોને જોવાનું ટાળો. દોષ સાથે રમત રમશો નહીં.
  • સકારાત્મક (પોઝિટિવ) રહો.
  • શ્રોતા બનો અને વ્યક્તિઓની સંગતમાં રહો.
  • સંબંધોમાં બદલાવ લાવવા માટે શા માટે તમે પ્રથમ પગથીયું નથી ભરતા?
  • તમારી જાતને બદલો. તમે જોશો કે અન્ય લોકો પણ તેનું પાલન કરશે.
  • બીજાને સુખ આપો અને તમને પણ તે જ પ્રાપ્ત થશે.
  • તમારી માનસિકતા બદલો – લોકોને અનુકૂળ આવે એવી રીતે મનને વાળો.
  • તમે જે કરો છો તેમાં આનંદ માણો. તમને એ ખબર પડશે કે, જ્યારે પણ તમારી પસંદગીનું કાર્ય કરો છો, ત્યારે તે કાર્ય તમે વધુ ઉત્કૃષ્ટ રીતે કરી શકો છો. તેવી જ રીતે, જ્યારે તમે કંઈક એવું કરો છો જે તમને ના ગમતું હોય, ત્યારે તમને સારા પરિણામો નહીં મળે.

આ બધાથી ઉપર, એટલું યાદ રાખો કે તમને જે અનુભવમાં આવે છે, કાયમ એ જ રીતે કરવાની આવશ્યકતા નથી. જે કારણો તમે અનુભવી રહ્યા છો, જેમાં ફાળો આપી રહ્યા છો, તે કારણોની તપાસ કરો અને શોધો. જો તમે તમારી હાલની મૂંઝવણના સમાધાન માટે ખરેખર સક્ષમ છો, તો સ્થિતિઓ ચોક્કસપણે એની મેળે સુધરશે. તમારે જે પ્રાપ્ત કરવાની જરૂર છે તેના માટે સમાધાન કરવાની તૈયારી રાખવી, તમારા મનની વાત બીજાને દુઃખ પહોંચાડ્યા વિના કહેવાની અને અન્યની અને તમારી પોતાની અપેક્ષાને સંભાળવાની તૈયારી રાખવી. અને છેલ્લે, જ્યારે તમને જરૂર હોય ત્યારે મદદ અને સહાયતા માંગવામાં સંકોચ ન રાખવો.

મૌન રહી ભોગવટા અને આત્મશંકામાં રહેવાને બદલે, તમે જે અનુભવો છો તે વ્યક્ત કરવું વધુ સારું છે. ખુલ્લા મને વાતચીત કરવાથી, તમને અનુભવમાં આવશે કે તમે ઓછા ચિંતિત, ઓછા તણાવમાં અને વધુ ખુશ રહી શકશો.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઈક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતના પરિણામો કયા છે?
×
Share on