અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા: ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના થાય, તો પછી આપણને ક્રોધ કેમ આવે ? ત્યારે શું કરવું ?
દાદાશ્રી: બધા માણસ પોતાના ધાર્યા પ્રમાણે કરવા જાય, તો શું થાય ? આવો વિચાર જ કેમ આવે તે ? તરત જ વિચાર આવવો જોઈએ કે બધાય જો એના ધાર્યા પ્રમાણે કરવા જશે તો અહીં આગળ વાસણો તોડી નાખશે સામસામી અને ખાવાનું નહીં રહે. માટે ધાર્યા પ્રમાણે કોઈ દા'ડો કરવું નહીં. ધારવું જ નહીં, એટલે ખોટું પડે જ નહીં. જેને ગરજ હોય તે ધારશે, એવું રાખવું.
પ્રશ્નકર્તા : આપણે ગમે એટલા શાંત રહીએ પણ પુરુષો ક્રોધ કરે તો આપણે શું કરવું ?
દાદાશ્રી : એ ક્રોધ કરે ને વઢંવઢા કરવી હોય તો આપણે ય ક્રોધ કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે ? ગમે છે ખરી, ફિલ્મ ?
પ્રશ્નકર્તા : ના, ફિલ્મ નથી ગમતી.
દાદાશ્રી : ક્રોધ કરીને શું કરવાનું ? એ માણસ પોતે ક્રોધ કરતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ક્રોધ કરે છે. તેથી પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ક્રોધ ના કર્યો હોત તો સારો.
પ્રશ્નકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ?
દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.
પ્રશ્નકર્તા : મને ને મારા હસબંડને, ક્રોધ ને ચડસાચડસી થઈ જાય છે, જીભાજોડી ને એ બધું. તો શું કરવું મારે ?
દાદાશ્રી : તે ક્રોધ તું કરે છે કે એ ? ક્રોધ કોણ કરે છે ?
પ્રશ્નકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે.
દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, 'કેમ તું આવું કરે છે ? કરેલાં તે ભોગવવાં જ પડે ને !' પણ આ પ્રતિક્રમણ કરે તો બધા દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા, તે આપણે પાછા ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.
Q. સંબંધોમાં ક્રોધ થવાનું કારણ શું છે?
A. પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ? દાદાશ્રી : દેખાતું બંધ થઈ જાય એટલે ! માણસ ભીંતને ક્યારે અથડાય ? જ્યારે એને...Read More
Q. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવીરીતે વર્તવું?
A. ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ ત્યારે પકડાય કે ક્રોધ એ અહંકાર છે. આ ક્રોધ કેમ ઉત્પન્ન થયો...Read More
Q. કામ-કાજની જગ્યા પર મને શા માટે ક્રોધ આવે છે?
A. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભની ખરેખરી રક્ષક માયા અને માનનો ખરેખર રક્ષક ક્રોધ. છતાંય માનને માટે પાછી માયા થોડી ઘણી વપરાય,...Read More
Q. ક્રોધી લોકોની સાથે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : ગરમ તો થઈ જ જાય ને ! એમના હાથમાં ઓછું છે ? અંદરની મશીનરી હાથમાં...Read More
Q. બાળકો શા માટે પપ્પા કરતાં મમ્મીનો પક્ષ વધારે લે છે?
A. પ્રશ્નકર્તા : સાત્વિક ચીડ અગર તો સાત્વિક ક્રોધ સારો કે નહીં ? દાદાશ્રી : એને લોકો શું કહે ? આ છોકરાંઓ પણ એને શું કહે કે, 'આ તો ચીડિયા જ છે !' ચીડ એ...Read More
Q. બાળકોમાં ‘ડીસિપ્લિન’ કેવી રીતે લાવી શકાય?
A. પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે મારીને ધાકમાં રાખવાં જ જોઈએ, તો જ છોકરાં પાંસરા ચાલે, એ શું...Read More
A. એક બેન્કનો મેનેજર કહે છે કે દાદાજી, હું તો કોઈ દહાદોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય તો પણ મારે...Read More
Q. ક્રોધ કોને કહેવાય? ગુસ્સો કોને કહેવાય?
A. પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ? દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર સહિત હોય. ગુસ્સો ને અહંકાર બે ભેગું થાય ત્યારે ક્રોધ...Read More
Q. ક્રોધમાંથી કેવીરીતે બહાર નીકળવું?
A. પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો, એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે, 'અલ્યા, મને ક્રોધ આવ્યા કરે છે ને તું કહે છે કે ક્ષમા...Read More
subscribe your email for our latest news and events