કર્મનો એક શબ્દ તરીકે વારંવાર ઉપયોગ થતો હોય છે. જો તમે આ પેજ વાંચતા હોય તો, એવું સંભવ છે કે, તમે એવા હજારો લોકોમાંના એક છો કે જે, 'કર્મ' વિશેની સાચી સમજણની શોધમાં છે.

તમે કદાચ અહીં એ સમજવા માંગો છો કે, કેવી રીતે આપણા આશયો, હેતુ, ઈચ્છાઓ અને ભાવનાત્મક પ્રવાહો કે જેની સાથે આપણે કાર્ય કરીએ છીએ, તેની આપણા જીવન પર કેવી અસરો થાય છે અને તે 'કર્મ' શબ્દ સાથે કેવી રીતે સંકળાયેલું છે.

સંસ્કૃતમાં કર્મનો અર્થ કાર્ય અથવા ક્રિયા થાય છે. તેમાં આપણે જે કાર્ય માત્ર શરીર દ્વારા નહિ પરંતુ વાણી અને મન દ્વારા કરીએ છીએ તે પણ તેમાં આવી જાય છે.

  • કર્મ એટલે ભૂતકાળનો પડઘો કહેવાય અને ભવિષ્યનું સર્જન પણ કહેવાય.
  • રોજીંદા કાર્યો જેવા કે, નોકરી પર જવું, સારા કામો કરવા, દાન આપવું વિગેરે સામાન્ય રીતે કર્મ કહેવાય છે.
  • જો કે પરમ પૂજ્ય દાદાશ્રી, કે જેમને આત્માનુભવ પ્રાપ્ત થયો છે, તેઓ ઊંડી સમજણ આપે છે અને સમજાવે છે કે ખરેખર તે બધા કાર્યો તેમના પૂર્વ જન્મમાં બાંધેલા કર્મોનું ફળ છે. આ રીતે, તમને આ જીવનમાં જે કંઇ પણ બહાર દેખાય છે તે બધું જ પોતાના પૂર્વ જન્મના આશયોનું ફળ છે.
close

કર્મનું વિજ્ઞાન

કર્મ શું છે? શું સારા કર્મો ખોટા કર્મોને ખલાસ કરી શકે? શા માટે સારા લોકોને ભોગવવું પડે છે? બધાને હેલ્પ કરીએ તો પણ મને દુઃખ કેમ ? આવા કર્મનું રહસ્ય શું છે? કર્મના વિજ્ઞાનની વધુ સમજણ માટે આ વીડિયો નિહાળો.

play

શું તમને એ જાણીને આશ્ચર્ય થશે કે.......?

  • જન્મ મરણના ફેરા ચાલુ રહેવાનું કારણ કર્મ છે.
  • સુખ અને દુઃખનો અનુભવ કર્મનું ફળ છે, કે જે પૂર્વ જન્મમાં ચાર્જ કે ભેગા કરેલા છે.
  • એક ખરાબ કર્મ બીજા સારા કર્મથી ધોવાઈ જતું નથી; બંનેના ફળ અલગ રીતે ભોગવવા પડે છે.
  • સુખ અને દુઃખનો અનુભવ કર્મનું ફળ છે, કે જે પૂર્વ જન્મમાં ચાર્જ કે ભેગા કરેલા છે.
  • બધા કર્મોનો નાશ થાય પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી આપણને, અત્યંત સરળ ભાષામાં 'કર્મ' પર સચોટ સમજણ આપે છે.

karma
karma
  • કર્મોના ફળ સજા કે બદલો નથી, પરંતુ ખાલી આપણા અંતર આશયનું પરિણામ છે.
  • કર્મના બીજ પૂર્વ જન્મમાં પડે છે અને આ જન્મમાં તેનું ફળ આવે છે. કર્મનું ફળ કોણ આપતું હશે? ભગવાન? ના. જયારે યોગ્ય સંજોગો ભેગા થાય ત્યારે તે પાકે છે અને આપણને તેનો અનુભવ થાય છે. તે કુદરતી થાય છે, જેને દાદાશ્રી 'સાયન્ટિફિક સરકમસ્ટેન્ટીઅલ એવિડેન્સ' (વ્યવસ્થિત શક્તિ) કહે છે.
  • કર્મ ચાર્જ થવાનું મુખ્ય કારણ, કાર્ય પાછળનો અંતર આશય અને પોતાના સ્વરૂપની અજ્ઞાનતા છે.

જો તમારે કોઈ પ્રશ્નો હોય કે મુશ્કેલીઓના ઉકેલ જોઈતા હોય તો, અમે તમને માર્ગદર્શન આપી શકીએ છીએ. આ માટે અમને એક ઇ-મેઇલ  મોકલશો અને અમે શક્ય તેટલી વહેલી તકે તમને જવાબ આપીશું.

કર્મોના પડઘા

આપણને જે કંઈ મળે છે તે આપણી પોતાની જ ડિઝાઇન છે; અન્ય કોઈ વ્યક્તિ એના માટે જવાબદાર નથી. અનંત જન્મોની ભટકામણ માટે સંપૂર્ણપણે પોતે જ જવાબદાર છે.

