
પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો સરળતા છોડીને વાંકા થવું કે મૂર્ખામાં ખપવું?
દાદાશ્રી: એવું છે કે કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય. જે વાંકો છે તે આપણી કમાણી ખોવડાવી નાખવા ફરે છે, તો આપણે આપણી કમાણી ખોઈ નાખીએ ખરા? પોતાની કમાણી ખોઈ નાખે તો આપણે પણ વાંકા જ થઈ ગયા, તો પછી આપણી પાસે રહ્યું શું? સામાન બધો ખલાસ થઈ ગયો! અને પછી નાદારી નીકળે!
પ્રશ્નકર્તા: એટલે એના કરતા મૂર્ખામાં રહેવું સારું?
દાદાશ્રી: ના, આ જગતમાં કોઈ મૂરખ નથી એવું છે જ નહીં. જ્યાં બધા મૂર્ખા જ છે એમાં છોને એ મૂર્ખા કહેતા! એટલે તમારે મનમાં એમ ના રાખવું કે મને મૂર્ખો માને છે. એ પછી ભાંજગડ શી? સરળતા તો બહુ અવતારે કમાણી થાય; તો એ કમાણી ખોઈ નાખવી એ તો બહુ જોખમ છે. અને તમે તો વકીલ, કોઈ દહાડો ખોવો જ નહીં. વિચાર કરીને કરો કે આવડી મોટી મૂડી તો ખોઈ નખાતી હશે? માટે આ ભલે થોડુંઘણું મળે, તેનો કંઈ વાંધો નથી. તમને મૂર્ખા માને, એમાં જે માને એની જોખમદારી છે, એને દોષ લાગશે. બોલે એની જોખમદારી છે, એમાં તમને શું? તમે સરળ રીતે વર્તો છો. સરળતા એ તો બહુ ઊંચી વસ્તુ છે. વાંકા જોડે સરળ રહેવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી, એ સહેલી વસ્તુ નથી. હવે જે કમાણી કરી હોય અને તમારે તે ખોઈ નાખવી હોય તો તમારે આ બધા જોડે બાથંબાથ કરવું.
Reference: દાદાવાણી Magazine October 2009 (Page #2)
પ્રશ્નકર્તા: વ્યવહારમાં રહેવાનું છે, તો 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએ ને?
દાદાશ્રી: વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશીય કહે કે, 'બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે? જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.
સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય, પણ વાંકા-કઠણ-કડક જોડે, બધા જ જોડે 'એડજસ્ટ' થતા આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતા આવડે, મગજ ખસે નહીં તે કામનું! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં, આપણે એને 'ફીટ' થઈએ તો આ દુનિયા સરસ છે અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર'! આપણે એને ફીટ થઈએ ને તો વાંધો નથી.
Reference: Book Name: એડજસ્ટ એવરીવ્હેર (Page #10)
1. ત્યારે મેં કહ્યું, 'આ સાપનેય દરમાં પેસતી વખતે સીધું થવું પડે. જો મોક્ષે જવું હોય તો પાંસરા થાવ ને! નહીં તો લોક પાંસરા કરશે, ત્યાર પછી મોક્ષે જવાશે. એના કરતા જાતે જ પાંસરા થઈ જાવ ને!' લોક તો મારી મારીને પાંસરા કરે, એના કરતા જાતે પાંસરા થઈ જઈએ, એ શું ખોટું? માટે જાતે જ પાંસરા થઈ જાવ. લોક મારી મારીને પાંસરા કરે કે ના કરે?
2. આ ફક્ત અમારું જ્ઞાન, એનું એ જ વિજ્ઞાન છે. પણ આ (લૌકિક જ્ઞાન) ગલીકૂંચીઓવાળું છે. અત્યારે લોક ગલીકૂંચીઓમાં પેસી ગયા છે અને તે આડી ગલી એકલીમાં નહીં પણ આડીમાં પાછી ઊભી ને ઊભીમાં પાછી ત્રાંસી.
3. આ જ્ઞાન મળ્યા પછી સંસાર આપણો જે વાંકોચૂકો ચાલતો હતો ને, તે સીધો થતો જાય. ઊલટો આપણને સરળ થઈ પડે.
4. આ સંસાર વાંકો કોણે કરેલો છે? અહંકારે વાંકો કર્યો છે. બાકી, સંસાર સ્ટ્રેઈટ લાઈનમાં જ હતો પણ અહંકારે જરાક લીટા વાંકાચૂકા કરી નાખ્યા.
એડજસ્ટ એવરીવ્હેર એ ખુશ રહેવાની માસ્ટર કી છે. તેના વિશે વધુ અહીં જાણો.
A. પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું? દાદાશ્રી: શેની ખામી... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે... Read More
Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
A. શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. શીલવાનનું વચનબળ આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે... Read More
subscribe your email for our latest news and events
