લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો કરવો પડે. ભાવનાત્મક રીતે તેમની સાથે નજીકથી જોડાયેલ હોવાથી, તમે એમને ખુશ રાખવાનો પ્રયત્ન કરો એ સ્વાભાવિક છે. તેમ છતાં, પરિસ્થિતિ જ્યારે કાબૂની બહાર જાય છે, ત્યારે એને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.
સામાન્ય રીતે, મતભેદની શરૂઆત નાની નાની થતી અણસમજણો અને પોતાના અભિપ્રાયોને કારણે હોય છે અને ત્યારે પરિસ્થિતિ હાથમાંથી જતી રહી એવો ભાસ થાય છે. થોડું ધૈર્ય રાખીને, ખુલ્લા મને વાર્તાલાપ કરીને અને એકબીજા પ્રત્યે થોડી વિનમ્રતા કેળવીને સમસ્યાને ઉકેલી શકાય તેમ છે. આમાં હતાશ થયા વગર તણાવભરી પરિસ્થિતિનો વ્યવસ્થિત રીતે ઉકેલ લાવવો, એ જ સૌથી મહત્ત્વની બાબત છે.
ધારો કે, તમારા પત્નીનો તમારા પાડોશી સાથે ઝઘડો થયો અને એમને એટલી હદે ક્રોધ આવ્યો છે કે તમે જ્યારે ઘરે આવો છો ત્યારે એ તમારા ઉપર પણ ક્રોધ કરવા લાગે છે. ત્યારે તમારે શું કરવું જોઈએ? શું તમે પણ સામે ક્રોધિત થશો? જ્યારે આવા પ્રસંગો બને, ત્યારે તમારે એડજસ્ટમેન્ટ લીધા કરવાનું. તમને નથી ખબર કે કોના લીધે અને કયા કારણથી તેઓ આટલા ક્રોધમાં છે. તમે પુરુષ છો, એટલે તમારે વિવાદ ન થવા દેવો જોઈએ. જો એ તમારી સાથે દલીલ કરવા લાગે, તો તમારે એમને શાંત કરવા. ક્લેશ એટલે જ અભિપ્રાયોનો મતભેદ.
તો ચાલો આપણે જોઈએ કે આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી કેવી રીતે તેમની પત્ની સાથે થતા ક્લેશનો કુશળતાથી ઉકેલ લાવતા હતા.
દાદાશ્રી: તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું 'હીરાબા' કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને બા કહેવાય અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.
પ્રશ્નકર્તા: હા, એ વાત કહો ને!
દાદાશ્રી: એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી.
પ્રશ્નકર્તા: એ તો એમની થઈ ગઈ હશે પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી.
દાદાશ્રી: હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તોય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને?
પ્રશ્નકર્તા: તમને.
દાદાશ્રી: તે મારે સમજવું જોઈએ ને!
તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે, તેમાં આ પહેલી છોડી પૈણે છે તે આપણે લગ્નમાં શું આપીશું ?' તો આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછ્યું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય? પૂછ્યું એટલે મેં શું કહ્યું? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છે ને તે આપજો ને, નવું બનાવ્યા કરતા! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યા છે નાના નાના, તે આપજો ને એકાદ-બે!' એટલે એમણે મને શું કહ્યું જાણો છો? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યા કે, 'તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને!' હવે મારા ને તમારા બોલ્યા તે દહાડે, કાયમ આપણું જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યા. મેં કહ્યું, આજે આપણે ફસાઈ ગયા! હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય, એ અમને આવડે!
એટલે મારી-તારી થઈ તે દહાડે! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી! મેં કહ્યું, 'આ ઠોકર વાગવાની થઈ આજ તો!' એટલે હું તરત જ ફરી ગયો! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેના કરતા ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખોય. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો.' હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, 'મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો!' ત્યારે કહે, 'તો શું કહો છો?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે?' એટલે હું સમજી ગયો આપણે જીત્યા! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે!' એટલે ખુશ થઈ ગયા. 'દેવ જેવા છે' કહે છે!
જો પટ્ટી મારી દીધી ને! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો?
ચાલો, દાદાશ્રીએ આપેલા ઉદાહરણો દ્વારા આપણે ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને આપણી પત્નીને ખુશ કેવી રીતે રાખવા એ કળા શીખીએ:
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જ્યારે બીબીએ સલિયાને ગોસ લાવવા કહ્યું હોય, હવે સલિયાને પગાર ઓછો મળતો હોય, તે બિચારો ગોસ શી રીતે લાવે? સલિયાને બીબી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે ગોસ તો લઈ આવો. પછી એક દહાડો બીબી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. મિયાંભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે, આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે બીબી કચકચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે, આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે બીબી જાણે કે આજે તો લઈને આવે એટલે પછી રાંધીએ. પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે બીબી બૂમાબૂમ કરવા માંડે. સલિયો આમ તો બહુ પાકો હોય એટલે બીબીને સમજાવી દે કે, 'યાર મેરી હાલત મૈં જાનતા હૂં, તુમ ક્યા સમજે!' એવા એક-બે વાક્ય બોલે પછી બીબી કહેશે, 'સારું, ફરી લાવજો.' પણ દશ-પંદર દહાડે ફરી બીબી બૂમો પાડે તો પાછો 'મેરી હાલત મૈં જાનતા હૂં' એવું બોલે ને તો બીબી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે.”
