આપણે જ આપણા કર્મોનું પ્રોજેક્શન છીએ
આપણને જે જે ભેગું થાય છે, તે બધું આપણું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. અનંત અવતારથી પૂરેપૂરી જવાબદારી આપણી જ છે.
ઘણા લોકો એવું માને છે કે તેઓ જે કંઈ પણ અનુભવે છે, તે તેમનું પોતાનું જ પ્રોજેક્શન છે. પરિણામે, તેઓ તે પ્રોજેક્શનને ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં તેઓ અસફળ થાય છે. કારણ કે, પ્રોજેક્શન માત્ર તેમના એકલાના હાથમાં નથી. પ્રોજેક્શનમાં ફેરફાર કરવાની વાતો સાચી છે, પણ શું વ્યક્તિ એવું સ્વતંત્ર રીતે કરી શકે છે?
હા, પણ અમુક હદ સુધી જ. તેનું મોટા ભાગનું નિયંત્રણ આપણા હાથમાં નથી. માત્ર આત્મજ્ઞાન પામ્યા પછી જ પોતે સ્વતંત્ર થઈ શકે છે; પરંતુ ત્યાં સુધી એવું શક્ય નથી.
જો એમ હોય તો...
- હું આ જ્ઞાનનો મારા ધ્યેય સુધી પહોંચવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકું?
- શું હું ખરાબ કર્મો ફળ આપે એ પહેલાં કર્મો ચોખ્ખા કરી શકું અથવા એમાંથી છૂટી શકું?
- શું હું સામાન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખીને એક પણ નવું કર્મ બાંધ્યા વિના અને નિરાકુળ આનંદ અનુભવી શકું?
- શું એવો કોઈ સહેલો અને વ્યવહારિક રસ્તો છે કે જેનાથી હું અનંત ભવોના કર્મોના બંધનમાંથી મુક્ત થઈ શકું?




