પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કોની ઉપર કરીએ, ઓફિસમાં સેક્રેટરી ઉપર ક્રોધ ના કરીએ અને હોસ્પિટલમાં નર્સ ઉપર ના કરીએ પણ ખાસ તો ઘરમાં વાઈફની ઉપર આપણે ક્રોધ કરીએ.
દાદાશ્રી : એટલાં માટે તો બધા સો જણા બેઠા હોય ને, જ્યારે સાંભળતા હોય ને, ત્યારે બધાને કહું છું કે ત્યાં આગળ બોસ ટૈડકાવતો હોય, અગર તો બીજો કંઈ વઢતો હોય, એ બધાનો ક્રોધ એ ઘરમાં અહીં વાઈફ પર કાઢે છે લોકો. એટલે મારે કહેવું પડે છે કે અલ્યા મૂઆ, બૈરીને શું કરવા વઢો છો, બિચારીને? વગર કામના બૈરીને વઢો છો ? બહાર કોઈ ટૈડકાવે તો એને બાઝોને, અહીં શું કરવા બાઝો છો બિચારીને?
આ તો આખો દહાડો ક્રોધ કરે. ગાયો-ભેંસો સારી, ક્રોધ નથી કરતી. જીવન કંઈ શાંતિમાં તો હોવું જોઈએ ને ? નબળાઈવાળું ના હોવું જોઈએ. આ ક્રોધ વારે ઘડીએ થઈ જાય છે ! તમે ગાડીમાં આવ્યા ને? તે ગાડી આખે રસ્તે ક્રોધ કરે તો શું થાય ?
પ્રશ્નકર્તા : તો અહીંયા અવાય જ નહીં.
દાદાશ્રી : ત્યારે આ તમે ક્રોધ કરો તો શી રીતે એની ગાડી ચાલતી હશે ? તું ક્રોધ તો નથી કરતી?
પ્રશ્નકર્તા : કો'ક વાર થઈ જાય.
દાદાશ્રી : અને જો બેઉનું થાય તો પછી રહ્યું જ શું ?
પ્રશ્નકર્તા : પતિ-પત્ની વચ્ચે થોડો ક્રોધ તો હોવો જ જોઈએ ને?
દાદાશ્રી : ના, એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. સાચી ફ્રેન્ડશીપમાં દુઃખ થતું નથી. તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય! અહીં ક્રોધ ના થાય. આ તો લોકોએ ઠોકી બેસાડેલું, પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું. કાયદો આવો જ છે, કહેશે! પતિ-પત્નીમાં તો બિલકુલ દુઃખ ના થવું જોઈએ, બીજે બધે થાય.
Q. શું ક્રોધ એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય?
A. પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ? દાદાશ્રી... Read More
Q. ક્રોધ એ ખરેખર શું છે? ક્રોધ એ શા માટે જોખમ છે?
A. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું... Read More
Q. શા માટે લોકો ગુસ્સે થઈ જાય છે?
A. સામાન્યપણે આપણું ધાર્યું ના થાય, આપણી વાત સામો સમજતો ના હોય, ડીફરન્સ ઓફ વ્યુ પોઈન્ટ થાય, ત્યારે... Read More
A. ક્રોધમાં તાંતો હોય તેને જ ક્રોધ કહેવાય. દા.ત. ધણી-ધણીયાણી રાત્રે ખૂબ ઝઘડ્યા, ક્રોધ જબરજસ્ત ભભૂકી... Read More
Q. આપણાથી ક્રોધ થઈ જાય તો કેવી રીતે સુધારવું?
A. પ્રશ્નકર્તા : આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ? દાદાશ્રી : એવું છે ને... Read More
Q. હું ક્રોધ કરી કરીને થાકી ગયો છું. હું કેવી રીતે ક્રોધમાંથી મુક્ત થઈ શકું?
A. લોકો કહે છે, આ મારા ક્રોધની દવા શું કરવી ? મેં કહ્યું, તમે અત્યારે શું કરો છો ? ત્યારે કહે, ક્રોધને... Read More
Q. તમારા જીવનમાંથી કેવી રીતે ક્રોધને દૂર કરી શકાય?
A. કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે... Read More
Q. હું ક્રોધ પર કેવી રીતે નિયંત્રણ કરી શકું?
A. પ્રશ્નકર્તા : મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધિત થઈ જાઉં. એ કદાચ એની દ્રષ્ટિએ સાચો પણ હોય.... Read More
Q. શું તમે ક્રોધમાંથી મુકત થવા માંગો છો? – આત્મજ્ઞાન પ્રાપ્ત કરો!
A. આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ-માન-માયા-લોભ કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! 'પોતે કોણ છે' એનું... Read More
subscribe your email for our latest news and events