સ્વસ્તિકના લાંછનથી ઓળખાતા, સુપાર્શ્વનાથ સ્વામી વર્તમાન કાળચક્ર્ના સાતમા તીર્થંકર છે. તેમનો જન્મ વારાણસીમાં થયો હતો અને તેમનું દેહપ્રમાણ ૨૦૦ મેઘધનુષ જેટલું હતું. તેમના પિતાનું નામ પ્રતિષ્ઠ અને માતાનું નામ પૃથ્વી દેવી હતું. આયુષ્ય કાળના ઘણા સમય બાદ ભગવાને દીક્ષા લીધી. માતંગ દેવ અને શાંતા દેવી અનુક્રમે તેમના શાસન દેવ-દેવી હતા.
ચાલો હવે ભગવાનના, તીર્થંકર તરીકેથવાના જન્મ પૂર્વેના બે ભવોની જીવનકથાઓ જોઇએ. અંતમાં, આપણે સુપાર્શ્વનાથ ભગવાનની જીવનકથા પણ જોઇશું.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો ત્રીજા અંતિમ ભવ, ઘાતકીખંડના પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં તિલક વિજયની ક્ષેમપુરીનગરીમાં નંદિષેણ રાજા તરીકેનો હતો. નંદિષેણ રાજા અત્યંત સેવાભાવી હતા. તેઓ હંમેશા બીજાની મદદ કરવા તત્પર રહેતા. જે લોકોને સ્વાસ્થય સંબંધી સમસ્યા હોય તેવા રોગીઓને તેઓ ખૂબ જ મદદ કરતા. રાજા પોતે રોગીઓના દર્દની વેદના પોતે અનુભવતા હોય એમ તેમણે પોતાની આખું જીવન પીડિત દર્દીઓની સેવામાં અર્પણ કર્યું. રાજા હોવા છતાં પણ તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા હતા. તેમનો ભાવ દરેકને સુખ આપવાનો હતો. તેમની આ ભાવનાના કારણે, તેમને તીર્થંકર-નામ-ગોત્ર-કર્મ બંધાયું.
પછીના ભવમાં રાજા છઠ્ઠા દેવલોકમાં જન્મ લે છે.
છઠ્ઠા દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરીને, ભગવાન સુપાર્શ્વનાથનો જીવ રાણી પૃથ્વી દેવી, જે ભરતક્ષેત્રમાં કાશી દેશમાં વારણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજાના પત્ની હતા, તેમના ગર્ભમાં પ્રવેશે છે. જે ક્ષણે ભગવાનનો જન્મ થાય છે, ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં શાંતિ ફેલાય જાય છે, નર્કમાં પણ શાંતિનો અનુભવ થાય છે.
સમય જતાં, તેઓ યુવાન થાય છે અને તેમના લગ્ન થાય છે. તેઓ ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવે છે. પછી, એક દિવસ, દેવોએ લોકકલ્યાણ હેતુથી ભગવાનને દીક્ષા ગ્રહણ કરવાની વિનંતી કરી, ભગવાને દેવોની વિનંતી સ્વીકારીને દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણના થોડા કાળ બાદ, ભગવાન સુપાર્શ્વનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી, ભગવાને દેશના આપવાનું શરૂ કર્યું. તેમની દેશના સાંભળીને, અસંખ્ય લોકો મોક્ષમાર્ગ તરફ વળ્યા.
એક વખત ભગવાને અન્યત્વ ભાવના વિશેની ખૂબ જ સુંદર દેશના આપી. જેમાં, તેમણે સમજાવ્યું કે આપણે કઈ રીતે સંસારી બંધનોમાં અત્યંત મોહ અને આસક્તિથી તન્મયાકાર થઈને તેમાં જ સાચું સુખ માની લઈએ છીએ અને તેને જ સર્વસ્વ માની લઈએ છીએ. આપણે બાહ્ય દેખાવ, શારિરીક શણગારો, સાંસારિક અને ભૌતિક સુખો વગેરેમાં એટલા બધા તન્મયાકાર થઇ જઇએ છીએ કે આપણે આપણા આત્માના વૈભવને સંપૂર્ણપણે ભૂલી જ જઈએ છીએ; આપણે તેને ઓળખવામાં જ નિષ્ફળ થઈ જઈએ છીએ. સંસારની બાહ્ય સુખ-સાહ્યબીઓ ભોગવવામાં, આપણે આત્માના આંતરિક સુખથી વંચિત રહીએ છીએ. જો કે, જ્યારે તીર્થંકર ભગવાન કે જ્ઞાની પુરૂષની વાણી આપણા હ્રદયને સ્પર્શે છે ત્યારે, તેમના શબ્દો આપણા કર્મોરૂપી આવરણો કે, જે આપણને મોક્ષ લક્ષ્મી (સાચી મુક્તિ) પ્રાપ્ત કરવા માટે અવરોધરૂપ છે એવા આવરણોને વીંધી નાખે છે. ત્યારબાદ જ આત્માના શાશ્વત સુખની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ થતાં જ, સાંસારિક સુખો ક્ષુલ્લક લાગવા લાગે છે. જેમ જલેબી ચાખ્યા પછી ચા ફીક્કી લાગે છે.
ભગવાન સુપાર્શ્વનાથને ૯૫ ગણધરો હતા. તેમના સંઘમાં લાખો સાધુ અને સાધ્વીઓ હતા. જગત કલ્યાણ કરવા ભગવાન એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતાં હતા. અંતે, સમ્મેદ શિખરજી પર્વત પરથી, ભગવાન સુપાર્શ્વનાથ નિર્વાણ પ્રાપ્ત કરે છે.
ભગવાન સુપાર્શ્વનાથની જીવનકથા આપણને મોક્ષમાર્ગે પ્રગતિ કરવા પ્રેરિત કરે છે અને આપણા મન, વચન અને કાયા બીજાના સુખ કાજે વાપરવા એ હેતુ માટે પ્રોત્સાહિત કરે છે.
subscribe your email for our latest news and events