જાય શું, એ જપ-તપથી?
પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય?
દાદાશ્રી: જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે. આમાં ભક્તિ અહંકાર નથી વધારતી, ભક્તિ તો અહંકારને ઘટાડે છે.
પ્રશ્નકર્તા: ભક્તિથી અહંકાર કંટ્રોલમાં આવી શકે?
દાદાશ્રી: ભક્તિથી અહંકાર ઓછો થાય. પણ ભક્તિ ના કરે એટલે પાછો વધી જાય. ઓછો થાય ને વધી જાય. પણ 'એને' ખરેખર 'હું કોણ છું' એનું ભાન થાય, એ જાણે એટલે ઈગોઈઝમ ખલાસ થઈ જાય, એક્ઝેક્ટ જાણે ત્યારે. આ તો જાણ્યું ના કહેવાય. જાણ્યું એટલે તો ઈફેક્ટિવ (અસરકારક) હોવું જોઈએ.
પ્રશ્નકર્તા: આ કરીએ છીએ એ ઈગોઈઝમ છે, તો એ ઈગોઈઝમ આપણે છોડવો હોય તો એ બધું નહીં કરવાનું, એમ?
દાદાશ્રી: પણ આ કોણ બોલે છે? આ ઈગોઈઝમ પોતે જ બોલે છે કે, 'મારે ઈગોઈઝમ છોડવો છે.' બોલો હવે, એ જાતે મરતો હશે? જાતે ઝેર ખાય? એટલે આ ઈગોઈઝમ પોતે બોલે છે કે, 'મારે ઈગોઈઝમ છોડવો છે.' કેટલો બધો વિરોધાભાસ લાગે?
પ્રશ્નકર્તા: તો માનવી અહંકાર મુક્ત થઈ શકે નહીં?
દાદાશ્રી: અહંકાર મુક્ત ના થાય તો પછી મોક્ષ હોય જ નહીં ને! મારામાં છાંટોય અહંકાર નથી, સેન્ટ પરસેન્ટ (સો ટકા) નથી. જ્યાં સેન્ટ પરસેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં સેન્ટ પરસેન્ટ અહંકાર ના હોય.
પ્રશ્નકર્તા: મારામાં અહંકાર નથી એમ કહેવું એ અહંકાર નથી?
દાદાશ્રી: એ સમજવાનું છે. આ કોણ બોલે છે એ તમે જાણો છો? આ ઓરિજિનલ ટેપરેકર્ડ વાત કરે છે.
પ્રશ્નકર્તા: એ વસ્તુ બરાબર છે પણ અહંકારશૂન્ય બનવું કેવી રીતે, એ જ તકલીફ છે?
દાદાશ્રી: એ બનવાનું તો એ અહંકારશૂન્યની પાસે જાવ, ત્યાર પછી એનો રસ્તો જડે. અને જ્યારે પોતાના સ્વરૂપમાં આવો ત્યારે અહંકારશૂન્ય થાય.
અહંકાર ઓગાળેલો હોય ને તેમને કહીએ, 'તમે અમને કંઈક હેલ્પ કરો.' આપણે કહીએ તો એ હેલ્પ કરે. જેમ આપણે કોઈ એક જગ્યાએ ડૉક્ટરને કહીએ કે 'સાહેબ, આ મારી તબિયત આમ થઈ છે, મને હેલ્પ કરો.' એમાં પૈસા લેવાના હોય છે અને આમાં પૈસા ના હોય એટલો જ ફેર. આપણે કહીએ કે હેલ્પ કરો એટલે હેલ્પ કરે તરત જ. એટલે ઈગોઈઝમ સમાપ્ત કરવાનો માર્ગ ના હોય તો ઈગોઈઝમ ઉત્પન્ન જ ના થાય. આ જગતમાં જે જન્મે એનું મરણ હોય જ, પણ લોકોને રસ્તો જડતો નથી. હવે એ ઈગોઈઝમ તો ખાલી થાય, પણ ક્યાં આગળ થાય? ત્યારે કહે, જેણે ઈગોઈઝમ ખાલી કરેલો હોય ત્યાં આપણે જઈએ કે ભાઈ, મારો ઈગોઈઝમ ખાલી થાય એવી કંઈ કૃપા કરો તો એ થઈ જાય. બાકી જેની પાસે ઈગોઈઝમની સિલક જ હોય, તે આપણો ઈગોઈઝમ શી રીતે કાઢી આપે?
1. 'કરવાથી' 'હું કોણ છું' એ જાણી શકાય તેમ નથી. 'કરવામાં' તો અહંકાર જોઈએ. ને અહંકાર હોય ત્યાં 'હું કોણ છું' તે જાણી ના શકાય!
2. 'આ મેં કર્યું' એનાથી અહંકાર ઊભો થાય. 'આ મારું' એનાથી મમતા ઊભી થાય.
3. ભગવાનની ભાષામાં જ્ઞાની એટલે? જેના ક્રોધ-માન-લોભ સંપૂર્ણ ગયા છે તે, નિરહંકારી થઈ ગયા છે તે.
4. અહંકારશૂન્ય થાય તે જ અધ્યાત્મ છે.
5. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં.
Book Name: આપ્તવાણી 10 (U) (Page #393 and Page #394)
Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બંને અહંકારી જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે, તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટૂ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More
subscribe your email for our latest news and events
