“મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી મળશે,” “હવે હું શું કરીશ?” – શું અત્યારે આ તમારા માટે મોટી મુશ્કેલી છે? કામથી છૂટા થઈ ગયા છો અને થોડા સમયથી નોકરી નથી મળી રહી, એ ચિંતારૂપી વમળે તમને વીંટી લીધા છે. ચિંતા ના કરશો, સાચી સમજણ અને સાચા જ્ઞાનથી તમને તમારો રસ્તો જરૂરથી મળી રહેશે.
ખરેખર કહીએ તો, જ્યારે ચિંતા શરૂ થાય છે, ત્યારે જાણવું કે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે. ચિંતાઓથી કાર્યમાં અંતરાય પડે છે. તેના બદલે, તમારી હાલની પરિસ્થિતિને સુધારવા માટે કંઈક કરો.
જો તમને લાગે છે કે મને નોકરી નહીં મળે, ત્યારે તમે શું કરી શકો તેનું અહીં એક લિસ્ટ આપેલું છે:
જ્યારે રાત્રિનો સમય હોય અને જો તમે આખી રાત ચિંતા કરશો, તો શું સવાર જલદી પડી જશે કે પછી તમે શાંતિથી સૂઈ જાઓ અને રાત પસાર થઈ જાય તે વધારે જલદી પૂરું થશે? આપણને જવાબ ખબર છે, પરંતુ આપણે ચિંતા કર્યા વગર રહી નથી શકતા ને?
તેથી, અહીંયા થોડી આધ્યાત્મિક સમજણ આપવામાં આવી છે, જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો તે આપણને તણાવ અને ચિંતાથી રાહત આપી શકે છે. એને થોડી વિગતો સાથે સમજીએ…
આપણે માનીએ છીએ કે, “હું જ છું, જેનાથી બધું થાય છે” અને તેથી જ આપણને ચિંતા થાય છે કે, “જો મને નોકરી નહીં મળે તો શું થશે? હું મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ? હું મારા પરિવારને કેવી રીતે મદદ કરી શકીશ? હું ક્યાં જાઉં કે મને નોકરી મળી જાય?”
જ્યારે આપણે વિચારીએ છીએ કે, ‘મારા જીવનમાં બધું હું કરું છું. મારે નોકરી શોધવા જવાનું છે, મારે નોકરી કરવી પડશે, મારું ગુજરાન મારે ચલાવવાનું છે’, એને કર્તાપણાનો અહંકાર કહેવાય છે. અને ‘કર્તાપણા’ના અહંકારને લીધે ચિંતા થાય છે.
જરા વિચારી જુઓ કે, ‘શું ખરેખર કંઈ આપણા કાબૂમાં છે?’ જો એવું હોય, તો આપણે આપણી નોકરીની સલામતી પહેલા કરી લઈએ. હકીકતમાં, આપણે કર્તા નથી. અને એક કે બીજી રીતે, આપણને આ અનુભવ થઈ ચૂક્યો છે. છતાં, આંખ મીંચીને આપણી જાતને માલિક કે કર્તા માનવાથી આપણે દરેક વસ્તુ આપણા માથે લઈ લઈએ છીએ અને અપાર ચિંતા વહોરી લઈએ છીએ. આપણને ચિંતા થાય છે કારણ કે, આપણા મનમાં આપણે હજી એવું વિચારીએ છીએ કે, “હું કર્તા છું.” આ કર્તાભાવને લીધે ભોગવટો અને ચિંતા થાય છે.
તમે જમી લીધા પછી ક્યારેય ચિંતા કરો છો? ના.
શા માટે નહીં? શું તમારે ચિંતા ના કરવી જોઈએ કે, પાચક રસો અને ઉત્સેચકો ઝરશે કે નહીં; શું લોહી બનશે અને નકામો કચરો નીકળી જશે કે નહીં? તમારી અંદર કેટલું બધું થઈ રહ્યું છે, જેની કાળજી લેવી જરૂરી છે; શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે, તેની સરખામણીમાં બહારનું કામ બહુ નાનું છે. છતાં તમને તેની ચિંતા નથી થતી! જેનાથી અંદરની વ્યવસ્થા જળવાય છે અને કાળજી લેવાય છે, તે જ બહારની વ્યવસ્થા પણ જાળવે છે.
