Related Questions

શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?

પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી કે કોઈ નજીકની વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે દુ:ખ વધારે લાગે છે. આપણે જાણીએ છે કે મૃત્યુ એ જીવનના કુદરતી ચક્રનો એક ભાગ છે, તેમ છતાં આપણે આઘાત અને મૂંઝવણમાં આવી જઈએ છે, જે લાંબા સમય સુધી ઉદાસીનતા અથવા ડિપ્રેશન તરફ લઈ જઈ શકે છે. જો ડિપ્રેશનને કંટ્રોલ કરવામાં ન આવે તો, આપણે લાગણીઓ પર કંટ્રોલ ગુમાવી દઈએ છે અને એકલતાને કારણે આત્મહત્યા કરવાનું પણ નક્કી કરી લઈએ છે.

તેથી, ઉદાસીનતા અને ડિપ્રેશન સંબંધીના વિચારોમાં ડૂબી ન જવું એ ખૂબ જ મહત્ત્વનું છે. એવા ઉપાયો શોધો જે આપણને અત્યારનું દુઃખ છે તેને દૂર કરવામાં મદદ કરી શકે.

પ્રિયજનને ગુમાવ્યાનું દુઃખ દૂર કરવા માટેની સાચી સમજણ

  • વિજ્ઞાન એવું સમજાવે છે કે જ્યારે આપણે આપણા પ્રિયજનોને યાદ કરીને દુ:ખી થઈએ છે, ત્યારે તેઓ જ્યાં હોય ત્યાં તેમને દુ:ખ પહોંચે છે અને તેઓ પણ દુઃખી થાય છે. તેના બદલે, પોઝિટિવ સ્પંદનો પહોંચાડીએ જેમ કે, ‘તમે જ્યાં હો ત્યાં સુખ અને શાંતિને પામો. જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થાઓ. આત્માનું જ્ઞાન પામો.’ આનાથી તેમનામાં ખૂબ જ ફેરફાર થશે.
  • આપણે જે ભગવાનમાં માનીએ છે તેમની પાસે દુઃખનો સામનો કરવા માટે શક્તિ માંગીએ. આપણને ખૂટતી શક્તિઓ મળશે અને આમ કરવાથી ખૂબ જ શાંતિનો અનુભવ થશે.
  • મનને વ્યસ્ત રાખીએ. મનને નવરું ના પડવા દઈએ.
  • પોતાનું ખાસ ધ્યાન રાખીએ: કસરત કરીએ, સારી રીતે ખાઈએ અને સરખી ઊંઘ લઈએ. આ તો આપણને સાવ સહેલું લાગશે, પણ આપણને આશ્ચર્ય થશે કે આપણે સહેલી વાતોને કેવી રીતે ભૂલી જઈ શકીએ છીએ. આ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરશે.

સૌથી મહત્વનું એ છે કે “હું એકલો છું/ એકલી છું” અને “હું જીવવા માંગતો નથી” જેવા આત્મહત્યા સંબંધિત વિચારોને સ્વીકારવાથી આપણું દુઃખ દૂર નહીં થાય, પરંતુ તેને લંબાવશે. આપણે આવતા જન્મમાં એ દુઃખ વધુ તીવ્રતાથી સહન કરવું પડશે. તેના બદલે, આપણે શ્રદ્ધાપૂર્વક શક્તિ માંગીએ અને મુશ્કેલીને પાર કરીએ.

અક્રમ વિજ્ઞાન: દુઃખનો કાયમ માટે અંત લાવવાનો રસ્તો

અનાદિકાળથી મનુષ્યો, મૃત્યુ સંબંધીના પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છે. ખુશીની વાત છે કે, અક્રમ વિજ્ઞાન તમામ પ્રશ્નોનું સમાધાન આપે છે. આત્મજ્ઞાન દ્વારા, આપણને સમજમાં આવશે કે આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી, તે ફક્ત દેહ બદલે છે. જ્યારે ખરેખર આ સમજણ પ્રાપ્ત થશે, ત્યારે સમજાશે કે આપણે અનુભવેલા તમામ દુઃખો એ માત્ર કર્મનો એક ભાગ છે અને પછી આપણને અસર કરશે નહીં. તેના બદલે, આપણે કાયમ આનંદમાં રહી શકીશું. એવા રસ્તાઓ મળશે જે આપણને અને આપણા પ્રિયજનોને દુઃખના સમયમાં ખૂબ મદદરૂપ થશે. પ્રિયજનને ગુમાવ્યા બાદ તે પરિસ્થિતિનો સામનો કરી શકશો અને આગળ વધી શકશો.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on