પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો, એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે, 'અલ્યા, મને ક્રોધ આવ્યા કરે છે ને તું કહે છે કે ક્ષમા રાખો, પણ તે મારે કઈ રીતે ક્ષમા રાખવી ?' એટલે આમને ઉપદેશ કેવી રીતે આપવાનો હોય કે તમને ક્રોધ આવે તો તમે આવી રીતે, મનમાં પસ્તાવો લેજો કે મારામાં શી નબળાઈ છે કે મારાથી આવો ક્રોધ થઈ જાય છે. તે ખોટું થઈ ગયું મારાથી, એવો પસ્તાવો લેજો અને માથે કોઈ ગુરુ હોય તો એમની હેલ્પ લેજો અને ફરી એવી નબળાઈ ઉત્પન્ન ના થાય એવો નિશ્ચય કરજો. તમે હવે ક્રોધનો બચાવ ના કરો, ઉપરથી તેનું પ્રતિક્રમણ કરો.
એટલે દિવસમાં કેટલાં અતિક્રમણ થાય છે અને કોની સાથે થયાં, એની નોંધ કરી રાખ અને તે ઘડીએ પ્રતિક્રમણ કરી લે.
પ્રતિક્રમણમાં શું કરવું પડે આપણે ? તમને ક્રોધ થયો અને સામા માણસને દુઃખ થયું તો એના આત્માને સંભારીને એની ક્ષમા માગી લેવાની. એટલે આ થયું તેની ક્ષમા માગી લે. ફરી નહીં કરું એની પ્રતિજ્ઞા લે. અને આલોચના એટલે શું કે અમારી પાસે દોષ જાહેર કરે કે મારો આ દોષ થઈ ગયો છે.
Q. સંબંધોમાં ક્રોધ થવાનું કારણ શું છે?
A. પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ? દાદાશ્રી : દેખાતું... Read More
Q. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવીરીતે વર્તવું?
A. ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ... Read More
Q. પતિ-પત્નીનાં સંબંધોમાં ક્રોધની સામે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના... Read More
Q. કામ-કાજની જગ્યા પર મને શા માટે ક્રોધ આવે છે?
A. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભની ખરેખરી રક્ષક માયા અને માનનો ખરેખર... Read More
Q. ક્રોધી લોકોની સાથે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : ગરમ તો થઈ... Read More
Q. બાળકો શા માટે પપ્પા કરતાં મમ્મીનો પક્ષ વધારે લે છે?
A. પ્રશ્નકર્તા : સાત્વિક ચીડ અગર તો સાત્વિક ક્રોધ સારો કે નહીં ? દાદાશ્રી : એને લોકો શું કહે ? આ... Read More
Q. બાળકોમાં ‘ડીસિપ્લિન’ કેવી રીતે લાવી શકાય?
A. પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે... Read More
A. એક બેન્કનો મેનેજર કહે છે કે દાદાજી, હું તો કોઈ દહાદોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો... Read More
Q. ક્રોધ કોને કહેવાય? ગુસ્સો કોને કહેવાય?
A. પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ? દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર... Read More
subscribe your email for our latest news and events