તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા વિકસિત થતા જ તમને તમારા બાળકની પસંદ અને નાપસંદ સમજ પડતી જાય છે. તે ક્યારે ભૂખ્યો છે? અથવા રાત્રે સૂતા પહેલા તેને શું આરામદાયક લાગે છે? પછી જેમ જેમ બાળક મોટું થાય છે, તેમ તેમ તમે વધુ શીખતા જાઓ છો - બાળક શરમાળ સ્વભાવનું છે, જેને હંમેશાં તમારા ખોળામાં બેસવાનું જ એને અનુકૂળ લાગે છે? અથવા રમતિયાળ સ્વભાવનું છે, તે બહાર જઈને તે પોતે કંઈકનું કંઈક નવું કર્યા કરે છે? તો, અહીં તમારી ભૂમિકા શું છે? માતા-પિતાની ભૂમિકા શું છે?
જ્ઞાની પુરુષ દાદાશ્રી કહે છે, “બાળક જન્મે ત્યારથી જ તેમની સાથે, તેમનું વ્યક્તિત્વ લઈને આવે છે, તમારે ફક્ત તેમને મદદ કરવી અને તેની માવજત કરવી જેથી તે ખીલશે.” જેમ દરેક બીજ એની સાથે લઈને જ આવે છે કે એમાંથી કયું વૃક્ષ ઊગશે: નારંગી અથવા સફરજન, તેમ તમારું બાળક પણ એ લઈને આવેલું છે. પોતાના કર્મબીજ સાથે લઈને આવે છે અને તે ઊગશે. એવું કંઈ નથી કે નારંગી સફરજન કરતા અથવા સફરજન નારંગી કરતા સારું. પ્રત્યેક બાળકનું પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે અને જ્યારે તેને યોગ્ય રીતે પોષણ આપવામાં આવે ત્યારે તે સુંદર રીતે ખીલશે. જરા આસપાસ જુઓ અને તમને ઘણા સફળ લોકો એવા મળશે, કે જે કાં તો અંતર્મુખી છે અથવા બહિર્મુખી. ત્યાં કોઈ રૂઢિચુસ્ત ધારણા નથી, જેવું કે એક કરતા વધુ સારો અથવા સુખી છે.
ચાલો, આપણે બાળકના ઘડતર માટે માતા-પિતાની ભૂમિકાને સમજીએ.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:
1. જીવનના દરેક પાસાઓને ચોખ્ખા કરો
જીવન કેવી રીતે જીવવું તે માતા-પિતાએ સમજવું જોઈએ. માત્ર પૈસા કમાવવા પાછળ નથી ભાગવું. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. તમારા સ્વાસ્થ્ય, સંપત્તિ અને બાળકોનું નૈતિક ઘડતરનું ધ્યાન રાખો. જીવનના બધા જ પાસાઓ ચોખ્ખા કરવા પડશે.
તમારે દરરોજ રાત્રે બાળકો સાથે બેસવું જોઈએ અને તેમને વાસ્તવિકતા સમજાવવી જોઈએ, તેમની સાથે વાતચીત કરવી જોઈએ. બધા બાળકોને પ્રોત્સાહનની જરૂર હોય છે. તેમની પાસે પહેલેથી જ સાંસ્કૃતિક મૂલ્યો છે, પરંતુ તેમને ફક્ત પ્રોત્સાહનની જરૂર છે.
2. માતા-પિતા વચ્ચે જવાબદારીઓની વહેંચણી
માતા-પિતાએ બાળકોની જવાબદારીઓ વિશે ચર્ચા કરવી અને તેની વહેંચણી કરવી. ચૌદ વર્ષની વય સુધી, બાળકને માતાના પ્રેમ અને હૂંફની વધુ જરૂર હોય છે. તેણીને દૈનિક દિનચર્યાઓનો નિર્ણય અને કાળજી લેવા દો. પિતાને સામાન્ય રીતે જીવનના મોટા, અસર કરતા નિર્ણયોમાં સામેલ થવાની જરૂર હોય છે, જેમ કે, તમારા બાળકને કઈ શાળામાં પ્રવેશ આપવો, કઈ કારકિર્દીમાં આગળ વધવું, વગેરે. પંદર વર્ષ પછી પિતાને બાળકના વિકાસમાં મુખ્ય ભૂમિકા લેવી જોઈએ. બાળકના વિકાસમાં પિતાની આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
બાળકના વિકાસમાં માતા-પિતાની આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. નાનપણથી જ બાળકને ઘરના કેટલાક કામો આપો અથવા એને તમારા વ્યવસાયિક કાર્યમાં મદદ કરવા માટે કહો, તેથી તેઓની પાસે જે છે તેની કદર કરતા શીખશે અને માલિકીની ભાવના રાખતા શીખશે. અમુક એવા પણ મા-બાપ હોય છે કે જે પોતાના બાળક માટે વધારે પડતા જ સત્તાધારી હોય છે, જે બાળકોને વાતે વાતે ટકોરો કરે છે અને નિયમોમાં રાખવા માંગતા હોય છે અથવા અમુક ખૂબ જ પ્રોટેક્ટિવ હોય છે કે જેઓ હંમેશાં તેમના બાળકને ખુશ કરવામાં જ પ્રયત્નશીલ હોય છે. અતિશય ધ્યાન વધતા બાળકને ગૂંગળામણ થાય છે. તેમને નિષ્ફળ થવા દો; કોઈ ચીજવસ્તુઓનો બગાડ થાય તો થવા દો અને આ બધાનો અનુભવ થતા ધીરે ધીરે તેઓ ઘડાશે.
