આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે, “શું મારે છૂટાછેડા લેવા જોઈએ? શું છૂટાછેડા મારા મનની શાંતિ પાછી મેળવવા માટેની ચાવી છે?” હકીકત તો એ છે કે જ્યારે પતિ-પત્ની વચ્ચે જો એક જ કલાક ઝઘડો ચાલ્યો હોય તો પણ તેઓ છૂટાછેડા માટે વિચારવા લાગે છે. સમય જતાં, જેમ ઘર્ષણ વધે તેમ છૂટાછેડા લેવાનો વિચાર વધારે પ્રબળ બનતો જાય છે અને ધીરે-ધીરે વિચારોના બીજમાંથી એક મોટું ઝાડ બની જાય છે.

જો આપણા પાર્ટનર દ્વારા સંબંધમાં તિરાડ પડતી હોય તો એને સાંધવાની જવાબદારી આપણી છે. તો જ લગ્નજીવન ટકી રહેશે, નહીં તો તે તૂટી જશે. પરમ પૂજ્ય દાદાશ્રી નીચે મુજબ વધુ સમજાવતા કહે છે:
દાદાશ્રી: કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ જ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો એક જ વસ્તુ કહીએ કે 'એડજસ્ટ એવરીવ્હેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને 'આવો છે ને તેવો છે'.
પ્રશ્નકર્તા: આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય કે બનતું ના હોય ને એ લોકો ડિવોર્સ લે છે તે?
દાદાશ્રી: ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે! આ કંઈ કપ-રકાબીઓ છે? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો-સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે?! જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવા વિચારો હતા. ત્યાં ડિવોર્સના વિચારો શોભે? ગમે છે તને ડિવોર્સ?
લગ્નજીવનને ટકાવી રાખવાનો ઉત્તમ ઉપાય એ છે કે લાંબા સમયથી લગ્નજીવન નભાવી રહ્યા હોય એવા લોકોના અનુભવો જાણવા. નીચે એંશી વર્ષથી લગ્નજીવન નભાવી રહેલાં એક બહેનના અનુભવનું વર્ણન છે. એમનું લગ્નજીવન આટલું લાંબુ કેવી રીતે ટક્યું હશે, ચાલો જાણીએ...
”આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે એંસી વર્ષના કાકીને કહે છે, ‘માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.' 'તોય પણ આવા ધણી ફરી નહીં મળે‘ કહે છે. એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને...
લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે.”
પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે, “અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો! છૂટાછેડા લેવાના હોયને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું. એટલે પાછાં એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી ભડક અણસમજણની. ઘણાં છૂટા પડી ગયેલા રાગે પડી ગયા.”
આજે પણ આ વાત એટલી જ સાચી ઠરે છે! કારણ કે પૂજ્ય દીપકભાઈને મળ્યા પછી ઘણા પરિણીતો આજે સુખેથી જીવે છે! તમે પણ આમાંના એક બની શકો છો.
1) અવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે. સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ દુનિયામાં!
2) છૂટેલાની સમજણે ચાલીશ તો છૂટીશ ને બંધાયેલાની સમજણે ચાલીશ તો બંધાઈશ.
જો આપણે ડિવોર્સ લેવાની અણી પર ઊભા હોઈએ અને લગ્નજીવનને બચાવવું હોય તો એક ખાસ પ્રાર્થના દ્વારા આપણે માફી માંગી શકીએ છીએ, જેને પ્રતિક્રમણ કહેવાય છે. આ આપણા સંબંધને સુધારવામાં ચોક્કસ મદદરૂપ નીવડશે.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વર્તવું?
A. કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ... Read More
Q. લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?
A. જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે... Read More
Q. છૂટાછેડા થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે... Read More
Q. શું પતિ-પત્નીના સંબંધમાં એકબીજાની ભૂલો જોવી યોગ્ય છે?
A. એવું કેટલી વાર બન્યું હશે કે તમે પાર્ટનરને એમની ભૂલો બતાડવાનું મન થયું હોય અથવા તમારી સાથે એવું... Read More
Q. જીવનસાથીના પ્રતિક્રમણ શા માટે કરવા જોઈએ?
A. ઘણીવાર વ્યવહારમાં આપણી વાણીથી કે વર્તનથી આપણા જીવનસાથીને દુઃખ અપાઈ જતું હોય છે. ક્યારેક એમના માટે... Read More
Q. શું લગ્ન પહેલાં ડેટિંગ કરવું જોઈએ કે નહીં?
A. લગ્નની ઉંમર થાય ત્યારે લોકોને મનમાં ઘણા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, “લગ્ન કરી લેવા જોઈએ કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. જીવનસાથીની પસંદગી, એ આપણા માટે સૌથી અઘરો નિર્ણય બની રહે છે. લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે કેવા... Read More
subscribe your email for our latest news and events
