Related Questions

ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?

ઘરાકીના પણ નિયમ છે!   

પ્રશ્નકર્તા: દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને? 

દાદાશ્રી: તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઈમ ખોલવી. લોકો સાત વાગ્યે ખોલતા હોય ને આપણે સાડા નવ વાગ્યે ખોલીએ તે ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણેય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઈ જાય ત્યારે તમેય સૂઈ જાઓ. રાતે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરે એ કોના જેવી વાત! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે? એનું ફળ સવારે મળી જ જાય છે ને? એવું ધંધામાં બધે છે. 

પ્રશ્નકર્તા: દાદા, હમણા દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું? 

દાદાશ્રી: આ 'ઈલેક્ટ્રિસિટી' જાય એટલે તમે 'ઈલેક્ટ્રિસિટી ક્યારે આવે, ક્યારે આવે', એમ કરો તો જલદી આવે? ત્યાં તમે શું કરો છો? 

પ્રશ્નકર્તા: એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઈએ. 

દાદાશ્રી: સો વાર ફોન ના કરો? 

પ્રશ્નકર્તા: ના. 

દાદાશ્રી: આ લાઈટ ગઈ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને? 

પ્રશ્નકર્તા: એટલે આપણે નિઃસ્પૃહ થવું? 

દાદાશ્રી: નિઃસ્પૃહ થવું એય ગુનો છે ને સસ્પૃહ થવું તેય ગુનો છે. લાઈટ આવે તો સારું એટલું આપણે રાખવું, સસ્પૃહ-નિઃસ્પૃહ રહેવાનું કહ્યું છે. ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઉધામા ના નાખવા. 'રેગ્યુલારિટી' અને ભાવ ના બગાડવો, એ 'રિલેટિવ' પુરુષાર્થ છે. ઘરાક ના આવે તો અકળાવું નહીં ને એક દહાડો ઘરાકના ઝોલેઝોલાં આવે ત્યારે બધાને સંતોષ આપવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરોને શેઠ ટૈડકાય ટૈડકાય કરે! તે આપણે તેની જગ્યાએ હોઈએ તો શું થાય? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એય માણસજાત છે. એને ઘેર બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઈને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય! બિચારા ઉપર જરાક દયાભાવ તો રાખો ને! 

આ તો ઘરાક આવે તો શાંતિથી પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, 'આજે ખર્ચો માથે પડશે. આટલી નુકસાની ગઈ' એ ચક્કર ચલાવે, ચિડાય અને નોકરને ટૈડકાવેય ખરો. આમ, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કર્યા કરે! ઘરાક આવે છે તેય 'વ્યવસ્થિત'ના હિસાબથી જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો? ના, ત્યાં તો દબાઈ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભા થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે.  

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખ પહોંચાડે... તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમો જાણી, નિર્ભય રહો.
  14. આજના સમયમાં જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરે છે, તો તેને ખોટ જાય છે, એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on