કર્મ એટલે શું? કર્મ, આ શબ્દનો ઉપયોગ વ્યવહારમાં ઘણી વાર થતો હોય છે. જો તમે આ પેજ વાંચી રહ્યા છો, તો તમે ખોટી રીતે સમજાયેલા શબ્દ ‘કર્મ’ની સાચી સમજણ મેળવવા માંગતા હજારો વ્યક્તિઓમાંથી એક છો.

તમે કદાચ અહીં એ સમજવા માટે આવ્યા છો કે કેવી રીતે જે આશયો, હેતુઓ, ઈચ્છાઓ અને લાગણીઓની સાથે આપણે કાર્યો કરીએ છીએ, તેની આપણા જીવન પર કેવી અસરો થાય છે અને તે ‘કર્મ’ સાથે કેવી રીતે સંકળાયેલા છે.

સંસ્કૃતમાં કર્મનો અર્થ કાર્ય અથવા ક્રિયા કરવી. તેમાં આપણે જે ક્રિયા માત્ર શરીરથી જ નહીં, પરંતુ વાણીથી અને મનથી કરીએ છીએ, તે પણ તેમાં આવી જાય છે.

  • કેટલાક લોકોએ કર્મનો અર્થ ભૂતકાળનો પડઘો ગણાવ્યો છે અને તેમના મુજબ તે ભવિષ્યનું સર્જન પણ કરે છે.
  • નોકરી પર જવું, સારા કામો કરવા, દાન આપવું વગેરે જેવા રોજિંદા કાર્યોને પણ સામાન્ય રીતે કર્મ કહેવાય છે.
  • આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી કર્મ શું છે, તેની ઊંડી સમજણ આપે છે અને સમજાવે છે કે ખરેખર તે બધા કાર્યો વ્યક્તિએ પૂર્વજન્મમાં બાંધેલા કર્મોનું ફળ છે. આમ, આપણા આ જીવનમાં જે કંઈ પણ બહાર દેખાય છે, તે બધું જ આપણા પોતાના પૂર્વજન્મના ભાવનું ફળ છે.
close

કર્મનું વિજ્ઞાન

કર્મ શું છે? શું સારા કર્મો ખોટા કર્મોને ખલાસ કરી શકે? શા માટે સારા લોકોને ભોગવવું પડે છે? બધાને હેલ્પ કરીએ તો પણ મને દુઃખ કેમ ? આવા કર્મનું રહસ્ય શું છે? કર્મના વિજ્ઞાનની વધુ સમજણ માટે આ વીડિયો નિહાળો.

play

તમને આ જાણીને આશ્ચર્ય થશે કે...?

  • જન્મ-મરણના ફેરા ચાલુ રહેવાનું કારણ કર્મ છે.
  • સુખ અને દુઃખનો અનુભવ એ ગતભવમાં બાંધેલા કે ભેગા થયેલા કર્મનું જ ફળ છે.
  • એક ખરાબ કાર્ય બીજા સારા કાર્યથી ધોવાઈ જતું નથી; બંનેના ફળ અલગ-અલગ રીતે ભોગવવા જ પડે છે.
  • આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, આપણે સામાન્ય ક્રિયાઓ કરતાં કરતાં, નિરાકુળ આનંદમાં રહી શકીએ છીએ અને કોઈ નવા કર્મ બંધાતા નથી, એટલે કે અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે.
  • બધાં કર્મોનો ક્ષય થયા પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી આપણને અત્યંત સરળ ભાષામાં કર્મના સિદ્ધાંત પર સચોટ સમજણ આપે છે

karma
karma
  • કર્મોના ફળ એ સજા કે બદલો નથી, પરંતુ ફક્ત આપણા જ ભાવનું પરિણામ છે.
  • કર્મબીજ ગયા ભવમાં વાવે છે, તે કર્મનું ફળ આ ભવમાં આવે છે. ફળ કોણ આપે છે? ભગવાન? ના. સંજોગો ભેગા થઈને ઉદયમાં આવે છે અને આપણને ફળ ભોગવવા પડે છે. તે કુદરત આપે છે, જેને દાદાશ્રી ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ (વ્યવસ્થિત શક્તિ) કહે છે.
  • કર્મ ચાર્જ થવાનું મુખ્ય કારણ કાર્ય પાછળનો ભાવ અને પોતાના સ્વરૂપની અજ્ઞાનતા છે.

આપણે જ આપણા કર્મોનું પ્રોજેક્શન છીએ

આપણને જે જે ભેગું થાય છે, તે બધું આપણું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. અનંત અવતારથી પૂરેપૂરી જવાબદારી આપણી જ છે.

