એક બેન્કનો મેનેજર કહે છે કે દાદાજી, હું તો કોઈ દહાદોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય તો પણ મારે બોલવાનું નહીં. એ એમ સમજયો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે, સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને? અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ? તમેને છોડી-છોકરાં સાચવતા નથી આવડતાં ણે વહુ સાચવતાં નથી આવડતી! તે એ તો ગભરાઈ ગયો બિચારો. મેં તેમને કહ્યું, 'તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નાકમા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું
આવું કહીશ એટલે આ 'દાદા' માને મોટું ઇનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઇનામ હોતું હશે? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે 'કેમ આવું કર્યું? હવે આવું નહી કરવાનું.' એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે 'કરેક્ટ'(સાચું) જ છે. કારણ કે બાપાએ 'એક્સેપ્ટ' (સ્વીકાર) કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયા છે.
બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને? છોકરાઓને જરાક હલાવવાની(સચેટ કરવાની) જ જરૂર હોય છે આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે.તેમને હલાવવામાં કશો ગુનો છે?
દરેકમાં 'નોર્મલિટી લાવી નાખો. એક આંખમાં પ્રેમ ને એમ આંખમાં કડકાઈ રાખવી. કડકાઈથી સામાને બહુ નુકસાન નથી થતું, ક્રોધ કરવાથી બહુ નુકશાન થાય છે. કડકાઈ એટલે ક્રોધ નહીં, પણ ફૂંફાડો. અમે પણ ધંધા પર જઈએ એટલે ફૂંફાડો મારીએ, 'કેમ આમ કરો છો? કેમ કામ નથી કરતાં?' વ્યવહારમાં જે જગ્યાએ જે ભાવની જરૂર હોય, ત્યાં તે ભાવ ઉત્પન્ન ના થાય તો ઈ વ્યવહાર બગાડ્યો કહેવાય.
Q. સંબંધોમાં ક્રોધ થવાનું કારણ શું છે?
A. પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ? દાદાશ્રી : દેખાતું... Read More
Q. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવીરીતે વર્તવું?
A. ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ... Read More
Q. પતિ-પત્નીનાં સંબંધોમાં ક્રોધની સામે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના... Read More
Q. કામ-કાજની જગ્યા પર મને શા માટે ક્રોધ આવે છે?
A. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભની ખરેખરી રક્ષક માયા અને માનનો ખરેખર... Read More
Q. ક્રોધી લોકોની સાથે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : ગરમ તો થઈ... Read More
Q. બાળકો શા માટે પપ્પા કરતાં મમ્મીનો પક્ષ વધારે લે છે?
A. પ્રશ્નકર્તા : સાત્વિક ચીડ અગર તો સાત્વિક ક્રોધ સારો કે નહીં ? દાદાશ્રી : એને લોકો શું કહે ? આ... Read More
Q. બાળકોમાં ‘ડીસિપ્લિન’ કેવી રીતે લાવી શકાય?
A. પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે... Read More
Q. ક્રોધ કોને કહેવાય? ગુસ્સો કોને કહેવાય?
A. પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ? દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર... Read More
Q. ક્રોધમાંથી કેવીરીતે બહાર નીકળવું?
A. પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો, એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે,... Read More
subscribe your email for our latest news and events