ચિંતા થાય છે, જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનો છો, અને તમે તેનાથી સુખી કે દુ:ખી થાઓ છો. અગર તમે કોઈના ઘરમાં તેની પરવાનગી સિવાય અંદર જાઓ છો, તો શું તમે શરમ અને સંકોચ નહીં અનુભવો? તમને અનુભવાશે. તમને ડર લાગશે કે કોઈ તમારા પર ચિઢાશે અને તમને બહાર કાઢી મૂકશે. પરંતુ, જો તમે તમારા ઘરમાં હો, તમને કોઈ તનાવ કે ચિંતા થશે? તમે તમારા ઘરમાં સુકુન અને શાંતિ અનુભવશો.
તેવી જ રીતે, જ્યારે તમને આત્મસાક્ષાત્કાર થાય છે, ત્યારે તમને તમારા પોતાના ઘરની ઓળખાણ થાય છે અને તેથી જ તમને ફરી ક્યારેય ચિંતા નહીં થાય. તમે કાયમ માટે ચિંતામુક્ત બની જશો અને તણાવમુક્ત જીવન જીવી શકશો. જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાનવિધિ નામના વૈજ્ઞાનિક પ્રયોગથી આત્મસાક્ષાત્કાર શક્ય છે. જ્ઞાનવિધિમાં, અનંતા જન્મોના પાપકર્મો નાશ પામે છે, સાથે આત્મા પર ચડેલા અજ્ઞાનતાના આવરણો તૂટે છે. તે સમયે, કૃપાથી, પોતાનો આત્મા જાગૃત થાય છે.
જ્ઞાની તમને એવી જાગૃતિ આપે છે કે ચિંતા અને ક્રોધ એ અનાત્મ વિભાગમાં ઉત્પન્ન થાય છે, આત્મામાં નહીં, ત્યાર પછી, આત્માને કંઈ થઈ શકતું નથી, તેવી પ્રતિતી બેસે છે. આત્મા પ્રાપ્ત થયા પછી ફક્ત ડિસ્ચાર્જ કર્મો બાકી રહે છે. એ દશામાં, જ્યારે પાછલા કોઝીઝ ખાલી થાય છે, ત્યારે નવા કર્મોનું બંધાવાનું અટકી ગયું હોય છે. તેના પછી, ફરી નવા કર્મો બંધાતા નથી.
જ્યારે તમે ‘સ્વ’માં આવો છો, તો પછી કોઈ ચિંતા કે નિરાશા નહીં રહે અને તમને આધિ, વ્યાધિ, ઉપાધિમાં સમાધિ રહેશે!
આત્મસાક્ષાત્કાર પછી, તમે ક્યાંય ઠોકર ખાશો નહીં, તમને કોઈ ચિંતા રહેશે નહીં, તમને કાંઈ અસર કરશે નહીં, અને તમારો કોઈ ઉપરી રહેશે નહીં; તમને આવો અનુભવ થશે. તમને અંદરથી અનંત સુખનો અનુભવ થશે; તમને કોઈ ભોગવટો નહીં આવે. તમને કોઈ દુ:ખ કે ચિંતાની અસરો થશે નહીં.
ઈન્કમટેક્સ ઓફિસમાંથી કાગળ આવે ત્યારે તમારી આંતરિક શાંતિ ખોરવાઈ નહીં, એનું નામ મોક્ષ. આંત્યતિક મોક્ષ પછી આવશે, પરંતુ પહેલા, અહીં અને અત્યારે મોક્ષનો અનુભવ થવો જોઈએ. જે સંપૂર્ણ ચિંતામુક્ત દશા સૂચવે છે.
સંસારમાં રહેવા છતાં પણ સંસાર અડે નહીં, એવો મોક્ષ થઈ જવો જોઈએ. તે આ અક્રમ વિજ્ઞાનથી એવું થઈ શકે એમ છે! એ પહેલા સ્ટેજનો મોક્ષ છે. આ સ્ટેજમાં અંતરદાહથી મુક્તિ એવી દશાનો અનુભવ થાય છે. અન્યથી અપાયેલા દુ:ખો કે બાહ્ય પરિબળોથી ઉદ્ભવતા દરેક પ્રકારના દુ:ખોમાં આત્મસુખનો અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને હંમેશાં આ પહેલા સ્ટેજના મોક્ષના અનુભવમાં રહેતા હતા.
જ્યારે તમારા બધા કર્મોનો ક્ષય થાય છે, ત્યારે બીજા સ્ટેજના મોક્ષનો અનુભવ થાય છે અને જન્મ-મરણમાંથી મુક્તિ મળે છે.
Q. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
A. ખરેખર, ચિંતા કરવાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે... Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More
A. પ્રશ્નકર્તા: ટેન્શન એટલે શું? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહો ને કે ટેન્શન કોને... Read More
Q. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી,... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ માતા-પિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી... Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠા હતા. તે શેઠાણી સામા... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ અને અસહાયતા અનુભવો, ત્યારે તમારા જીવનને... Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજા મારા માટે શું વિચારે છે?” મનમાં... Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી.... Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે, જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે તમને શંકા અને ચિંતા થાય. “મારા... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં બધું જ ગુમાવવાનો ભય આપણને અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય,... Read More
subscribe your email for our latest news and events