ખરો કર્તા તો કુદરત છે. કુદરત જગતનું નિયમન કરે છે, અને તે જ જગતને સતત નિયમમાં રાખે છે. તે નાનામાં નાનો છોડ પણ જ્યાં ઊગવાનો હોય, ત્યાં તે પાણી છંટકારે છે. કુદરતનો આ ચોક્કસ ક્રમ અને વ્યવસ્થા છે. તો પછી, શું એ તમારી પણ કાળજી નહીં રાખે? તેથી, શા માટે એકધારું એવું વિચારવું કે મને નોકરી નહીં મળે? એવું કેમ ના વિચારીએ કે મને નોકરી મળી જશે?
કુદરત આપણને કહે છે કે, ‘મુશ્કેલ કાર્ય પૂરું કરવા માટે અથાગ પ્રયત્નો કરો. પરંતુ સાથે સાથે તે બાબતે ચિંતા ના કરો.’ તેથી, કોઈ આપણને કહે કે અમે નોકરી આપી રહ્યા છીએ, તમારે જરૂરથી તે નોકરી મેળવવાના શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ તમારે ચિંતા કરવી જોઈએ નહીં.
ચિંતા હંમેશાં બધું બગાડે છે. જ્યારે ઈન્ટરવ્યૂ આપવા જાઓ છો અને જો તમે ચિંતા કરશો, તો તમારાથી કંઈક ખોટું થઈ જ જશે. આ દુનિયામાં બધું બગડી જવાનું કારણ ચિંતા છે. ચિંતા કામની ગુણવત્તાને ઓછી કરે છે. આ કુદરતનો નિયમ છે. જો ચિંતા ના હોત, તો બહુ સુંદર પરિણામ આવે.
ચિંતા આપણને સતત બાળ્યા કરે છે. તે આપણી બધી જ શાંતિ અને ઊંઘ છીનવી લે છે. તે રોગ અને હતાશાને આમંત્રણ આપે છે. તે જીવવાનો ઉત્સાહ છીનવી લે છે. તેનાથી અંતરાય પાપકર્મ બંધાય છે, જેનાથી આપણે જે કંઈ પણ કરવા જઈએ, તેમાં અંતરાય આવે જ છે. આવા કર્મો આપણી ભવિષ્યની ઈચ્છાઓને પણ પરિપૂર્ણ થતા અટકાવે છે. આવી રીતે, ચિંતા આપણા વર્તમાન જીવનને બગાડે છે એટલું જ નહીં, પરંતુ તે ભવિષ્યના જીવનને પણ બગાડે છે.
અગર મને ઘણા મહિનાઓથી નોકરી ના મળી રહી હોય તો પણ ચિંતામુક્ત કેવી રીતે થવાય?
સાચા જ્ઞાનના અભાવે ચિંતાઓ થાય છે. હંમેશાં માટે ચિંતા ક્યારે જતી રહેશે? ક્યારે આપણું કર્તાપણું અટકશે. ક્યારે કર્તાભાવ જતો રહેશે? જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે. આત્મસાક્ષાત્કાર ક્યારે પ્રાપ્ત થશે? જ્ઞાનીનો ભેટો થવાથી, તેમની કૃપાથી આત્મસાક્ષાત્કાર થશે!
માન્યું કે, તમે જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. પરંતુ, એ જાણવું જોઈએ કે આ સમય પસાર થઈ રહ્યો છે અને તમને નક્કી કોઈ સારી નોકરી યોગ્ય સમયે મળી જશે. ત્યાં સુધી, તમારા સમયને સાચા અને અર્થપૂર્ણ સંબંધો વિકસાવવામાં વાપરો, જે તમને જીવનમાં ઉપયોગી થઈ શકે. જેવા કે ભગવાન સાથે, જ્ઞાની સાથે અને જ્ઞાન સાથેના સંબંધો. આવું કરવાથી, તમારો અંધકારનો સમય દિવ્ય પ્રકાશમય થઈ જશે!
Q. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
A. ખરેખર, ચિંતા કરવાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે... Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More
A. પ્રશ્નકર્તા: ટેન્શન એટલે શું? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહો ને કે ટેન્શન કોને... Read More
Q. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી,... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ માતા-પિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી... Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠા હતા. તે શેઠાણી સામા... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ અને અસહાયતા અનુભવો, ત્યારે તમારા જીવનને... Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. ચિંતા થાય છે, જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનો છો, અને તમે તેનાથી સુખી કે દુ:ખી થાઓ છો.... Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજા મારા માટે શું વિચારે છે?” મનમાં... Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી.... Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે, જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે તમને શંકા અને ચિંતા થાય. “મારા... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં બધું જ ગુમાવવાનો ભય આપણને અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય,... Read More
subscribe your email for our latest news and events