Related Questions

દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?

પ્રશ્નકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ?

દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ જ્ઞાનદાન.

પ્રશ્નકર્તા : લક્ષ્મી થકી જ બધું થાય છેને ? અન્નદાન પણ લક્ષ્મી થકી જ અપાય છેને ?

દાદાશ્રી : ઔષધ આપવું હોયને તોય આપણે સો રૂપિયાનું ઔષધ લાવીને પેલાને આપીએ ત્યારેને ? એટલે લક્ષ્મી તો બધામાં વાપરવાની જ. પણ લક્ષ્મીનું આ રીતે દાન હોય તે સારામાં સારું.

charity

લેતાં ય કેવી ઝીણી સમજણ !

અહીં  ફક્ત પુસ્તકો જે છપાય એ જ અને એટલી ખાતરી ખરી કે આ પુસ્તકોના પૈસા આવી મળશે, એની મેળે જ. એને માટે નિમિત્ત છે પાછળ, એ બધા આવી મળે છે. એમને કંઈ બૂમ પાડવી કે ભીખ માગવી પડતી નથી. કોઈ પાસે માંગીએ તો એને દુઃખ થાય. તો કહેશે કે આટલા બધા ? 'આટલા બધા' કહ્યું કે તેની સાથે એને દુઃખ થાય છે. એવું આપણને ખાતરી થઈ ગઈને ? અને કોઈને દુઃખ થયું એટલે આપણો ધર્મ રહ્યો નહીં. એટલે  સહેજે ય આપણાથી  મંગાય નહીં. એ પોતે રાજીખુશીથી કહેતો હોય તો આપણાથી પૈસા લેવાય. એ પોતે જ્ઞાનદાનને સમજે તો જ લેવાય. એટલે જેણે જેણે આપ્યા છે ને, તે પોતે જ્ઞાનદાન સમજીને આપે છે. એની મેળે જ આપે છે. અત્યાર સુધી માગ્યું નથી.

અહીં પુસ્તક છપાવ્યું હોયને તો પૈસા આપણા દીપે ને તે પુણ્યૈ હોય તો જ મેળ બેસે. પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ને એ મેળ ખાય નહીંને !  

×
Share on
Copy