પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.' આપણે આ કલ્યાણની ભાવના કરીએ, તો એ કઈ રીતે કામ કરે?
દાદાશ્રી: તમારો શબ્દ એવો નીકળે કે પેલાનું કામ થઈ જાય.
પ્રશ્નકર્તા: પૌદ્ગલિક કે 'રિયલ'ના કલ્યાણની આપ વાત કરો છો?
દાદાશ્રી: પુદ્ગલનું નહીં, આપણે તો 'રિયલ' ભણી જાય તેની જ જરૂર. પછી 'રિયલ'ના સહારાથી આગળ થઈ જાય. આ 'રિયલ' મળે તો પેલું 'રિલેટિવ' મળે જ! આખા જગતનું કલ્યાણ કરો એવી ભાવના કેળવવાની. એ ગાવા ખાતર બોલવાનું નહીં, ભાવના ભાવવી. આ તો લોકો ગાવા ખાતર ગાય, જેમ શ્લોક બોલતા હોય એવું.
પ્રશ્નકર્તા: સાવ નવરો બેઠો હોય તો એના કરતા આવી ભાવના ભાવે તો એ ઉત્તમ કહેવાય ને?
દાદાશ્રી: બહુ સરસ. ખરાબ ભાવ તો ઊડી ગયા! એમાંથી જેટલું થયું એટલું ખરું, એટલું તો કમાયા!
પ્રશ્નકર્તા: એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય?
દાદાશ્રી: ના. મિકેનિકલ કેમ કહેવાય? મિકેનિકલ તો એ વધારે પડતો એમ ને એમ પોતાને ખ્યાલમાં ના રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલી!
Book Name: ભાવના સુધારે ભવોભવ (Page #31 and Page #32)
Q. જ્યારે કોઈ ખોટું હોય ત્યારે શા માટે મારે તેનો અહમ્ ના દુભાવવો જોઈએ?
A. પ્રશ્નકર્તા: ધંધામાં સામાવાળાનો અહમ્ દુભાય નહીં એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકના ને કોઈકના તો... Read More
Q. વાણી કેવી રીતે સુધારવી? કઠોર(દુઃખદાયી) શબ્દો કેવી રીતે ટાળવા?
A. દાદાશ્રી: કઠોર ભાષા નહીં બોલવી જોઈએ. કો'કની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે... Read More
Q. ખોરાકની લાલચ હોય તો શું કરવું? આધ્યાત્મિક રીતે સમરસી ખોરાક એટલે શું?
A. દાદાશ્રી: આ જમતી વખતે તમને અમુક જ શાક, ટામેટાનું જ ગમે, તે તમને ફરી યાદ આવ્યા કરે તો લુબ્ધપણું થયું... Read More
Q. અભાવ અને તિરસ્કાર કેવી રીતે ટાળવા?
A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર... Read More
Q. વિષયના વિચારો અને ઈચ્છાઓથી કેવી રીતે મુક્ત થવું?
A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે... Read More
Q. કોઈ પણ ધર્મનું પ્રમાણ શા માટે ના દુભાવવું?
A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, દુભાવાય કે... Read More
Q. તમે તમારો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે વધારી શકો?
A. એવું છે ને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે,... Read More
Q. સાર, તમામ શાસ્ત્રોનો: નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે
A. એક ભાઈને મેં કહ્યું કે આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ... Read More
Q. ઋણાનુબંધમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. પ્રશ્નકર્તા: એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને? દાદાશ્રી: ના,... Read More
subscribe your email for our latest news and events
