ગો ટૂ જ્ઞાની!
પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ?
દાદાશ્રી: જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ત્યાં જવું અને નહીં તો અહંકાર વધારવો હોય તો આ ગુંડા લોકોની પાસે ગયા કે અહંકાર ખૂબ વધી જાય. જેવો સંગ એવો રંગ લાગે.
અહંકાર જ આ કર્મ બાંધે છે અને અહંકારને કાઢી નાખે, એટલે કર્મ બંધાતા અટકી ગયા અને આપણો સંસાર અટકી ગયો. પણ જેની પાસે ઈગોઈઝમ છે ત્યાં આપણો ઈગોઈઝમ શી રીતે નીકળે? એટલે મારી પાસે આવશો તો હું તમને ઈગોઈઝમ કાઢી આપીશ.
જ્ઞાની સમર્પણે, અહમ્ શૂન્યતા!
પ્રશ્નકર્તા: આ અક્રમ માર્ગમાં, ઈગોઈઝમ જે છે એ જ્ઞાની પુરુષને સરેન્ડર (સમર્પણ) કરો તો જ ઈગોઈઝમ જાય ને?
દાદાશ્રી: એ તો સેકન્ડરી સ્ટેજ થયું. પણ જ્ઞાની પુરુષ જે પહેલા થાય એણે કોને સરેન્ડર કરવાનું? જ્ઞાની પુરુષને જ્ઞાનથી આ ઈગોઈઝમ બધો ઊડી જાય. જ્ઞાન થતાની સાથે જ ઈગોઈઝમ ઊડી જાય. અમારે બહુ ઈગોઈઝમ હતો. ૧૯૫૮ પહેલા ઘણો ઈગોઈઝમ હતો, પણ જ્ઞાન થતાની સાથે જ ઈગોઈઝમ બધો સાફ થઈ ગયો.
હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઈગોઈઝમ જાય. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.
લાખ અવતાર નાગા થાય તોય આ સંસારનો મોહ છૂટે એવો નથી. અહંકાર કોઈ દહાડો ઓગળે તેવો નથી. અહંકાર ફ્રેક્ચર થાય એવો નથી, મમતા જાય એવી નથી અને માયા તો આઘી ખસે જ નહીં. એક કેરી હોય ને તોય રાત્રે સંતાડી રાખે, કહેશે, 'સવારમાં ખાઈશ.' જંગલમાં રહેતો હોય તોય માયા જોડે હોય! એટલે આ તો આવો લિફ્ટ માર્ગ નીકળ્યો છે! તમારું પુણ્ય છે તે અમે ભેગા થયા છીએ, સરળ માર્ગ છે! એટલે 'અહીં તમારું કામ કાઢી લો', એટલું કહી છૂટીએ.
1. અહંકાર નુકસાનકર્તા છે, એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી.
2. 'ઈગોઈઝમ'ને લીધે આ સંસાર ઊભો છે. બંધન 'ઈગોઈઝમ'ને લીધે છે. 'ઈગોઈઝમ' કોઈ પણ રસ્તે બંધ થાય તો છૂટાય.
3. સંસારમાં જેટલું ઊંધું ચાલ્યા તેટલો ઈગોઈઝમ. ને જેટલો ઈગોઈઝમ ઓગળે તેટલું સનાતન સુખ વર્ત્યા કરે. 'જ્ઞાની પુરુષ'ને ઈગોઈઝમ ખલાસ થઈ ગયેલો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. કોઈ અપમાન કરે તોય પોતાને મહીં સુખ લાગે, ત્યારે એમ થાય કે ઓહોહો! આ કેવું સુખ!!!
4. આ ડૉક્ટરને પૂછ્યા વગર પ્રિસ્ક્રિપ્શન બનાવાય નહીં, કારણ કે, તેને મરણનો ભય છે; ને જ્યાં અનંત અવતારના મરણનો ભય છે, ત્યાં જાતે દવા બનાવે છે ને પાછો કોઈ 'જ્ઞાની પુરુષ'ને પૂછ્યા વગર પી લે છે! શાસ્ત્રો એ શસ્ત્રો છે, વાપરતા ના આવડે તો મરી જઈશ!
1) અને ગાડીમાં બેસે ને, ત્યારે શું કહે? આમ મુંબઈથી બેઠા હોય, તો પૂછીએ, 'ક્યાં જાવ છો?' ત્યારે કહે, 'હું તો નવસારી જઉં છું' અને આમ કરીને બેઠા હોય. 'અલ્યા ભઈ, તમે ક્યાં જાવ છો? તમે તો અહીં આગળ બેઠા છો ને?' પણ 'હું નવસારી જઉં છું ને' કહેશે. 'અલ્યા, ચક્કર છે કે શું છે તે? નવસારી જતા હતા તે તમે? તમે તો બેઠા છો, ગાડી નવસારી જાય છે.' એટલે આ તો કોઈક કરે છે અને પોતે માને છે કે હું કરું છું આ. બધી જ ચીજ કોઈક કરે છે. બધી એટલે અણુ એ અણુ! ત્યારે આ કહેશે, 'સ્કૂલમાં પાસેય હું થયો!' અને રોફ મારીને ફર્યા અને પછી નાપાસ થાય ત્યારે આપણે કહીએ, 'કેમ દર સાલ પાસ થતો હતો ને આ સાલ નાપાસ થયો?' ત્યારે કહે, 'પરીક્ષા કડક હતી, આમ છે, તેમ છે', તે લોચા વાળ્યા કરે. ના લોચા વળે? તમને સમજાય છે?
પ્રશ્નકર્તા: હા, સમજણ પડે છે.
દાદાશ્રી: એટલે આ સત્તા જ નથી આપણી. આ કુદરતની સત્તા છે. આ જે પ્રકૃતિ સત્તા છે, એ બધી કુદરતના હાથની વાત છે. અને પ્રકૃતિ અને પુરુષ બે જુદા પડ્યા પછી પુરુષાર્થ શરૂ થાય છે. ખરો પુરુષાર્થ પુરુષ થયા પછી શરૂ થાય છે.
હજુ તો પુરુષ ને પ્રકૃતિ જુદા પડ્યા નથી ને કે જુદા પડી ગયા છે? ના પડ્યા હોય તો અહીં આગળ આવજો. આ જગતમાં બધું ઈટ હેપન્સ છે, બની જાય છે, કોઈ કરી શકે નહીં.
2) એટલે બેટરીના સેલ જેમ ડિસ્ચાર્જ થાય ને, એ સેલ કંઈ જીવંત છે? એ નિર્જીવ છે છતાં પણ ડિસ્ચાર્જ થાય છે એમાંથી. એવી રીતે આ મનની, વચનની અને કાયાની ત્રણ બેટરીઓ જુદી પાડી દઈએ છીએ, નિર્જીવ કરી દઈએ છીએ. એ પછી ડિસ્ચાર્જ થયા કરે. પહેલા તો બધું જીવતું હતું. અહંકારેય જીવતો, મન પણ જીવતું, એટલે નવું ચાર્જ થાય અને જૂનું ડિસ્ચાર્જ થાય.
જ્ઞાનવિધિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરો.
Book Name: આપ્તવાણી 10 (U) (Page #403 and Page #404)
Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બંને અહંકારી જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે, તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
subscribe your email for our latest news and events