ઘણા લોકો એવું માને છે કે તેઓ જે કંઈ પણ અનુભવે છે, તે તેમનું પોતાનું જ પ્રોજેક્શન છે. પરિણામે, તેઓ તે પ્રોજેક્શનને ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં તેઓ અસફળ થાય છે. કારણ કે, પ્રોજેક્શન માત્ર તેમના એકલાના હાથમાં નથી. પ્રોજેક્શનમાં ફેરફાર કરવાની વાતો સાચી છે, પણ શું વ્યક્તિ એવું સ્વતંત્ર રીતે કરી શકે છે?

હા, પણ અમુક હદ સુધી જ. તેનું મોટા ભાગનું નિયંત્રણ આપણા હાથમાં નથી. માત્ર આત્મજ્ઞાન પામ્યા પછી જ પોતે સ્વતંત્ર થઈ શકે છે; પરંતુ ત્યાં સુધી એવું શક્ય નથી.

જો એમ હોય તો...

  • હું આ જ્ઞાનનો મારા ધ્યેય સુધી પહોંચવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકું?
  • શું હું ખરાબ કર્મો ફળ આપે એ પહેલાં કર્મો ચોખ્ખા કરી શકું અથવા એમાંથી છૂટી શકું?
  • શું હું સામાન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખીને એક પણ નવું કર્મ બાંધ્યા વિના અને નિરાકુળ આનંદ અનુભવી શકું?
  • શું એવો કોઈ સહેલો અને વ્યવહારિક રસ્તો છે કે જેનાથી હું અનંત ભવોના કર્મોના બંધનમાંથી મુક્ત થઈ શકું?

કર્મ પર વધુ સમજવા માટે નિઃશુલ્ક પુસ્તક ડાઉનલોડ કરો

‘કર્મનું વિજ્ઞાન’ પુસ્તકમાંથી આપણને ઉપરના બધા જ પ્રશ્નોના જવાબ મળશે અને વધુ ઊંડી સમજણ પ્રાપ્ત થશે. કર્મ બંધનમાંથી મુક્તિ માટેના ઘણા જ રસપ્રદ તથ્યો આ પુસ્તકમાં ખુલ્લા થયા છે.

આપણે અનુક્રમે જીવન પરિવર્તન કરનારા રહસ્યો ઓળખી શકીશું. આ ઉપરાંત, આપણે કર્મના પ્રકારો વિશે અને પૂર્વકર્મો ઉકેલવાની, નેગેટિવિટીમાંથી બહાર નીકળીને આ ભવમાં અંતરશાંતિનો અનુભવ કરવાની પદ્ધતિઓ શીખીશું.

આ પુસ્તક નિઃશુલ્ક ડાઉનલોડ કરવા માટે, અહીં ક્લીક કરો.

karma
karma

શાશ્વત સુખ તરફની આધ્યાત્મિક સફરની શરૂઆત કરીએ

કર્મના સિદ્ધાંતની સમજણ, તેની પાછળ રહેલા વિજ્ઞાન અને કાર્યપદ્ધતિ સમજવામાં મદદરૂપ થશે. પરંતુ એક પ્રશ્ન હજી બાકી રહે છે કે:

મુક્તિ તરફના આ પથની શરૂઆત કેવી રીતે કરવી?

શાશ્વત સુખ તરફની આ આધ્યાત્મિક સફરની શરૂઆત કરવા માટે સૌથી અગત્યનું પગલું એ છે કે માત્ર બે જ કલાકના આત્મસાક્ષાત્કાર પામવાના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાની સાચી ઓળખાણ મેળવી લેવી.

પરમ પૂજ્ય દાદાશ્રીના શબ્દોમાં

“કર્મ ના બંધાય, તેનો રસ્તો શું? સ્વભાવ ભાવમાં આવવું તે. ‘જ્ઞાની પુરુષ’ પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે, પછી કર્મ ના બંધાય. પછી નવાં કર્મો ચાર્જ ના થાય. જૂનાં કર્મો ડિસ્ચાર્જ થયા કરે ને બધાં જ કર્મો પૂરાં થઈ જાય એટલે અંતે મોક્ષ થાય!”

રોજબરોજની સમસ્યાઓના ઉકેલ શોધતા હોય કે શાશ્વત સુખ શોધતા જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવતા લોકોએ, ‘જ્ઞાન વિધિ’ એટલે કે આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પ્રક્રિયા મેળવ્યા પછી પોતાના જીવનની શોધમાં સંતોષ પ્રાપ્ત કર્યો છે.

આનો અનુભવ થયા પછી જ શ્રદ્ધામાં આવે.

જ્ઞાનવિધિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલી વ્યક્તિઓના અનુભવો જોવા માટે અહીં ક્લીક કરો.

×
Share on