ઘણા બધા લોકોએ એવું સ્વીકાર્યું છે કે તેઓ જે કંઈ અનુભવે છે તે તેમનું પોતાનું જ પ્રોજેકશન છે. પરિણામે તેઓ તે પ્રોજેકશનને ફેરફાર કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તેઓ અસફળ થાય છે. કારણ કે પ્રોજેકશન માત્ર તેમના એકલાના હાથમાં નથી. પ્રોજેકશનમાં ફેરફાર કરવાની વાતો બરાબર છે, પરંતુ શું પોતે કંઇ ફેરફાર કરી શકે છે?

હા, જોકે અમુક મર્યાદિત હદમાં રહીને એવું કરી શકાય પણ તેનું મોટા ભાગનું નિયંત્રણ તમારા હાથમાં નથી. માત્ર આત્મજ્ઞાન પામ્યા પછી જ, પોતે સ્વતંત્ર થઈ શકે; પરંતુ ત્યાં સુધી એવું શક્ય નથી.

જો એમ હોય તો,

  • હું આ જ્ઞાનનો મારા ધ્યેય સુધી પહોંચવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકું?
  • શું હું હજુ ઉદયમાં ના આવેલા ખરાબ કર્મોનું ફળ આવે તે પહેલા એમાંથી છૂટી શકું?
  • શું હું એક પણ નવું કર્મ બાંધ્યા વિના, મારુ રોજબરોજનું જીવન જીવી શકું, અને છતાં પણ આત્માનો નિરાકૂળ આનંદ અનુભવી શકું?
  • શું એવો કોઈ સહેલો અને વ્યવહારિક રસ્તો છે કે જેનાથી હું અનંત પૂર્વ જન્મોના કર્મોના બંધનમાંથી મુક્ત થઇ શકું?

કર્મ પર વધુ સમજવા માટે પુસ્તક ડાઉનલોડ કરો.

'કર્મનું વિજ્ઞાન' પુસ્તકમાંથી તમને ઉપરના બધા પ્રશ્નોના જવાબ અને વધુ ઊંડી સમજણ પ્રાપ્ત થશે. કર્મ બંધનમાંથી મુક્તિ માટેનાં ઘણા રસપ્રદ તથ્યો આ પુસ્તકમાં અગોપિત થયા છે.

ધીમે ધીમે તમે જીવન પરિવર્તન કરનારા રહસ્યો ઓળખી શકશો. આ ઉપરાંત તમે પૂર્વ કર્મ અને જુદા જુદા પ્રકારના કર્મો વિશે તથા નેગેટીવીટીમાંથી બહાર નીકળીને જીવનમાં અંતરશાંતિનો અનુભવ કેવી રીતે કરવો એ પણ જાણી શકશો.

આ પુસ્તક ડાઉનલોડ કરવા માટે, અહીં ક્લીક કરો.

karma
karma

આત્યંતિક સુખ મેળવવા માટેની આધ્યાત્મિક મુસાફરીની શરૂઆત...

કર્મના સિદ્ધાંતની સમજણ, તેની પાછળ રહેલા વિજ્ઞાન અને કાર્ય પદ્ધતિ સમજવામાં મદદરુપ થશે. પરંતુ એક પ્રશ્ન હજી બાકી રહે છે કે:

મુક્તિ તરફના આ પથની શરૂઆત કેવી રીતે કરવી?

આ આધ્યાત્મિક મુસાફરીથી શાશ્વત સુખ પામવાની મુસાફરીની શરૂઆત કરવા માટે સૌથી અગત્યનું પગલું એ છે કે માત્ર બે જ કલાકના આત્મ સક્ષાત્કાર પામવાના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાની સાચી ઓળખાણ મેળવી લેવી.

દાદાશ્રીના શબ્દોમાં:

"એકવાર તમે આત્મ સ્વભાવમાં આવી ગયા તો તમને નવું કર્મ નહી બંધાય. આવું ત્યારે જ શક્ય બને જ્યારે જ્ઞાની પુરુષ તમને તમારો આત્મા ઓળખાવી દે. ત્યાર બાદ, નવા કર્મો નહી બંધાય અને જુના કર્મો ડિસ્ચાર્જ થયા કરશે. જ્યારે બધા કર્મો ડિસ્ચાર્જ થઈ જશે, ત્યારે તમારી મુક્તિ થઈ જશે.”

જીવનના જુદા જુદા તબક્કે ઉભેલા લોકો જેઓ પોતાની રોજિંદી સમસ્યાઓના સમાધાનની શોધમાં હોય કે પછી કાયમી સુખની શોધમાં હોય તેમણે બધાએ આત્મસાક્ષાત્કારના વૈજ્ઞાનિક પ્રયોગ કે જે જ્ઞાનવિધિના નામથી ઓળખાય છે તેના દ્વારા જીવનમાં ઉઠતા પ્રશ્નોના સંતોષકારક સમાધાન મેળવ્યા છે.

આમાં શ્રધ્ધા ત્યારે જ આવે જ્યારે તેનો અનુભવ કરવામાં આવે!

જ્ઞાનવિધિમાં ભાગ લીધેલ વ્યક્તિઓના અનુભવો જોવા માટે અહીં ક્લીક કરો.

×
Share on