કોકૂનમાંથી નીકળતા પતંગિયાનો સંઘર્ષ તેને દુનિયાનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે; નહીં તો તે કચડાઈ જશે. એ જ રીતે, બાળકની વધારે પડતી સંભાળ રાખવી એ પણ તેને અશક્ત બનાવી શકે છે. થોડી કડકાઈ, સંઘર્ષ, બાળકની પ્રતિભા વિકસાવવા માટે આશીર્વાદરૂપ બને છે. ફક્ત પ્રતિકૂળ સંજોગોમાં બાળક સફળતાની શિખરો સુધી પહોંચવાનો નવો માર્ગ શોધી કાઢે છે. બાળકને સંસારનો અને નિષ્ફળતાનો હિંમતથી સામનો કરવા શીખવો. કોઈ પણ પડકારનો સામનો કરતા પહેલા હંમેશાં બાળકને પ્રેરણા આપો અને કોઈ પણ નિષ્ફળતા માટે ક્યારેય ટીકા ન કરો. તેના બદલે, તેઓ આમાંથી શું બોધ પામ્યા અથવા તેઓ બીજી વખત આનો સામનો કઈ રીતે કરશે, એ અંગે પૂછો.
અમુક સમયે માતા-પિતા દ્વારા ઉશ્કેરણીને લીધે બાળકો ખોટા રસ્તે આગળ વધે છે. તેથી, દરેક વસ્તુમાં સામાન્યતા લાવો. એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ જાળવી રાખો. કડકાઈથી કોઈ વ્યક્તિને વધુ નુકસાન પહોંચતું નથી; ક્રોધથી ઘણું નુકસાન થાય છે. કડકાઈનો અર્થ ક્રોધ નથી, પરંતુ તેનો અર્થ અમુક બાબતોમાં જે ઉકળાટ થતો હોય તે કાઢી નાખવો. તમારે તેમને બધું જ કહેવાનું છે, પરંતુ નાટકીય રીતે. નાટકીય વ્યવહાર કેવો હોય? એટલે શાંત થવાની સાંકળ ખેંચીને પછી ગુસ્સો બતાવવાનો.
માતા-પિતાની આ ભૂમિકા થોડી મુશ્કેલ છે. જ્યારે એક પુત્ર તેના પિતાની મૂછો ખેંચતો હોય ત્યારે પિતાને આનંદ થતો હોય છે. તે કહેશે, "જરા જુઓ તો ખરા, તે મારી મૂછો ખેંચે છે!" જો તમે તેને જે ઈચ્છે તે કરવા દેશો અને તમે બાળકને કંઈ નહીં બોલો, તો ક્યારેય પણ તેને ‘આ ખોટું કહેવાય’ તે નહીં સમજાય. બાળક પ્રત્યેક ઘટનામાં થતી પ્રતિક્રિયાઓ જોઈને શીખે છે. જો બીજું કંઈ ન કરવામાં આવે, તો પછી તેને કડક ટકોર કરો કે જેથી બાળકને ખ્યાલ આવે કે તે કંઈક ખોટું કરી રહ્યો છે. ત્યારે તેને સમજાશે કે, “હું આ કંઈ ખોટું કરી રહ્યો છું.” તે સમયે માનવું યોગ્ય નથી, પણ માત્ર ટકોર કરવી યોગ્ય છે.
તેથી તેને ખબર હોવી જોઈએ કે, જ્યારે પણ તે મૂછો ખેંચે છે, તો બદલામાં તેના ઉપર ટકોર કે ગુસ્સો કરવામાં આવશે. જો તમે તેને એમ કહીને પ્રોત્સાહિત કરો છો કે, "ખૂબ સરસ, મારું બાળક કેટલું હોશિયાર છે", તે પછી તેને પ્રોત્સાહન મળે છે અને તે પછીની વખતે પણ તે મૂછો વધુ ખેંચશે! દરેક વખતે તે કંઈક ખોટું કરે છે, ત્યારે તેને સમજાવો કે આ ખોટું છે. આ તેના ખ્યાલમાં આવવું જોઈએ. નહિતર, તે માનશે કે તે જે કરી રહ્યું છે તે યોગ્ય જ છે. તેથી જ તેઓ ખોટા રસ્તે ચાલવા લાગે છે. તેથી, તમારે બાળકને કહેવું જોઈએ.