એ તો એવું બનેલું કે ૧૯૪૩-૪૪માં પરમ પૂજ્ય દાદા ભગવાને કોન્ટ્રેક્ટ લીધેલો ગવર્મેન્ટનો. એક દિવસ સાંજે તેઓ અહમદમિયાંના ઘરે ગયા કે જે લેબર કોન્ટ્રેક્ટવાળો કડિયા કામનો ઉપરી હતો. તે સાંજે પરમ પૂજ્ય દાદાશ્રીના નિવેદન નીચે મુજબ છે.
મેં કહ્યું, 'અલ્યા, આ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે.' ત્યારે કહે, 'સાહેબ ક્યા કરે! હમારે ગરીબ કે લીયે ઈતના બહોત હૈ.' મેં કહ્યું, 'તારા વાઈફ ક્યાં સૂઈ જાય છે?' ત્યારે કહે, 'યે હી જ રૂમ મેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી.' મેં કહ્યું, 'અહમદમિયાં, ઓરત કે સાથ કુછ ઝઘડા-બઘડા હોતા નહીં હૈ કે?' 'યે ક્યા બોલા?' મેં કહ્યું, 'શું?' ત્યારે એ કહે, 'કભી નહીં હોતા હૈ. ઐસા મૂર્ખ આદમી નહીં હમ.' 'અલ્યા, મતભેદ?!' ત્યારે કહે, 'નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.' શું કહે છે, બીબી જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, 'કોઈ દહાડો બીબી ગુસ્સે થઈ જાય ત્યારે?' તો કહે, 'પ્યારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે?' એટલે ચૂપ થઈ જાય!
મેં કહ્યું, 'મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીં ને?' ત્યારે કહે, 'ના, મતભેદ પડે તો, એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં? અહીં બે-ત્રણ માળ હોય તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું. એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં પછી શું મજા આવે? આખી રાત ઊંઘ ના આવે. પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં?! એટલે આ બીબીને તો કોઈ દહાડો હું દુઃખ આપું નહીં. બીબી મને મારે તોય દુઃખ ન આપું. એટલે હું બહાર બધાની જોડે વઢી આવું, પણ બીબી જોડે 'ક્લિયર' રાખવાનું! વાઈફને કશું ના કરાય.' ચળ આવતી હોય તો બહાર વઢીને આવે પણ અહીં ઘરમાં નહીં.
જો આપણે અહમદમિયાંની વિચારધારાને અનુરૂપ આપણા જીવનમાં અમલ શરુ કરીએ, તો લગ્નજીવનમાં ક્લેશ જ ન થાય એવી સ્થિતિ આવી જ શકે અને સાથે સાથે એમની પત્ની સાથે ક્લેશ ટાળવાની રીત વાપરીને આપણે આપણી પત્ની સાથેના ક્લેશ ટાળીએ, તો આપણે પણ સુખી લગ્નજીવન જીવી શકીએ.
બૈરી ચિઢાય ને કહે, 'હું તમારી થાળી લઈને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઈ છે ને હેંડતા થયા છો. આમ લોકો જોડે વાતો કરો છો, હરોફરો છો, બીડીઓ પીવો છો અને ઉપરથી ટાઈમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આવવાની! ત્યારે આપણે ધીમે રહીને કહીએ, 'તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.' એ કહે, 'નથી આવવાની.' તે પહેલા જ આપણે કહીએ કે, 'હું આવું છું, મારી ભૂલ થઈ ગઈ, લો.' આવું કરીએ તો કંઈ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા તહીં સૂઈ ગયા હોય ને આ બઈ અહીં ડચકારા મારતા હોય. બેઉને ઊંઘ આવે નહીં. સવારે પાછા ચા-પાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મૂકી ડચકારો મારે કે ના મારે? તે આ બઈએય તરત સમજી જાય કે ડચકારો માર્યો. આ કકળાટનું જીવન છે. આખા વર્લ્ડમાં આ હિન્દુઓ ગાળે છે જીવન ક્લેશમાં.
૧) 'મિનિટે'ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
૨) બાઈનો ધણી થતા આવડ્યું ક્યારે કહેવાય? કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય!
“ક્રોધ” ઉપર પણ એક બૂક છે - ક્રોધમાંથી કેવી રીતે બહાર નીકળવું એ સમજવા માટે તમે એ વાંચી શકો છો.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events