પ્રશ્નકર્તા: દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને?
દાદાશ્રી: તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઈમ ખોલવી. લોકો સાત વાગ્યે ખોલતા હોય ને આપણે સાડા નવ વાગ્યે ખોલીએ તે ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણેય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઈ જાય ત્યારે તમેય સૂઈ જાઓ. રાતે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરે એ કોના જેવી વાત! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે? એનું ફળ સવારે મળી જ જાય છે ને? એવું ધંધામાં બધે છે.
પ્રશ્નકર્તા: દાદા, હમણા દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું?
દાદાશ્રી: આ 'ઈલેક્ટ્રિસિટી' જાય એટલે તમે 'ઈલેક્ટ્રિસિટી ક્યારે આવે, ક્યારે આવે', એમ કરો તો જલદી આવે? ત્યાં તમે શું કરો છો?
પ્રશ્નકર્તા: એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઈએ.
દાદાશ્રી: સો વાર ફોન ના કરો?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી: આ લાઈટ ગઈ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને?
પ્રશ્નકર્તા: એટલે આપણે નિઃસ્પૃહ થવું?
દાદાશ્રી: નિઃસ્પૃહ થવું એય ગુનો છે ને સસ્પૃહ થવું તેય ગુનો છે. લાઈટ આવે તો સારું એટલું આપણે રાખવું, સસ્પૃહ-નિઃસ્પૃહ રહેવાનું કહ્યું છે. ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઉધામા ના નાખવા. 'રેગ્યુલારિટી' અને ભાવ ના બગાડવો, એ 'રિલેટિવ' પુરુષાર્થ છે. ઘરાક ના આવે તો અકળાવું નહીં ને એક દહાડો ઘરાકના ઝોલેઝોલાં આવે ત્યારે બધાને સંતોષ આપવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરોને શેઠ ટૈડકાય ટૈડકાય કરે! તે આપણે તેની જગ્યાએ હોઈએ તો શું થાય? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એય માણસજાત છે. એને ઘેર બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઈને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય! બિચારા ઉપર જરાક દયાભાવ તો રાખો ને!
આ તો ઘરાક આવે તો શાંતિથી પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, 'આજે ખર્ચો માથે પડશે. આટલી નુકસાની ગઈ' એ ચક્કર ચલાવે, ચિડાય અને નોકરને ટૈડકાવેય ખરો. આમ, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કર્યા કરે! ઘરાક આવે છે તેય 'વ્યવસ્થિત'ના હિસાબથી જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો? ના, ત્યાં તો દબાઈ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભા થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે.
Book Name: ક્લેશ વિનાનું જીવન (Page #124 - Paragraph #5, #6, Entire Page #125, Page #126 - Paragraph #1)
A. દુઃખ કોને કહેવાય? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય.... Read More
Q. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. પ્રશ્નકર્તા: દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તોય કઈ અસર થતી... Read More
Q. આપણા શબ્દો બાળકોને દુઃખ પહોંચાડે... તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. દાદાશ્રી: આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે અને... Read More
Q. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
A. પ્રશ્નકર્તા: સુધરેલાની વ્યાખ્યા? દાદાશ્રી: સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો... Read More
Q. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
Q. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો... Read More
Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?
A. દાદાશ્રી: આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઈ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે?... Read More
Q. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
A. દાદાશ્રી: જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ... Read More
Q. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?
A. દાદાશ્રી: અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઈફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે.... Read More
Q. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?
A. પ્રશ્નકર્તા: સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર... Read More
Q. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. દાદાશ્રી: આ ધંધો શેને માટે કરો છો? પ્રશ્નકર્તા: પૈસા કમાવવા. દાદાશ્રી: પૈસા શેને... Read More
Q. આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?
A. પ્રશ્નકર્તા: આદર્શ ધંધો કોને કહેવાય? દાદાશ્રી: ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને... Read More
Q. ધંધાના જોખમો જાણી, નિર્ભય રહો.
A. દાદાશ્રી: દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તોય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તોય આખી... Read More
Q. આજના સમયમાં જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરે છે, તો તેને ખોટ જાય છે, એવું શા માટે?
A. પ્રશ્નકર્તા: આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ... Read More
Q. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય... Read More
Q. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
A. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન... Read More
Q. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
A. પ્રશ્નકર્તા: ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું? દેવું ખૂબ થઈ ગયું... Read More
Q. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
A. આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ... Read More
Q. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
A. પ્રશ્નકર્તા: દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. દાદાશ્રી: આ... Read More
subscribe your email for our latest news and events