જ્યારે બાળકે કોઈ સારું કામ કર્યું હોય, તો તમારે તેની પ્રશંસા કરવી જોઈએ. અને તેના વખાણ કરી તેની પીઠ થપથપાવી જોઈએ, શાબાશી આપો, ત્યારે તેના અહંકારને પુષ્ટિ મળે છે. તેથી, તે ફરી એકવાર કોઈ સારું કામ કરવા માટે પ્રેરાશે. નાના બાળકનો અહંકાર સુપ્ત સ્થિતિમાં છે. અહંકાર હાજર જ હોય છે, પરંતુ તે સંકુચિત સ્થિતિમાં રહે છે. જેમ જેમ બાળક મોટો થાય તેમ તેમ તેના ફણગા ફૂટે છે. એક બાળક ફક્ત ત્યાં સુધી સારું રહે છે, જ્યાં સુધી તમે તેના અહંકારને બિનજરૂરી રીતે પાણી ન આપો. જો તેના અહંકારને તમારી પાસેથી ખોરાક ન મળે, તો બાળક ઉત્તમ મૂલ્યોથી (સંસ્કારથી) ખીલે છે.
માતા-પિતાની આ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે તમે તમારા બાળકો સાથે વાત કરો છો, ત્યારે તે કોઈ સત્તાવાળા સ્વર સાથે ન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ બાળકને ૬૦% ગુણ આવ્યા હોય પરીક્ષામાં અને તે તેના પિતાને બતાવે, તો પિતાએ કહેવું જોઈએ કે, “તું પરીક્ષામાં પાસ થયો તે સારું છે, પરંતુ આ પૂરતું નથી. હું તારી પાસેથી અપેક્ષા રાખું છું કે તું ૮૫% મેળવે અને એક સારો એન્જિનિયર બને”, પછી આ વિષયને છોડી દો. તે પછી, તમે જે કહ્યું તેને સારા માર્ક્સ મેળવવા માટે, તે ફરી ફરી તેને યાદ ન કરાવો. તે તેના મનમાં હશે જ. જો તમે કહેવાનું ચાલુ રાખો છો, તો તે તમારા શબ્દોને અવગણશે.
થોડા મહિના પછી, જ્યારે તમે તેનું પરિણામ જોશો, જો તે 75% મેળવે છે, તો તેને પ્રોત્સાહિત કરતા કહેવું કે, "તારા ગુણ વધ્યા છે. તારી પાસે ખૂબ સારી યાદશક્તિ અને શ્રેષ્ઠ બનવાની ખૂબ જ ઊંચી ક્ષમતા છે. જો તું વધુ ધ્યાનથી ભણીશ, તો મને ખાતરી છે કે, તું વધુ સફળતાની ઉંચાઈઓ સુધી પહોંચી શકીશ. મને વિશ્વાસ છે કે, તું ૮૫% થી ૯૦% મેળવી શકે એમ છે.” બસ, આટલું કહીને પછી આ વિષયને છોડી દો. બાળકને પ્રોત્સાહન આપવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
જ્યારે પણ તેઓ ભૂલો કરે છે, ત્યારે તેને ખૂબ જ પ્રેમથી સમજાવો. તમારે સમજાવવું જોઈએ, પરંતુ સમજાવવાની પણ એક રીત છે. તમારે ત્યાં સુધી જ સમજાવવું, જ્યાં સુધી બાળક તમારી વાતો સ્વીકાર કરે છે. તેઓ તમારી વાતો માટે તેના બારણા બંધ કરે, તે પહેલા તમારે બોલવાનું બંધ કરી દેવું જોઈએ. જો તમે તેના બારણા બંધ થતા સુધીની રાહ જોશો, તો તમારા શબ્દો વ્યર્થ જશે. તેથી કોઈ સત્તાવાળો સ્વર ન હોવો જોઈએ, ખાસ કરીને પુખ્ત વયના બાળકો સાથે.
માતા-પિતાની આ સૌથી મોટી અને સૂક્ષ્મ ભૂમિકા છે. શુદ્ધ પ્રેમ ફક્ત ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તમે શુદ્ધ હશો, એટલે કે ક્રોધ-માન-માયા-લોભ વગેરેથી મુક્ત હશો. જો તમે સુધરશો, તો તમારી હાજરીથી બધું સુધરશે. જે પહેલા પોતાને સુધારે છે, તે જ પછી બીજાને સુધારી શકે છે. સુધરેલા કોને કહી શકાય? જ્યારે તમે તેને ઠપકો આપો છો, તો પણ બાળક તેની પાછળનો પ્રેમ જોશે. તમે ઠપકો આપી શકો છો, પરંતુ જો તમે તે પ્રેમથી કર્યું હશે, તો પછી સામી વ્યક્તિ સુધરશે. જો માતા-પિતા સારા હોય, તો પછી બાળકો સારા હશે, તેઓ સમજદાર થશે. જાતે તપ કરો, પરંતુ બાળકોને નૈતિક મૂલ્યોથી સમૃદ્ધ બનાવો.
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events